AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી કેમ ગાયબ થઈ ગઈ મેડિકલ દુકાનો ? જાણો હવે ઈમરજન્સીમાં દવા ક્યાંથી મળશે

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પ્લેટફોર્મ પર ખાણી-પીણીથી લઈને પુસ્તકો સુધીની દરેક વસ્તુ મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ત્યાં દવાની અલગ દુકાન કેમ નથી હોતી? રેલવેના બદલાયેલા નિયમો પાછળનું રસપ્રદ કારણ જાણો.

| Updated on: Jun 03, 2026 | 8:43 PM
Share
જ્યારે પણ આપણે ટ્રેન દ્વારા મુસાફરી કરીએ છીએ, ત્યારે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચા-નાસ્તો, પાણી, પુસ્તકો અને રમકડાં જેવી તમામ સુવિધાઓ સરળતાથી જોવા મળે છે. પરંતુ એક વસ્તુ જે કદાચ જ કોઈ રેલવે સ્ટેશન પર જોવા મળે છે, તે છે દવાની અલગ દુકાન. દેશના અમુક સ્ટેશનોને બાદ કરતાં મોટાભાગના પ્લેટફોર્મ પર મેડિકલ સ્ટોર હોતા નથી. આખરે આવું કેમ? તેની પાછળ સરકારના બદલાયેલા નિયમો અને મુસાફરોની સુરક્ષા જવાબદાર છે.

જ્યારે પણ આપણે ટ્રેન દ્વારા મુસાફરી કરીએ છીએ, ત્યારે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચા-નાસ્તો, પાણી, પુસ્તકો અને રમકડાં જેવી તમામ સુવિધાઓ સરળતાથી જોવા મળે છે. પરંતુ એક વસ્તુ જે કદાચ જ કોઈ રેલવે સ્ટેશન પર જોવા મળે છે, તે છે દવાની અલગ દુકાન. દેશના અમુક સ્ટેશનોને બાદ કરતાં મોટાભાગના પ્લેટફોર્મ પર મેડિકલ સ્ટોર હોતા નથી. આખરે આવું કેમ? તેની પાછળ સરકારના બદલાયેલા નિયમો અને મુસાફરોની સુરક્ષા જવાબદાર છે.

1 / 7
ભૂતકાળમાં શું નિયમ હતો?: રેલવેના સત્તાવાર દસ્તાવેજો પર નજર કરીએ તો, વર્ષ 2001માં રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે જે સ્ટેશનો પર ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ હોય, ત્યાં કેમિસ્ટ સ્ટોલ માટે વધુમાં વધુ 108 ચોરસ ફૂટ જગ્યા પૂરતી ગણાશે. આ સિવાય જો કોઈ બુકસ્ટોલની અંદર દવાનો નાનો કોર્નર બનાવવામાં આવે, તો તેના માટે આવી કોઈ જગ્યાની મર્યાદા નહોતી. એટલે કે પહેલાના સમયમાં પ્લેટફોર્મ પર દવાની અલગ દુકાનો માટે જગ્યા ફાળવવામાં આવતી હતી.

ભૂતકાળમાં શું નિયમ હતો?: રેલવેના સત્તાવાર દસ્તાવેજો પર નજર કરીએ તો, વર્ષ 2001માં રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે જે સ્ટેશનો પર ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ હોય, ત્યાં કેમિસ્ટ સ્ટોલ માટે વધુમાં વધુ 108 ચોરસ ફૂટ જગ્યા પૂરતી ગણાશે. આ સિવાય જો કોઈ બુકસ્ટોલની અંદર દવાનો નાનો કોર્નર બનાવવામાં આવે, તો તેના માટે આવી કોઈ જગ્યાની મર્યાદા નહોતી. એટલે કે પહેલાના સમયમાં પ્લેટફોર્મ પર દવાની અલગ દુકાનો માટે જગ્યા ફાળવવામાં આવતી હતી.

2 / 7
નવા નિયમોથી શું બદલાવ આવ્યો? સરકારે થોડા વર્ષો પહેલા પ્લેટફોર્મ પરની દુકાનોને લઈને મોટો નિર્ણય લીધો અને નિયમો બદલી નાખ્યા.

નવા નિયમોથી શું બદલાવ આવ્યો? સરકારે થોડા વર્ષો પહેલા પ્લેટફોર્મ પરની દુકાનોને લઈને મોટો નિર્ણય લીધો અને નિયમો બદલી નાખ્યા.

3 / 7
મલ્ટી પર્પઝ સ્ટોલ (MPS): પહેલા પ્લેટફોર્મ પર બુકસ્ટોલ, કેમિસ્ટ સ્ટોલ અને અન્ય સામગ્રી માટે અલગ-અલગ દુકાનો અપાતી હતી. આના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ થતી હતી અને મુસાફરોને ચાલવા માટે જગ્યા ઓછી પડતી હતી. ભીડ નિયંત્રિત કરવા માટે રેલવેએ આ ત્રણેય પ્રકારની દુકાનોને ભેગી કરીને 'મલ્ટી પર્પઝ સ્ટોલ' (MPS) ની શરૂઆત કરી છે.

મલ્ટી પર્પઝ સ્ટોલ (MPS): પહેલા પ્લેટફોર્મ પર બુકસ્ટોલ, કેમિસ્ટ સ્ટોલ અને અન્ય સામગ્રી માટે અલગ-અલગ દુકાનો અપાતી હતી. આના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ થતી હતી અને મુસાફરોને ચાલવા માટે જગ્યા ઓછી પડતી હતી. ભીડ નિયંત્રિત કરવા માટે રેલવેએ આ ત્રણેય પ્રકારની દુકાનોને ભેગી કરીને 'મલ્ટી પર્પઝ સ્ટોલ' (MPS) ની શરૂઆત કરી છે.

4 / 7
નવી દુકાનો પર પ્રતિબંધ: હવે પ્લેટફોર્મ પર માત્ર દવાની નવી સ્વતંત્ર દુકાન ખોલવા માટે જગ્યા આપવામાં આવતી નથી. આ મલ્ટી પર્પઝ સ્ટોલ પર જ ડૉક્ટરની પર્ચી (પ્રિસ્ક્રિપ્શન) વગર મળતી સામાન્ય દવાઓ (OTC મેડિસિન્સ) વેચવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી દુકાનો પર પ્રતિબંધ: હવે પ્લેટફોર્મ પર માત્ર દવાની નવી સ્વતંત્ર દુકાન ખોલવા માટે જગ્યા આપવામાં આવતી નથી. આ મલ્ટી પર્પઝ સ્ટોલ પર જ ડૉક્ટરની પર્ચી (પ્રિસ્ક્રિપ્શન) વગર મળતી સામાન્ય દવાઓ (OTC મેડિસિન્સ) વેચવાની મંજૂરી આપવામાં આવી છે.

5 / 7
જન ઔષધિ કેન્દ્ર: હાલમાં આખા ભારતમાં માત્ર 21 એવા સ્ટેશનો છે જ્યાં અલગથી મેડિકલ સ્ટોર કાર્યરત છે. જો કે, રેલવે હવે મોટા 'એ-વન' કેટેગરીના સ્ટેશનો પર આરોગ્ય સુવિધાઓ સુધારવા અને પ્લેટફોર્મ પર 'જન ઔષધિ કેન્દ્રો' ખોલવા પર ઝડપથી કામ કરી રહી છે.

જન ઔષધિ કેન્દ્ર: હાલમાં આખા ભારતમાં માત્ર 21 એવા સ્ટેશનો છે જ્યાં અલગથી મેડિકલ સ્ટોર કાર્યરત છે. જો કે, રેલવે હવે મોટા 'એ-વન' કેટેગરીના સ્ટેશનો પર આરોગ્ય સુવિધાઓ સુધારવા અને પ્લેટફોર્મ પર 'જન ઔષધિ કેન્દ્રો' ખોલવા પર ઝડપથી કામ કરી રહી છે.

6 / 7
મુસાફરી દરમિયાન મેડિકલ ઈમરજન્સી આવે તો શું કરવું?: જો મુસાફરી દરમિયાન અચાનક કોઈ મુસાફરની તબિયત બગડે, તો ગભરાવાની જરૂર નથી. રેલવે દ્વારા ટ્રેનના ટિકિટ ચેકર (TTE), ટ્રેન ગાર્ડ, સુપરિન્ટેન્ડેન્ટ અને સ્ટેશન માસ્ટર વગેરેને ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) ની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. દરેક રેલવે સ્ટેશન પર નજીકની હોસ્પિટલો અને ડોક્ટરોના નંબરની યાદી ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત, ટ્રેનની અંદર અને સ્ટેશન પર પણ ઇમરજન્સી મેડિકલ બોક્સ રાખવામાં આવે છે, જેની મદદથી મુસાફરને તાત્કાલિક રાહત પહોંચાડી શકાય છે.

મુસાફરી દરમિયાન મેડિકલ ઈમરજન્સી આવે તો શું કરવું?: જો મુસાફરી દરમિયાન અચાનક કોઈ મુસાફરની તબિયત બગડે, તો ગભરાવાની જરૂર નથી. રેલવે દ્વારા ટ્રેનના ટિકિટ ચેકર (TTE), ટ્રેન ગાર્ડ, સુપરિન્ટેન્ડેન્ટ અને સ્ટેશન માસ્ટર વગેરેને ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) ની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. દરેક રેલવે સ્ટેશન પર નજીકની હોસ્પિટલો અને ડોક્ટરોના નંબરની યાદી ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત, ટ્રેનની અંદર અને સ્ટેશન પર પણ ઇમરજન્સી મેડિકલ બોક્સ રાખવામાં આવે છે, જેની મદદથી મુસાફરને તાત્કાલિક રાહત પહોંચાડી શકાય છે.

7 / 7

ટ્રેનના ડબ્બાને ‘બૉગી’ કહેવાની ભૂલ તમે પણ કરો છો ? જાણો કોચ અને બૉગી વચ્ચેનો અસલી તફાવત!

Follow Us
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
g clip-path="url(#clip0_868_265)">