એક દિવસમાં તમે કેટલું પેટ્રોલ-ડિઝલ ખરીદી શકો છો ? જાણો સ્ટોર કરવાનો શું છે નિયમ
ભારતમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી અને સંગ્રહ પર કડક નિયમો છે. Petroleum Act, 1934 હેઠળ ચોક્કસ મર્યાદાઓ નક્કી કરાઈ છે, જેમ કે લાયસન્સ વિના ઘરે 30 લિટરથી વધુ ઈંધણ સંગ્રહ ન કરી શકાય.

ભારતમાં આપણે જેટલું ઇચ્છીએ તેટલું પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકીએ એવું નથી. આ બાબત પર સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને હાલના સમયમાં, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને ઘણા લોકો ભવિષ્યની અનિશ્ચિતતા ધ્યાનમાં રાખીને વધુ પ્રમાણમાં ઈંધણ સંગ્રહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ નિયમો વિશે જાણવું વધુ જરૂરી બની ગયું છે.

ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને સંગ્રહ Petroleum Act, 1934 હેઠળ નિયંત્રિત થાય છે. આ કાયદા મુજબ ઈંધણના સંગ્રહ અને ઉપયોગ માટે ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, અને તેનું ઉલ્લંઘન કરવાથી દંડ કે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

જો તમે તમારા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવો છો, તો તેની માટે કોઈ ખાસ મર્યાદા નથી. તમે તમારા વાહનની ટાંકી ક્ષમતા મુજબ જેટલું ઈંધણ જરૂરી હોય તેટલું ભરાવી શકો છો. પરંતુ જ્યારે વાત કન્ટેનરમાં ઈંધણ લેવા ની આવે છે, ત્યારે નિયમો લાગુ પડે છે. પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિક બોટલ કે ખુલ્લા વાસણમાં ઈંધણ આપવાની મનાઈ છે. ફક્ત પ્રમાણિત ધાતુના કન્ટેનરમાં જ ઈંધણ આપવામાં આવે છે, અને સામાન્ય રીતે તેની મર્યાદા 20 થી 25 લિટર સુધી રાખવામાં આવે છે.

ઘરે ઈંધણ સંગ્રહ કરવા માટે પણ નિયમો છે. લાયસન્સ વિના કોઈ વ્યક્તિ વધુમાં વધુ 30 લિટર સુધી પેટ્રોલ અથવા ડીઝલ રાખી શકે છે. જો આ મર્યાદા કરતાં વધુ ઈંધણ સંગ્રહ કરવો હોય, તો Petroleum and Explosives Safety Organisation (PESO) પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત છે. લાયસન્સ વગર વધુ પ્રમાણમાં ઈંધણ સંગ્રહ કરવો ગેરકાયદેસર છે અને જોખમકારક પણ છે.

સલામતીના દૃષ્ટિકોણથી પણ કેટલાક નિયમો ખૂબ મહત્વના છે. પેટ્રોલ અથવા ડીઝલ કાચની બોટલ અથવા નબળા પ્લાસ્ટિકમાં સંગ્રહ કરવું જોખમકારક હોવાથી મનાઈ છે. ઈંધણ હંમેશા મજબૂત સ્ટીલ અથવા એલ્યુમિનિયમના કન્ટેનરમાં જ રાખવું જોઈએ. સંગ્રહ માટેનું સ્થળ હવામાં સારો પ્રવાહ ધરાવતું હોવું જોઈએ અને તેને આગ અથવા ઇલેક્ટ્રિકલ સાધનો થી દૂર રાખવું જોઈએ.

આ નિયમોનું ઉલ્લંઘન કરવું ગંભીર ગુનો ગણાય છે. જો કોઈ વ્યક્તિ લાયસન્સ વિના નક્કી કરેલી મર્યાદાથી વધુ ઈંધણ સંગ્રહ કરતા ઝડપાય, તો તેને દંડ, ઈંધણ જપ્ત થવું અને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, પેટ્રોલ પંપ માલિકોને પણ શંકાસ્પદ સ્થિતિમાં કન્ટેનરમાં ઈંધણ ન આપવાની કડક સૂચના આપવામાં આવી છે. નિયમોનું પાલન ન કરવાથી તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર નહાવા માટે પાણી કેવું હોવું જોઈએ? વાતાવરણ અનુસાર જાણો ગરમ
