Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા વધુ બે મેચમાંથી થયો બહાર
મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમી શક્યો નહીં. ટોસ સમયે હાર્દિક પંડ્યાએ રોહિત વિશે ખરાબ સમાચાર આપ્યા. રોહિત શર્મા ક્યારે પાછો ફરશે તે હજુ સુધી જાણી શકાયું નથી પણ તે આગામી બે મેચમાં નહીં રમે.

રોહિત શર્માએ IPL 2026 માં ફક્ત ચાર મેચ રમી છે. તે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે બહાર છે, અને હવે વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફક્ત રોહિત જ નહીં, મુંબઈ ઈન્ડિયન્સનો અન્ય એક સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક પણ ઈજાગ્રસ્ત થયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બે ખરાબ સમાચાર આપ્યા. પહેલા રોહિત વિશે હતો હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તે હાલમાં અનફિટ છે અને ઓછામાં ઓછી બે મેચ નહીં રમે.

આનો અર્થ એ થયો કે રોહિત ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચ રમશે નહીં. જોકે, રોહિત 10 મેના રોજ RCB સામેની મેચમાં વાપસી કરી શકે છે.

જો રોહિત RCB સામે પણ નહીં રમે તો તે 14 મેના રોજ પંજાબ કિંગ્સ સામેની મેચમાં સીધો ભાગ લેશે. રોહિતની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો આંચકો છે.

ટીમ પહેલાથી જ સાતમાંથી પાંચ મેચ હારી ચૂકી છે, જેના કારણે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. રોહિતે અત્યાર સુધી ચાર મેચમાં 45.66 ની સરેરાશથી 137 રન બનાવ્યા છે.

હાર્દિક પંડ્યાએ બીજા ખરાબ સમાચાર ક્વિન્ટન ડી કોક વિશે આપ્યા કે તે ઘાયલ છે અને કાંડાની ઇજાથી પીડાઈ રહ્યો છે. ડી કોકે અત્યાર સુધી મુંબઈ માટે ત્રણ મેચ રમી છે, જેમાં 66 ની સરેરાશથી 132 રન બનાવ્યા છે. ડી કોકે પંજાબ સામે અણનમ 112 રન બનાવ્યા હતા. (PC:PTI/X)
Breaking News: હાર્દિક પંડ્યાએ 7 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો, સતત હાર બાદ લીધો આશ્ચર્યજનક નિર્ણય
