Food Storage Tips : ભૂલથી પણ આ ફળો અને શાકભાજીને એકસાથે ક્યારેય સ્ટોર કરવું ન જોઈએ!જાણો કારણ
આપણા ફ્રિજ અને રસોડામાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને આપણે એકસાથે રાખીને સ્ટોર કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેને સાથે રાખવાથી તેનો સ્વાદ અને પોષણ બંને ખરાબ થઈ શકે છે.

ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજા સલાહ આપે છે કે ભૂલથી પણ બટાકા અને ડુંગળીને એકસાથે સ્ટોર કરવા નહીં. ડુંગળી મોઈશ્ચર છોડે છે. જેના કારણે બટાકા અંકુરિત અને ખરાબ થઈ શકે છે.

કેળા અને એવોકાડોને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. કેળા ઇથિલિન નામનો ગેસ છોડે છે. જેના કારણે એવોકાડો વધુ પાકી શકે છે અને ઝડપથી ખરાબ થઈ શકે છે અને તેનો સ્વાદ પણ બગડી શકે છે.

સફરજન અને પાલકને પણ એકસાથે સ્ટોર કરવા નહીં. સફરજનથી ઇથિલિન ઉત્પન્ન થાય છે. જો પાલકની નજીક તેને રાખવામાં આવે તો પાલકના પાંડદા પીળા પડી શકે છે અને પાલક ઝડપથી બગડી શકે છે.

કેળા સાથે બ્રોકલી રાખવી પણ યોગ્ય નથી. કેળામાંથી નીકળતો ઇથિલિન ગેસ બ્રોકલીની લાઇફ ઘટાડી શકે છે અને તેનો લીલો રંગ પણ પીળાશમાં ફેરવાઈ શકે છે.

સફરજન અને કાકડીને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. સફરજનમાંથી નીકળતો ઇથિલિન ગેસ કાકડીને નરમ બનાવી શકે છે. જેનાથી કાકાડી બગડવાનું જોખમ વધી જાય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Weight Loss : માત્ર એક્સરસાઇઝ જ નહીં, આ 3 રમતો રમવાથી પણ ઘટી શકે છે વજન !
