ધરમપુર ખાતે ‘રાજ સભાગૃહ’નું કરાયું લોકાર્પણ, અનેક મહાનુભાવો રહ્યા હાજર
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ'નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધરમપુર ખાતે‘રાજ સભાગૃહ’નું લોકાર્પણ પ્રસંગ માત્ર એક ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે પ્રબુદ્ધ સંતો વચ્ચેના પ્રેમભર્યા ગાઢ સંબંધોને ઉજાગર કરી રહ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારીને 91 વર્ષની ઉંમરે પણ ખાસ સમય કાઢીને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજ આ લોકાર્પણ પ્રસંગે પધાર્યા એ ઐતિહાસિક ક્ષણો બની રહી હતી.

પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજ રાજ સભાગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં પૂ. શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા. તેઓએ અહીં સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્રજીની 34 ફૂટ ઊંચી પ્રતિમાજીના દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જિનમંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા. રાજ સભાગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળતાં લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે રાજ સભાગૃહ’ની તક્તીનું અનાવરણ કરી, આ જાજરમાન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ અવસરે સ્નેહાદર સાથે આશિષ આપતાં પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે કહ્યું કે, “જોવાલાયક તો અહીં ઘણું છે, પણ આજે અમે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી મહારાજના પ્રેમની દોરથી ખેંચાઈને આવ્યા છીએ. શ્રીમદ્ રાજચંદ્રજી ખુબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ ખુબ સુંદર રીતે આગળ વધાર્યું છે. અહીં જે સત્સંગ કરશે, સાધના કરશે, તે જીવનમાં ખુબ સુખ શાંતિ પામો, આ સંસ્થાની ખુબ પ્રગતિ થાય અને બધા સેવકો ખુબ સુખી થાય.” પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓશ્રીને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓશ્રીમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”
