AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol in Body : દારૂ પીધા પછી શરીરમાંથી બધો આલ્કોહોલ દૂર થતાં કેટલી વાર લાગે છે ? તમે નહીં જાણતા હોવ

દારૂ શરીરમાં શોષાઈને યકૃત દ્વારા ચયાપચય થાય છે, પરંતુ તેને ઝડપથી ઉતારવાના કોફી કે ઠંડા સ્નાન જેવા ઉપાયો માત્ર ગેરસમજ છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સમય અને યકૃતની ક્ષમતા પર આધાર રાખે છે.

| Updated on: Feb 13, 2026 | 6:01 PM
Share
દારૂ પીધા પછી તે પેટ અને નાના આંતરડા દ્વારા લોહીના પ્રવાહમાં શોષાઈ જાય છે અને ત્યારબાદ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. દારૂનું મુખ્ય ચયાપચય યકૃતમાં થાય છે, જ્યારે તેની થોડી માત્રા પેશાબ, પરસેવો અને શ્વાસ દ્વારા યથાવત રીતે બહાર નીકળી જાય છે.

દારૂ પીધા પછી તે પેટ અને નાના આંતરડા દ્વારા લોહીના પ્રવાહમાં શોષાઈ જાય છે અને ત્યારબાદ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. દારૂનું મુખ્ય ચયાપચય યકૃતમાં થાય છે, જ્યારે તેની થોડી માત્રા પેશાબ, પરસેવો અને શ્વાસ દ્વારા યથાવત રીતે બહાર નીકળી જાય છે.

1 / 7
ઘણા લોકો માનતા હોય છે કે કોફી પીવાથી, ઠંડા પાણીથી સ્નાન કરવાથી અથવા વધારે ખાવાથી દારૂ ઝડપથી ઉતરી જાય છે, પરંતુ હકીકતમાં આવું થતું નથી. યુએસએની આરોગ્ય વેબસાઇટ હેલ્થલાઇન મુજબ, આલ્કોહોલ દૂર થવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમય અને યકૃતની ચયાપચય ક્ષમતા પર આધાર રાખે છે.

ઘણા લોકો માનતા હોય છે કે કોફી પીવાથી, ઠંડા પાણીથી સ્નાન કરવાથી અથવા વધારે ખાવાથી દારૂ ઝડપથી ઉતરી જાય છે, પરંતુ હકીકતમાં આવું થતું નથી. યુએસએની આરોગ્ય વેબસાઇટ હેલ્થલાઇન મુજબ, આલ્કોહોલ દૂર થવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમય અને યકૃતની ચયાપચય ક્ષમતા પર આધાર રાખે છે.

2 / 7
દારૂ પીધા પછી લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ (BAC) સામાન્ય રીતે 30 થી 90 મિનિટની અંદર સૌથી વધુ સ્તરે પહોંચે છે. પીધેલા દારૂમાંથી 90 ટકા કરતાં વધુ આલ્કોહોલ યકૃતમાં ઓક્સિડાઇઝ થાય છે. ઇથેનોલ પહેલા એસિટેટમાં બદલાય છે અને અંતે કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અને પાણીમાં રૂપાંતરિત થાય છે. ફક્ત 2 થી 5 ટકા આલ્કોહોલ જ પેશાબ, પરસેવો અથવા શ્વાસ દ્વારા અપરિવર્તિત રીતે બહાર જાય છે. એટલે કે, દારૂ ઉતારવાની પ્રક્રિયામાં યકૃત સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દારૂ પીધા પછી લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ (BAC) સામાન્ય રીતે 30 થી 90 મિનિટની અંદર સૌથી વધુ સ્તરે પહોંચે છે. પીધેલા દારૂમાંથી 90 ટકા કરતાં વધુ આલ્કોહોલ યકૃતમાં ઓક્સિડાઇઝ થાય છે. ઇથેનોલ પહેલા એસિટેટમાં બદલાય છે અને અંતે કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અને પાણીમાં રૂપાંતરિત થાય છે. ફક્ત 2 થી 5 ટકા આલ્કોહોલ જ પેશાબ, પરસેવો અથવા શ્વાસ દ્વારા અપરિવર્તિત રીતે બહાર જાય છે. એટલે કે, દારૂ ઉતારવાની પ્રક્રિયામાં યકૃત સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

3 / 7
યકૃતની આલ્કોહોલ ચયાપચય કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે. સંશોધનો દર્શાવે છે કે સામાન્ય રીતે યકૃતને એક સ્ટાન્ડર્ડ યુનિટ આલ્કોહોલ તોડવામાં લગભગ 1 થી 2 કલાક લાગે છે. એક સ્ટાન્ડર્ડ યુનિટનો અર્થ થાય છે 5 ટકા આલ્કોહોલવાળી 330 મિલી બીયર, 12 ટકા આલ્કોહોલવાળી 150 મિલી વાઇન, અથવા 40 ટકા આલ્કોહોલવાળી 45 મિલી સ્પિરિટ.

યકૃતની આલ્કોહોલ ચયાપચય કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે. સંશોધનો દર્શાવે છે કે સામાન્ય રીતે યકૃતને એક સ્ટાન્ડર્ડ યુનિટ આલ્કોહોલ તોડવામાં લગભગ 1 થી 2 કલાક લાગે છે. એક સ્ટાન્ડર્ડ યુનિટનો અર્થ થાય છે 5 ટકા આલ્કોહોલવાળી 330 મિલી બીયર, 12 ટકા આલ્કોહોલવાળી 150 મિલી વાઇન, અથવા 40 ટકા આલ્કોહોલવાળી 45 મિલી સ્પિરિટ.

4 / 7
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ થોડા કલાકોમાં 3 થી 4 યુનિટ દારૂ પીવે છે, તો દારૂ પીવાનું બંધ કર્યા પછી લગભગ 3 થી 6 કલાકમાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ શકે છે. તેમ છતાં, પરીક્ષણની પદ્ધતિ અને વ્યક્તિના શારીરિક બંધારણ અનુસાર, દારૂના અંશ કેટલાક કલાકો બાદ પણ મળી શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ થોડા કલાકોમાં 3 થી 4 યુનિટ દારૂ પીવે છે, તો દારૂ પીવાનું બંધ કર્યા પછી લગભગ 3 થી 6 કલાકમાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ શકે છે. તેમ છતાં, પરીક્ષણની પદ્ધતિ અને વ્યક્તિના શારીરિક બંધારણ અનુસાર, દારૂના અંશ કેટલાક કલાકો બાદ પણ મળી શકે છે.

5 / 7
જો કોઈ વ્યક્તિ વધારે માત્રામાં દારૂ પીવે, જેમ કે 8 થી 10 યુનિટ, તો લોહીમાં આલ્કોહોલનું સ્તર શૂન્ય થવામાં 12 થી 24 કલાક લાગી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં આ સમય 24 કલાકથી પણ વધુ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ વધારે માત્રામાં દારૂ પીવે, જેમ કે 8 થી 10 યુનિટ, તો લોહીમાં આલ્કોહોલનું સ્તર શૂન્ય થવામાં 12 થી 24 કલાક લાગી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં આ સમય 24 કલાકથી પણ વધુ હોઈ શકે છે.

6 / 7
સામાન્ય રીતે, ઓછી માત્રામાં દારૂ પીવાથી થોડા કલાકોમાં લોહીમાંથી આલ્કોહોલ દૂર થઈ જાય છે. પરંતુ દારૂનું સ્તર ઝડપથી ઘટાડવાનો કોઈ ચોક્કસ કે અસરકારક ઉપાય નથી. હેલ્થલાઇન મુજબ, આ પ્રક્રિયા ફક્ત સમય અને યકૃતની કાર્યક્ષમત પર જ નિર્ભર રહે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)

સામાન્ય રીતે, ઓછી માત્રામાં દારૂ પીવાથી થોડા કલાકોમાં લોહીમાંથી આલ્કોહોલ દૂર થઈ જાય છે. પરંતુ દારૂનું સ્તર ઝડપથી ઘટાડવાનો કોઈ ચોક્કસ કે અસરકારક ઉપાય નથી. હેલ્થલાઇન મુજબ, આ પ્રક્રિયા ફક્ત સમય અને યકૃતની કાર્યક્ષમત પર જ નિર્ભર રહે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)

7 / 7

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફેન્સિંગ સાથે કેમ લટકાવવામાં આવી છે હજારો ખાલી બોટલ?

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
g clip-path="url(#clip0_868_265)">