જાણો ઓશીકા, ટુથબ્રશ સહિતની વસ્તુઓનો કેટલા સમય સુધી કરી શકાય છે ઉપયોગ
આપણે બધા જ રોજિંદા જીવનમાં મનપસંદની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે બ્રશ હોય કે ઓશીકુ બધુ જ પોતાનું અલગ વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ બ્રશ હોય કે ઓશીકું તેને સમયઆંતરે બદલતા રહેવુ જોઈએ. ઘરમાં ઘણી બઘી વસ્તુઓ એવી હોય છે કે જેની એક્સપાયરી ડેટનો વિચાર કર્યા વગર જ આપણે તેનો ઉપયોગ કરતા રહીએ છે. જેના પગલે સ્વાસ્થ્યને ઘણી બધી રીતે હાનિકારક સાબિત થાય છે.ઘરની સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે જાણો જે ખરાબ થવા પર તમે સમજી શકતા નથી અને તેનો ફાયદો તમારા માટે નુકસાનમાં ફેરવાઈ જાય છે.

સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકો ઓશીકા પર માથુ મુકીને સૂતા હોય છે. પરંતુ કોઈ પણ ઓશીકાને 1 વર્ષથી વધારે સમય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. વાળમાંથી નીકળતું તેલ, ચામડીના કણો વગેરે બેક્ટેરિયલના કારણે ચામડીના રોગ થઈ શકે છે.

કોઈ પણ ગાદલાને 5 થી 10 વર્ષ તેનું આયુષ્ય હોય છે. પરંતુ જો સાત વર્ષ પછી પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

જો કે દરેક પ્રકારના વોટર ફિલ્ટર ખરીદતી વખતે તમને કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ તે જણાવવામાં આવે છે. પરંતુ તેના વિશે રસપ્રદ વાત એ છે કે તેના લેબલ પર તમે જે ઉંમર પ્રિન્ટ કરેલા સમય કરતા તે 20 ટકા વધુ ટકી શકે છે.

કોન્ટેક્ટ લેન્સ સોલ્યુશન દર ત્રણ મહિને બદલવો જોઈએ.કોન્ટેક્ટ લેન્સના સોલ્યુશનને લાંબા સમય સુધી ન બદલવાથી આંખના ચેપનું જોખમ વધી શકે છે.

ડોક્ટરોનું માનવું છે કે દર ત્રણથી ચાર મહિને ટૂથબ્રશ બદલવું જોઈએ જેથી કરીને તેનું બ્રશ સખત ન થઈ જાય. લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી તેના બ્રશ સખત થઈ જાય છે અને તે દાંતને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી અને પેઢાને નુકસાન થઈ શકે છે.
