Women’s health : મહિલાઓને યેલો ડિસ્ચાર્જ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી કારણ જાણો
વજાઈનલ ડિસ્ચાર્જ 5 પ્રકારના હોય છે. પરંતુ શું તમે જાણો છે કે, જો તમને યેલો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો તેના કારણો શું છે.ચાલો જાણીએ કે સ્ત્રીઓને આ સમસ્યા શા માટે થાય છે.એલર્જી ફેલાતી અટકાવવા માટે, સમયસર ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.

મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણો અનેક છે. હોર્મોન્સમાં ફેરફાર થવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેમાં એક ડિસ્ચાર્જની પણ સમસ્યા થઈ શકે છે. કોઈ સમસ્યાના રુપમાં મહિલાઓના આ ડિસ્ચાર્જનો રંગ અલગ અલગ હોય છે.

સામાન્ય રીતે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાંથી સફેદ રંગનો ડિસ્ચાર્જ થાય છે. જે કોઈ પ્રકારની સમસ્યા હોતી નથી પરંતુ જો મહિલાઓના ડિસ્ચાર્જનો રંગ,પીળો , ગુલાબી કે પછી બ્રાઉન છે. તો આ એક સમસ્યાનો સંકેત છે. આપણે ડોક્ટર પાસેથી જાણીએ કે, મહિલાઓને ક્યાં કારણોથી યેલો ડિસ્ચાર્જ થાય છે.

મહિલાઓના શરીરમાં સતત હોર્મોન્સ બદલાય છે. હોર્મોન્સમાં ઉતાર-ચઢાવના કારણે વજાઈનામાંથી પીળા રંગનો ડિસ્ચાર્જ થાય છે. આ પ્રેગ્નન્સી દરમિયાન પ્રજનન અંગોના સંક્રમણ કે પછી શરીરની અંદર હોર્મોન્સ અંસુતલનના કારણ પણ હોય શકે છે.

યેલો ડિસ્ચાર્જ થવાનું મુખ્ય કારણ ઈન્ફેક્શન પણ છે. આ ઈન્ફેક્શનમાં યીસ્ટ ઈન્ફેક્શન, બેક્ટીરિયલ વેજિનોસિસ અને ટ્રાયકોમોનિએસિસ વગેરે સામેલ કરી શકાય છે. આ ઈન્ફેક્શનના લક્ષણ અલગ અલગ હોય શકે છે. ઈન્ફેક્શનમાં ડોક્ટરની મુલાકાત જરુર લેવી.

મહિલાઓને યૌન સંચારિત ઈન્ફેક્શન પર યેલો ડિસ્ચાર્જ થઈ શકે છે. જેમાં ક્લૈમાઈડિયા ગોનોરિયા અને ટ્રાયકોમોનિએસિસ સહિત અન્ય સામેલ હોય શકે છે. આ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાઓનું જોખમ રહે છે. આનાથી બચવા માટે જલ્દી સારવાર કરાવવી બેસ્ટ રહે છે.

કેટલાક વાયરલ ઈન્ફેક્શનના કારણે મહિલાઓને યેલો રંગનું ડિસ્ચાર્જ થાય છે.આ વાયરલ ઈન્ફેક્શનમાં હર્પીસ અને હ્યુમન ઈમ્યુોડેફિશિએન્સી વાયરસ પણ સામેલ થઈ શકે છે. નિયમિત તપાસ અને સલામત સેક્સ કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો ઓછી થઈ શકે છે.

સ્ત્રીઓને કોઈ વસ્તુ પ્રત્યે સંવેદનશીલતાને કારણે એલર્જી થઈ શકે છે. આવા કિસ્સામાં પણ સ્ત્રીઓને યેલો સ્રાવ થઈ શકે છે. આવા કિસ્સામાં, તમારે સ્વચ્છતા પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. એલર્જી ફેલાતી અટકાવવા માટે, સમયસર ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.

પીળા રંગનો ડિસ્ચાર્જના ઘણા કારણો હોઈ શકે છે. લાઈફસ્ટાઈલમાં ફેરફાર પણ આનું કારણ હોઈ શકે છે. આ સમય દરમિયાન, તમે સ્ત્રીરોગચિકિત્સકને મળી શકો છો અને સમસ્યાના કારણો ઓળખી શકો છો. આ સમસ્યા સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા માટે એક ગંભીર કારણ પણ બની શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
