Women’s health : પ્રેગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
પ્રગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ એક નોર્મલ પ્રોસેસ છે. ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, આ સમસ્યા ક્યારે ગંભીર થઈ શકે છે તેમજ ક્યારે તેનો રંગ બદલાય છે. 6 અઠવાડિયા સુધી ડિસ્ચાર્જ કેમ થાય છે. તેમજ તેના ગંભીર લક્ષણો વિશે જાણો.

પ્રેગ્નનસી પછી મહિલાને યોનિમાંથી વ્હાઈટ ડિસ્ચાર્જનો અનુભવ થવો એ એકદમ સામાન્ય બાબત છે. જોકે, ક્યારેક, યોગ્ય માહિતીના અભાવે, તે ગંભીર સમસ્યા બની શકે છે, જેના કારણે મહિલાઓ બિનજરૂરી રીતે ચિંતિત અથવા વ્યથિત થઈ જાય છે.

પ્રેગ્નન્સી પછી યુટ્રસની અંદર અને બાકી રહેલા કોઈપણ ટિશ્યુઓ શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. શરૂઆતમાં, તે ઘેરા લાલ રંગનું હોય છે, ધીમે ધીમે ગુલાબી થઈ જાય છે. પછી, તે પીળા અને અંતે સફેદ થઈ જાય છે. શું તમે જાણો છો કે આ વ્હાઈટ ડિસ્ચાર્જ, ભલે ધીમે ધીમે ઓછો થાય છે, તે પ્રેગ્નન્સી પછી છ અઠવાડિયા સુધી ચાલુ રહે છે? પ્રેગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ કેમ થાય છે?

પ્રેગ્નન્સી પછી દરેક મહિલાના શરીરમાં અનેક હોર્મોનલ ફેરફાર થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનનું લેવલ અચાનક બગડી જાય છે. જેનાથી શરીર પોતાની નોર્મલ સ્થિતિમાં પરત આવવાનો પ્રયત્ન કરે છે. આ હોર્મોનલ ઉતાર-ચઢાવના કારણે વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે અને આ એક રીતે નોર્મલ અને નેચરલ પ્રોસેસ છે. જેનાથી વધારે ડરવાની જરુર નથી. કારણ કે, આ શરીરને ખુદને સ્વસ્થ કરવાની પ્રોસેસનો ભાગ છે.

પ્રેગ્નન્સી બાદ જે મહિલાઓ પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે છે. તેના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઓછું થઈ જાય છે. આ હોર્મોનનું ઓછું થવાથી વજાઈનામાં ડ્રાઈનેસનું કારણ બની શકે છે. જેના કારણે વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ શકે છે. આ એક નોર્મલ પ્રોસેસ છે. જે શરીરમાં હોર્મોનલ એડજસ્ટેમેટનું કારણ હોય છે.

હવે આપણે પ્રેગ્નન્સી બાદ વ્હાઈટ ડિસ્ચાર્જના ગંભીર કારણો વિશે વાત કરીએ તો. જો પ્રેગ્નન્સી પછી થનારા વ્હાઈટ ડિસ્ચાર્જમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવે છે. તો આ ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે. ઈન્ફેક્શનના લક્ષણોમાં વજાઈનામાં ખંજવાળ કે બળતરામાં વ્હાઈટ ડિસ્ચાર્જનો રંગ બદલી પીળો થઈ શકે છે. આ ઈન્ફેક્શન જાતીય રોગ કે પછી યીસ્ટનું ઈન્ફેક્શન હોઈ શકે છે, અને તમારે તાત્કાલિક સારવારની જરૂર છે.

કેટલીક વખત પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રકારની સિઝેરિયનમાં ઈજા થાય કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રકારની પરેશાનીના કારણે યુટ્રસમાં ઈન્ફેક્શન થઈ શકે છે. જેની સાથે તાવ પેટના નીચેના ભાગમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.

જો પ્રેગ્નન્સી દરમિયાન વજાઈનામાં કોઈ ઈજા હોય કે ઘા હોય, તો તે ઈન્ફેક્શન થઈ શકે છે. આનાથી અસામાન્ય અને દુર્ગંધયુક્ત વ્હાઈટ ડિસ્ચાર્જ પણ થઈ શકે છે. તેનાથી દુખાવો, લાલાશ અને સોજો પણ આવી શકે છે.

જો તમને આમાંના કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. વધુમાં, સારી સ્વચ્છતાનું પાલન કરો

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
