Stock Market : ‘રોકાણકારો’ના રોવાના દિવસો આવશે ! શેરમાર્કેટમાં જલ્દી જ ‘ક્રેશ’ થશે, ‘2’ સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકે આપી ચેતવણી
જો તમે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો, તો સાવચેત થઈ જજો. વિશ્વની બે સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે, શેરબજારમાં જોરદાર ઘટાડો આવશે અને રોકાણકારોએ નુકસાન સહન કરવું પડશે, તેવી શક્યતા છે.

આ માટે રેકોર્ડ તારીખ શુક્રવાર, 14 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ બે કંપનીઓના શેર સ્પ્લિટ કરવાના નિર્ણયથી આ કંપનીઓમાં રોકાણ કરવાનું વિચારી રહેલા નાના રોકાણકારોને ફાયદો થશે.

સામાન્ય રીતે, જ્યારે કોઈ શેરનો ભાવ વધે છે, ત્યારે કંપનીઓ નાના રોકાણકારો માટે તેને વધુ સુલભ બનાવવા માટે શેર સ્પ્લિટનો ઉપયોગ કરે છે.

સ્ટોક સ્પ્લિટ શું છે?: સ્ટોક સ્પ્લિટ એટલે જ્યારે કોઈ કંપની તેના હાલના શેરને નાના શેરમાં વિભાજીત કરે છે. આ શેરની સંખ્યામાં વધારો કરે છે અને દરેક શેરની કિંમત ઘટાડે છે, જેનાથી નાના રોકાણકારો પણ કંપનીમાં રોકાણ કરી શકે છે.


'Ted Pick' ના CEO 'Morgan Stanley' ના મત મુજબ, બજારમાં 10-15% નો ઘટાડો આવવો એ કોઈ ખરાબ બાબત નથી. આનો અર્થ એ થાય કે, ક્યારેક બજારને ઠંડુ કરવાની પણ જરૂર પડે છે જેથી તે ફરીથી ઉત્સાહ સાથે ઉપર જઈ શકે.

IMF, યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ અને બ્રિટિશ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ પણ ચેતવણી આપી છે કે, બજાર વેલ્યુએશન ખૂબ ઊંચા છે. આથી, જો બજારમાં ઘટાડો થાય છે, તો તેને ક્રેશ નહીં પણ કરેક્શન ગણો.

સોલોમન અને પિક બંને કહે છે કે, મજબૂત પોર્ટફોલિયો ધરાવતા લોકોએ આ સમયે ગભરાવાની જરૂર નથી. જો તમે લાંબા ગાળા માટે સારી ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ કર્યું હોય, તો ચિંતા કરશો નહીં. નાના રોકાણકારો ઘટાડા દરમિયાન ધીમે ધીમે SIP અથવા તેની ખરીદી વધારી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
