જીકે ક્વિઝ : શું ટ્રેન દ્વારા પણ કરી શકાય છે વિદેશની મુસાફરી ? જાણો શું છે નિયમ
ભારતમાં તમે રેલ્વે દ્વારા દેશના દરેક ખૂણામાં મુસાફરી કરી શકો છો. માત્ર એટલું જ નહીં તમે રેલવે નેટવર્ક દ્વારા વિદેશમાં પણ જઈ શકો છો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભારતથી કયા દેશોની ટ્રેનો જાય છે અને આ દેશોમાં મુસાફરી માટે કેવી રીતે બુકિંગ કરાવી શકાય છે.


ભારતની આંતરરાષ્ટ્રીય ટ્રેનોની વાત કરીએ તો ભારતથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી ટ્રેનો દોડે છે. ભારતથી બાંગ્લાદેશ વચ્ચે ઘણી ટ્રેનો દોડે છે અને બાંગ્લાદેશના વિસ્તારમાં ભારતના ઉપયોગ માટે વધુ બે સ્ટેશનો જોડવામાં આવ્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી એક્સપ્રેસ કોલકાતાથી બાંગ્લાદેશના ઢાકા, બંધન એક્સપ્રેસ કોલકાતાથી બાંગ્લાદેશના ખુલના, મિતાલી એક્સપ્રેસ ભારતના જલપાઈગુડી-સિલિગુડીથી બાંગ્લાદેશના ઢાકા સુધી દોડે છે.

બાંગ્લાદેશ જવા માટે ખાસ વિઝા જરૂરી છે અને વિઝા મંજૂર થયા પછી જ તમે આ ટ્રેનોમાં મુસાફરી કરી શકો છો. આ માટે પાસપોર્ટ અને વિઝા જરૂરી છે અને તમે ટ્રેન રૂટના સ્ટેશન પર જઈને જ તેની ટિકિટ ખરીદી શકો છો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ બે ટ્રેન સેવાઓ છે. એક છે સમજૌતા એક્સપ્રેસ જે દિલ્હી, અટારીથી લાહોર અને બીજી થાર એક્સપ્રેસ જે રાજસ્થાનના ભગત કી કોઠીથી કરાચી જાય છે.

જો કે હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેન સેવા પર પ્રતિબંધ છે. તેથી લોકો મુસાફરી કરી શકતા નથી. આ ટ્રેનોમાં પણ પહેલા વિઝાની પ્રક્રિયા કર્યા પછી જ ટિકિટ બુક કરી શકાય છે.
