Ganesh Chaturthi 2026 : ભારતમાં જ નહી પરંતુ આ દેશમાં પણ ગણેશ ચતુર્થીની થાય છે ઉજવણી, જુઓ ફોટો
Ganesh Chaturthi 2026 : ગણેશ ચતુર્થીના તકે લોકો ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને વિધિ વિધાનથી પુજા-પાઠ કરે છે. પરંતુ આ પર્વ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.

ભારતમાં ગણેશ ચતુર્થીનો પર્વ ખુબ ધામધુમથી સેલિબ્રેટ કરવામાં આવે છે. લોકો આ દિવસે પોતાનું ઘર સજાવે છે. તેમજ ઘરે ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરે છે.સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થી પર્વ મુખ્ય તહેવારોમાંથી એક છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે.

ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન માત્ર ભારત જ નહી પરંતુ અનેક મોટા દેશમાં ધામધુમ, શ્રદ્ધા અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવે છે.

ભારતનો પાડોશી દેશ નેપાળમાં ગણેશ ચતુર્થીનો પર્વ ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદુ ધર્મના લોકો રહે છે. ધર્મ સાથે જોડાયેલા તહેવારો ધામધુમથી ઉજવે છે.કાઠમાંડુ સહિત નેપાળમાં અનેક શહેરોમાં ગણેશ મંદિરોમાં આ અવસરે વિશેષ પુજા-પાઠ કરવામાં આવે છે.

દુનિયાના હિંદુ વસ્તીવાળા દેશમાંથી એક મોરિશયસ છે. જ્યાં ભોજપુરી ભાષા અને ભારતીય મૂળની સાંસ્કૃતિક પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે. અહી લોકો ઘર અને મંદિરોમાં ગણેશ પ્રતિભા સ્થાપિત કરી વિધિ -વિધાનથી પુજા કરે છે. અનેક સ્થળો પર ભજન-કીર્તિન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

ફિઝીમાં ભારતીય મૂળના લોકો લાંબા સમયથી રહે છે. અહી પણ મંદિરો અને સામુદાયિક સ્તર પર ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. ફિઝીમાં પુજાની સાથે ભજન-કીર્તિન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

મલેશિયામાં પણ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. અહી ધામધુમથી ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન કરવામાં આવે છે.

સિંગાપુરમાં અનેક હિંદુ મંદિર છે. અહી ગણેશ ચતુર્થી દરમિયાન ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહી ગણપતિ બપ્પાની પુજા કરવાની સાથે ભજન -કીર્તન પણ કરવામાં આવે છે.

ઈન્ડોનેશિયાના માઉંટ બ્રોમો જ્વાલામુખીના મુહાન પર ભગવાન ગણેશની અંદાજે 700 વર્ષ જુની મૂર્તિ પણ છે. અહીના લોકો તેને પોતાના રક્ષક માને છે. ઈન્ડોનેશિયાના ઈતિહાસ અને સંસ્કૃતિમાં પ્રાચીન ભારતનો ખુબ ઉંડો પ્રભાવ રહ્યો છે.

આ દેશો સિવાય અમેરિકા, કેનેડા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં એક મોટી હિંદુ વસ્તી રહે છે. ગણેશ ચતુર્થીના અવસર પર અહીના મંદિરોમાં વિશેષ ભીડ રહે છે. મંદિરોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. (All Photo: Canva)
ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. અહી ક્લિક કરો
