AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : કોબીજના પાકને બરબાદ કરતી લીલી ઈયળનો સફાયો! મોંઘી દવાઓ છોડો અને અપનાવો આ 5 દેશી ઘરગથ્થુ ઉપાય

કોબીજના પાકમાં ઈયળનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ઈયળ પાન ખાઈને છોડને નુકસાન પહોંચાડે છે. તેનાથી ઉત્પાદન પર અસર થાય છે. કેમિકલ દવાઓના વધુ ઉપયોગને ટાળવા માટે કેટલાક સરળ અને ઘરેલું ઉપાય દ્વારા પણ ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.

| Updated on: Jul 08, 2026 | 12:27 PM
Share
લીમડાનું દ્રાવણ : કોબીજના પાકમાં ઈયળના નિયંત્રણ માટે લીમડાનું દ્રાવણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. 5 લિટર પાણીમાં 50થી 100 મિલી લીમડાનું તેલ અને થોડું સાબુનું લિક્વિડ મિક્સ કરીને છોડ પર છંટકાવ કરો. આ દ્રાવણ ઈયળને દૂર રાખવામાં મદદ કરે છે. (Image Source | iStock)

લીમડાનું દ્રાવણ : કોબીજના પાકમાં ઈયળના નિયંત્રણ માટે લીમડાનું દ્રાવણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. 5 લિટર પાણીમાં 50થી 100 મિલી લીમડાનું તેલ અને થોડું સાબુનું લિક્વિડ મિક્સ કરીને છોડ પર છંટકાવ કરો. આ દ્રાવણ ઈયળને દૂર રાખવામાં મદદ કરે છે. (Image Source | iStock)

1 / 7
લસણ-મરચાંનું દ્રાવણ : લસણ અને લીલા મરચાંનો ઉપયોગ કુદરતી જંતુનાશક તરીકે કરી શકાય છે. 100 ગ્રામ લસણ અને 100 ગ્રામ મરચાં પીસીને 1 લિટર પાણીમાં ભેળવો. તેને ગાળી 5 લિટર પાણીમાં મિક્સ કરીને કોબીજના પાન પર છંટકાવ કરવાથી ઈયળનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે. (Image Source | iStock)

લસણ-મરચાંનું દ્રાવણ : લસણ અને લીલા મરચાંનો ઉપયોગ કુદરતી જંતુનાશક તરીકે કરી શકાય છે. 100 ગ્રામ લસણ અને 100 ગ્રામ મરચાં પીસીને 1 લિટર પાણીમાં ભેળવો. તેને ગાળી 5 લિટર પાણીમાં મિક્સ કરીને કોબીજના પાન પર છંટકાવ કરવાથી ઈયળનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે. (Image Source | iStock)

2 / 7
રાખનો ઉપયોગ: લાકડાની રાખ અથવા ચૂલાની રાખનો ઉપયોગ કોબીજના છોડ પર કરી શકાય છે. વહેલી સવારે પાન પર હળવી રાખ છાંટવાથી ઈયળ અને અન્ય જીવાતોનું નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

રાખનો ઉપયોગ: લાકડાની રાખ અથવા ચૂલાની રાખનો ઉપયોગ કોબીજના છોડ પર કરી શકાય છે. વહેલી સવારે પાન પર હળવી રાખ છાંટવાથી ઈયળ અને અન્ય જીવાતોનું નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

3 / 7
છાશનો છંટકાવ : છાશમાં રહેલા કુદરતી તત્વો કેટલીક જીવાતોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 1 લિટર છાશમાં 5 લિટર પાણી મિક્સ કરીને કોબીજના છોડ પર છંટકાવ કરી શકાય છે. (Image Source | iStock)

છાશનો છંટકાવ : છાશમાં રહેલા કુદરતી તત્વો કેટલીક જીવાતોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 1 લિટર છાશમાં 5 લિટર પાણી મિક્સ કરીને કોબીજના છોડ પર છંટકાવ કરી શકાય છે. (Image Source | iStock)

4 / 7
હળદરનું દ્રાવણ : હળદર ઔષધીય ગુણોનો ભંડાર છે. તેમાં રહેલું મુખ્ય તત્વ કર્ક્યુમિન તેને શક્તિશાળી ઔષધ બનાવે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે. હળદરમાં કુદરતી જીવાણુ વિરોધી ગુણ હોય છે. 2થી 3 ચમચી હળદરને પાણીમાં ભેળવીને કોબીજના પાન પર છંટકાવ કરવાથી જીવાતોના હુમલાને ઓછો કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

હળદરનું દ્રાવણ : હળદર ઔષધીય ગુણોનો ભંડાર છે. તેમાં રહેલું મુખ્ય તત્વ કર્ક્યુમિન તેને શક્તિશાળી ઔષધ બનાવે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે. હળદરમાં કુદરતી જીવાણુ વિરોધી ગુણ હોય છે. 2થી 3 ચમચી હળદરને પાણીમાં ભેળવીને કોબીજના પાન પર છંટકાવ કરવાથી જીવાતોના હુમલાને ઓછો કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

5 / 7
પાકની યોગ્ય સફાઈ અને દેખરેખ રાખવી : ખેતરમાં પાકની યોગ્ય સફાઈ અને દેખરેખ રાખવી જરૂરી હોય છે. સુકાયેલા પાન દૂર કરવા અને નિયમિત રીતે પાકની તપાસણી કરવી જરૂરી છે. સ્વચ્છ ખેતર રાખવાથી ઈયળનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે અને પાકનું રક્ષણ થાય છે. (Image Source | iStock)

પાકની યોગ્ય સફાઈ અને દેખરેખ રાખવી : ખેતરમાં પાકની યોગ્ય સફાઈ અને દેખરેખ રાખવી જરૂરી હોય છે. સુકાયેલા પાન દૂર કરવા અને નિયમિત રીતે પાકની તપાસણી કરવી જરૂરી છે. સ્વચ્છ ખેતર રાખવાથી ઈયળનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે અને પાકનું રક્ષણ થાય છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Farming Tips : ખેડૂત મિત્રો માટે ખાસ ટિપ્સ, ટામેટાંની ઉપજ વધારવા માટે અપનાવો 6 અસરકારક દેશી ઉપાય !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">