AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Ghee : શું દેશી ઘી ખરેખર વજન વધારે છે? નિષ્ણાતો પાસેથી જાણો સત્ય

શું દેશી ઘી ખરેખર વજન વધારે છે? આ પ્રશ્ન ઘણાના મનમાં હોય છે. નિષ્ણાતો જણાવે છે કે ઘીમાં સ્વસ્થ ચરબી અને પોષક તત્વો હોય છે. વજન વધારો ઘીના વધુ પડતા સેવન, કુલ કેલરી અને બેઠાડુ જીવનશૈલી પર આધાર રાખે છે.

| Updated on: May 13, 2026 | 6:44 PM
Share
ભારતીય રસોડામાં દેશી ઘીનું ખાસ સ્થાન છે. ગામડાથી લઈને શહેર સુધી લોકો ઘીને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ઉપયોગમાં લે છે. ગરમ રોટલી પર ઘી, શીરા-હલવો કે દાળમાં ઘીનો વઘાર, આ બધું આપણા ખોરાકનો મહત્વનો ભાગ છે. પરંતુ એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં રહે છે કે શું દેશી ઘી ખરેખર વજન વધારે છે?

ભારતીય રસોડામાં દેશી ઘીનું ખાસ સ્થાન છે. ગામડાથી લઈને શહેર સુધી લોકો ઘીને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ઉપયોગમાં લે છે. ગરમ રોટલી પર ઘી, શીરા-હલવો કે દાળમાં ઘીનો વઘાર, આ બધું આપણા ખોરાકનો મહત્વનો ભાગ છે. પરંતુ એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં રહે છે કે શું દેશી ઘી ખરેખર વજન વધારે છે?

1 / 5
ઘણીવાર લોકો માને છે કે ઘી ખાવાથી ઝડપથી જાડાપણું વધે છે. કારણ કે ઘીમાં ચરબી અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે, તેથી આ માન્યતા સ્વાભાવિક લાગે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હકીકત થોડી અલગ છે.

ઘણીવાર લોકો માને છે કે ઘી ખાવાથી ઝડપથી જાડાપણું વધે છે. કારણ કે ઘીમાં ચરબી અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે, તેથી આ માન્યતા સ્વાભાવિક લાગે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હકીકત થોડી અલગ છે.

2 / 5
દેશી ઘીમાં સ્વસ્થ ચરબી ઉપરાંત વિટામિન A, D, E અને K જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તે ઓમેગા-3 ફેટી એસિડનું પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. યોગ્ય માત્રામાં ઘીનું સેવન શરીરને ઊર્જા આપે છે, પાચન પ્રક્રિયા સુધારે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

દેશી ઘીમાં સ્વસ્થ ચરબી ઉપરાંત વિટામિન A, D, E અને K જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તે ઓમેગા-3 ફેટી એસિડનું પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. યોગ્ય માત્રામાં ઘીનું સેવન શરીરને ઊર્જા આપે છે, પાચન પ્રક્રિયા સુધારે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

3 / 5
કૈલાશ દીપક હોસ્પિટલની કન્સલ્ટન્ટ ડાયેટિશિયન ડૉ. રિચા શર્મા જણાવે છે કે દેશી ઘીને માત્ર વજન વધારનાર ખોરાક તરીકે જોવું યોગ્ય નથી. વજન વધવું કે નહીં તે વ્યક્તિ કેટલી માત્રામાં ઘી લે છે, દિવસભરની કુલ કેલરી કેટલી છે અને તેની જીવનશૈલી કેવી છે તેના પર આધાર રાખે છે.નિષ્ણાતો કહે છે કે જ્યારે શરીર પોતાની જરૂરિયાત કરતાં વધુ કેલરી લે છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે ત્યારે વજન વધે છે. એટલે કે માત્ર ઘી જ વજન વધારવાનું કારણ નથી, પરંતુ અનિયમિત આહાર અને બેસણું જીવન પણ મોટો ભાગ ભજવે છે.

કૈલાશ દીપક હોસ્પિટલની કન્સલ્ટન્ટ ડાયેટિશિયન ડૉ. રિચા શર્મા જણાવે છે કે દેશી ઘીને માત્ર વજન વધારનાર ખોરાક તરીકે જોવું યોગ્ય નથી. વજન વધવું કે નહીં તે વ્યક્તિ કેટલી માત્રામાં ઘી લે છે, દિવસભરની કુલ કેલરી કેટલી છે અને તેની જીવનશૈલી કેવી છે તેના પર આધાર રાખે છે.નિષ્ણાતો કહે છે કે જ્યારે શરીર પોતાની જરૂરિયાત કરતાં વધુ કેલરી લે છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે ત્યારે વજન વધે છે. એટલે કે માત્ર ઘી જ વજન વધારવાનું કારણ નથી, પરંતુ અનિયમિત આહાર અને બેસણું જીવન પણ મોટો ભાગ ભજવે છે.

4 / 5
જો ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે અને સાથે નિયમિત કસરત તથા સંતુલિત આહાર જાળવવામાં આવે, તો તે મોટાભાગના સ્વસ્થ લોકો માટે નુકસાનકારક નથી. હકીકતમાં, યોગ્ય માત્રામાં લેવાયેલું દેશી ઘી શરીરને અનેક રીતે ફાયદો પણ પહોંચાડી શકે છે. કહી શકાય કે દેશી ઘી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. સાચી માત્રા, સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલી જ સ્વસ્થ રહેવાનો સાચો માર્ગ છે.

જો ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે અને સાથે નિયમિત કસરત તથા સંતુલિત આહાર જાળવવામાં આવે, તો તે મોટાભાગના સ્વસ્થ લોકો માટે નુકસાનકારક નથી. હકીકતમાં, યોગ્ય માત્રામાં લેવાયેલું દેશી ઘી શરીરને અનેક રીતે ફાયદો પણ પહોંચાડી શકે છે. કહી શકાય કે દેશી ઘી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. સાચી માત્રા, સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલી જ સ્વસ્થ રહેવાનો સાચો માર્ગ છે.

5 / 5

ટોયલેટ સીટ કરતાં પણ 3000 વધારે કીટાણુ હોય છે વ્યક્તિના આ બોડી પાર્ટમાં

Follow Us
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
g clip-path="url(#clip0_868_265)">