દુનિયાના સૌથી અમીર અને તાકાતવાન ગણાતા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈ અધ્યક્ષ નહિ રહેશે. બીસીસીઆઈની મંગળવારના રોજ યોજાનારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. રિપોર્ટની વાત માનીએ તો સૌરવ ગાંગુલીને આઈપીએલ ચેરમેન બનાવવાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. (PC-PTI)
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ચીફની ખુરશી પર પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડી રોજર બન્ની આવી શકે છે. નવા બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે
રિપોર્ટ મુજબ જય શાહ સચિવ પદ પર રહેશે. આ સિવાય બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલ પણ બોર્ડમાંથી દુર થઈ શકે છે. તેના સ્થાન પર આશિષને કમાન મળી શકે છે.
અહેવાલોનું માનીએ તો અરુણ ધુમલને આઈપીએલના ચેરમેન બનાવી શકે છે. ધૂમલ ચેરમેન રાજીવ શુકલાનું સ્થાન લઈ શકે છે.દ્વજિત સૈકિયાને BCCIના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈની એજીએમ 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હશે. તે બેઠક પહેલા મુંબઈમાં બીસીસીઆઈના અધિકારીઓની એક બેઠક યોજાઈ રહી છે જેમાં આ તમામ મુદ્દાઓ પર સહમતિ સાધવામાં આવશે.