Kitchen Tips : બળી ગયેલા વાસણમાં લાવો ફરી નવા જેવી ચમક, આ ટીપ્સથી વાસણ થઈ જશે ચકચકાટ
રસોડાના કેટલાક વાસણો જે જમાવાનું બનાવતા ક્યારેક બળી જાય છે અને ડાઘ પડી જાય છે. તે ડાઘ હટાવી શકાતા નથી. તે પછી ચાના વાસણ હોય કે પછી જમવાનું બનાવતા હોય તે કૂકર કે તપેલી સહિતના વાસણો હોય છે જેના પર કાળા કે કથ્થાઈ ડાઘ પડી ગયા હોય છે.

ભારતીય ઘરોમાં રસોડું ઘણું મહત્વનું છે. દરેક ભારતીય મહિલા હંમેશા પોતાના ઘરના રસોડાને ચમકદાર રાખવા માંગે છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ રસોડાના કેટલાક વાસણો જે જમાવાનું બનાવતા ક્યારેક બળી જાય છે અને ડાઘ પડી જાય છે. તે ડાઘ હટાવી શકાતા નથી. તે પછી ચાના વાસણ હોય કે પછી જમવાનું બનાવતા હોય તે કૂકર કે તપેલી સહિતના વાસણો હોય છે જેના પર કાળા કે કથ્થાઈ ડાઘ પડી ગયા હોય છે.

આ એટલા માટે થાય છે કે વારંવાર આ વાસણોનો ઉપયોગ જમવાનુ બનાવવા માટે થાય છે આથી તે વાસણનો નીચેનો ભાગ બળી જાય છે. આટલું જ નહીં, કેટલીકવાર વાસણની અંદર ડાઘા જોવા મળે છે, જેને ઘસી ઘસીને દમ નિકળી જવા છત્તા તે ડાઘા દૂર નથી કરી શકાતા જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. આ વસ્તુઓના ઉપયોગથી તમે તમારા વાસણ ચમકાવી શકો છો.

ખાવાનો સોડા : જો કે ખાવાના સોડાનો ઉપયોગ ખાવામાં થાય છે, તમે તેનો ઉપયોગ વાસણને સાફ કરવા માટે પણ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ વાસણની આસપાસ સોડા નાખીને પાંચ મિનિટ માટે આ રીતે રહેવા દો. હવે તેને ડીશવોશર અને પાણીથી સાફ કરો. તેનાથી વાસણોમાંથી ગંદકી સાફ થઈ જશે.

વાસણ પર લીંબુ ઘસો : જો તમે ગંદા વાસણ પર લીંબુ ઘસો છો, તો તે વાસણને ઝડપથી સાફ કરે છે. જો કોઈ વાર જમવાનું બનાવતા તપેલી બળી જાય તો લીંબુથી સાફ કરો. જો તમે પણ આ નુસખા અપનાવવા માંગતા હોવ તો અડધુ લીંબુ કાપીને બળી ગયેલા વાસણ પર ઘસો. હવે તેમાં ગરમ પાણી ઉમેરીને છોડી દો. તેનાથી વાસણની કાળાશ દૂર થઈ જશે.

વિનેગર : બળી ગયેલી વાસણને સાફ કરવા માટે તેમાં વિનેગર અને ખાવાનો સોડા મિક્સ કરો અને થોડીવાર માટે છોડી દો. તેનાથી તમારા વાસણો થોડા જ સમયમાં સાફ થઈ જશે.

મીઠું : જો ચા કે દૂધ કે કોઈ વાસણ બળી જાય તો તેમાં 2 ચમચી મીઠું નાખો અને પછી કડાઈમાં પાણી ભરો અને લિક્વિડ ડીશવોશર સાબુનું પાણી ઉમેરો અને તે વાસણ હળવુ ગરમ કરો. હવે તેને એક કલાક આ રીતે રાખ્યા બાદ તેને કૂચા વડે સાફ કરો.

































































