સાળંગપુરથી રિટર્ન અમદાવાદ-સુરત બાજુ આવવા માટે ચાલે છે આ ‘મહુવા’ ટ્રેન
લોકો સાળંગપુર દાદાના દર્શને કે બોટાદ બાજુ ફરવા માટે જતા હોય છે. તો તેમના માટે પાછા આવવા માટે પણ એક સારી ટ્રેન ચાલે છે. જે તમને રાજુલા, દામનગર, અમદાવાદ થઈને સુરત પહોંચાડે છે.

બોટાદ-સાળંગપુરથી સાઉથ ગુજરાત જવા માટે એક સરસ ટ્રેન ચાલે છે. ટ્રેન નંબર - 20956 મહુવાથી સુરત જતી ટ્રેન રસ્તામાં કુલ 15 જેટલા સ્ટોપેજ લે છે.

Mahuva Surat Sf 20956 Train મહુવાથી 19:15 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 06:35 વાગ્યે સુરત પહોંચાડે છે. આ દરમિયાન આ ટ્રેન અંદજિત 630 KM જેટલું અંતર કાપે છે.

મહુવા જંક્શનથી ઉપડતી આ ટ્રેન રાજુલા, સાવરકુંડલા, લિલિયા મોટા, દામનગર, ઢસા, ઢોલા, નિંગાળા, બોટાદ, લિમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને સુરત સ્ટોપજ લે છે.

આ ટ્રેન બોટાદ 22:25 કલાકે તેમજ અમદાવાદ 02:15 વાગ્યે પહોંચે છે અને વડોદરા 04:14 કલાકે તેમજ સુરત 06:35 વાગ્યે પહોંચાડે છે. આમ આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજિત સાડા 11 કલાક જેટલો સમય લે છે.

Mahuva Surat Sf 20956 Train અઠવાડિયામાં સોમવારે, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે. તેમાં કોચ 1A, 2A, 2S, 3A, SL કોચ ઉપલબ્ધ છે.

































































