AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duleep Trophy : કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઈનલમાંથી બહાર, જાણો શું છે કારણ

દુલીપ ટ્રોફીની ફાઇનલ પહેલા કેએલ રાહુલને લઈને મોટો ખુલાસો થયો છે. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ફાઇનલમાં રમશે નહીં, જ્યારે દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાજ ટીમ માટે ઉપલબ્ધ રહેશે. હવે રાહુલની ગેરહાજરી પાછળનું કારણ શું છે, તેને લઈને ચર્ચા શરૂ છે.

| Updated on: Sep 05, 2026 | 5:01 PM
Share
દુલીપ ટ્રોફીની ફાઇનલ 6 સપ્ટેમ્બરના રોજ રમાશે, જેમાં સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ ફાઇનલ પહેલા જણાવ્યું હતું કે કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઇનલમાં રમશે નહીં.

દુલીપ ટ્રોફીની ફાઇનલ 6 સપ્ટેમ્બરના રોજ રમાશે, જેમાં સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ ફાઇનલ પહેલા જણાવ્યું હતું કે કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઇનલમાં રમશે નહીં.

1 / 5
કેએલ રાહુલની ગેરહાજરીના સમાચારની પુષ્ટિ કરતા, તિલક વર્માએ જણાવ્યું કે તે ટીમમાં નથી. દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિલક વર્માએ આ જાહેરાત કરી હતી. જોકે, તેણે દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાજના રમવાની પુષ્ટિ કરી હતી.

કેએલ રાહુલની ગેરહાજરીના સમાચારની પુષ્ટિ કરતા, તિલક વર્માએ જણાવ્યું કે તે ટીમમાં નથી. દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિલક વર્માએ આ જાહેરાત કરી હતી. જોકે, તેણે દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાજના રમવાની પુષ્ટિ કરી હતી.

2 / 5
પહેલા એવા અહેવાલ હતા કે કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પડિકલ અને સિરાજ સાથે રમશે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમનારા આ ત્રણેય ખેલાડીઓ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. જોકે, કેએલ રાહુલ તે યાદીમાં નથી.

પહેલા એવા અહેવાલ હતા કે કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પડિકલ અને સિરાજ સાથે રમશે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમનારા આ ત્રણેય ખેલાડીઓ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. જોકે, કેએલ રાહુલ તે યાદીમાં નથી.

3 / 5
દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્માએ કહ્યું કે તેઓ દુલીપ ટ્રોફી ફાઇનલ માટે એક ઓફ સ્પિનરને મેદાનમાં ઉતારી શકે છે. ઈસ્ટ ઝોનની ટીમમાં ત્રણ ડાબા હાથના બેટ્સમેનો હોવાના કારણે તેમણે આ નિર્ણય લીધો હતો.

દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્માએ કહ્યું કે તેઓ દુલીપ ટ્રોફી ફાઇનલ માટે એક ઓફ સ્પિનરને મેદાનમાં ઉતારી શકે છે. ઈસ્ટ ઝોનની ટીમમાં ત્રણ ડાબા હાથના બેટ્સમેનો હોવાના કારણે તેમણે આ નિર્ણય લીધો હતો.

4 / 5
તિલક વર્માએ જણાવ્યું હતું કે મેચ પહેલા વિકેટનું નિરીક્ષણ કર્યા પછી તેઓ તેમની ટીમ કોમ્બિનેશન અંગે અંતિમ નિર્ણય લેશે. જ્યાં સુધી ઓફ સ્પિનરની વાત છે તો તિરુપુરાણા વિજય રમશે તે નક્કી છે. (PC: PTI)

તિલક વર્માએ જણાવ્યું હતું કે મેચ પહેલા વિકેટનું નિરીક્ષણ કર્યા પછી તેઓ તેમની ટીમ કોમ્બિનેશન અંગે અંતિમ નિર્ણય લેશે. જ્યાં સુધી ઓફ સ્પિનરની વાત છે તો તિરુપુરાણા વિજય રમશે તે નક્કી છે. (PC: PTI)

5 / 5

IND vs PAK: 100 છગ્ગા અને વર્લ્ડ રેકોર્ડ… સ્મૃતિ મંધાના ડબલ ધમાલ મચાવવા તૈયાર, પાકિસ્તાન મુશ્કેલીમાં!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">