કે એલ રાહુલ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.
IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો
રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:46 pm
740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ
એવું લાગે છે કે નસીબ ભારતીય ક્રિકેટ ટીમની વિરુદ્ધ થઈ ગયું છે. રાયપુર ODI માં ટીમ ઈન્ડિયા સાથે ફરીવાર એ જ થયું જે છેલ્લા 740 દિવસથી તેમની સાથે થઈ રહ્યું છે. 740 દિવસથી ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે. અને સાથે જ શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 7:30 pm
IND vs SA: ટીમ ઈન્ડિયાને પરેશાન કરતી નબળાઈનો કેપ્ટન કેએલ રાહુલ પાસે નથી કોઈ જવાબ
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા કેએલ રાહુલને મીડિયા દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં તાજેતરની ટેસ્ટ શ્રેણીની હારનો પણ સમાવેશ થાય છે. આ હારનું એક સૌથી મોટું કારણ ટીમ ઈન્ડિયાની ચાલી રહેલી સમસ્યા હતી, જેનો કોઈ ઉકેલ દેખાતો નથી, અને કેપ્ટન રાહુલ પાસે કોઈ જવાબ પણ હાલમાં આ સમસ્યાનો કોઈ જવાબ નથી.
- Smit Chauhan
- Updated on: Nov 29, 2025
- 5:33 pm
IND vs SA: રાંચી વનડેના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે કરી મોટી જાહેરાત
કેએલરાહુલ ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચના એક દિવસ પહેલા કેએલ રાહુલે પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ પોઝિશન અંગે પોતાના વિચારો અને નિર્ણયો જાહેર કર્યા. તેણે પંત-ગાયકવાડના રમવા વિશે મોટી વાત કહી હતી.
- Smit Chauhan
- Updated on: Nov 29, 2025
- 4:24 pm
KL Rahul : આફ્રિકન સ્પિનરની મેજિકલ બોલ પર કેએલ રાહુલ થયો ક્લીન બોલ્ડ, બનાવ્યો શરમજનક રેકોર્ડ
ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સિમોન હાર્મરે કેએલ રાહુલને જાદુઈ બોલિંગથી આઉટ કર્યો. આ બોલિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુવાહાટી ટેસ્ટમાં રાહુલની નિષ્ફળતાએ તેના નામે વધુ એક શરમજનક રેકોર્ડ ઉમેર્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 25, 2025
- 6:51 pm
Breaking News : વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત, કે એલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો
ભારતીય ટીમ વનડે સીરિઝમાં કેપ્ટન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરશે. જેમને સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. જેમાં 3 મેચ રમાશે.
- Nirupa Duva
- Updated on: Nov 24, 2025
- 10:20 am
IND vs SA: કેએલ રાહુલની એક મોટી ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી, 66 રનનું થયું નુકસાન
દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ મેચની શરૂઆત મજબૂત શરૂઆત સાથે કરી હતી. મેચના પહેલા બે સત્રો દક્ષિણ આફ્રિકા માટે મજબૂત હતા. કેએલ રાહુલની એક ભૂલ ટીમ માટે મોંઘી સાબિત થઈ, જેના પરિણામે ટીમ ઈન્ડિયાને 66 રનનું નુકસાન થયું હતું.
- Smit Chauhan
- Updated on: Nov 22, 2025
- 3:45 pm
IND vs SA: કોલકાતા ટેસ્ટમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેપ્ટન શુભમન ગિલ સહિત 9 ભારતીય ખેલાડીઓ કરશે ડેબ્યૂ
શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચમાં એક અનોખો નજારો જોવા મળશે. આ મેચમાં નવ ભારતીય ખેલાડીઓ પોતાનું ડેબ્યૂ કરશે.
- Smit Chauhan
- Updated on: Nov 13, 2025
- 5:24 pm
IND vs AUS: પહેલી વનડેમાં રોહિત-વિરાટનું સ્થાન કન્ફર્મ, બીજા કોને મળશે તક ? આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs AUS પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં નક્કી જ છે. જાણો પહેલી વનડેમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Oct 18, 2025
- 4:48 pm
KL Rahul: KL રાહુલ બની શકે છે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન, કરોડો રૂપિયાનો થશે વરસાદ!
કેએલ રાહુલ ગયા વર્ષે લખનૌથી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો, અને હવે એવા અહેવાલો છે કે તે ફરી એકવાર ટીમ બદલી શકે છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 10:17 pm
IND vs WI: KL રાહુલ બન્યો ‘અમ્પાયર’! ખેલાડીઓ પેવેલિયન પરત જવા લાગ્યા, જુઓ Video
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાં અમ્પાયરોને મૂંઝવણમાં મૂકી દીધા હતા.
- Ravi Prajapati
- Updated on: Oct 12, 2025
- 8:38 pm
અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહની દમદાર બોલિંગ, રાહુલની મજબૂત ફિફ્ટી
ટીમ ઈન્ડિયાના હોમ સિઝનની શરૂઆત અમદાવાદમાં ટેસ્ટ મેચ સાથે થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી તમને મજૂબત સ્થિતિમાં મૂકી દીધું હતું. ફાસ્ટ બોલર સિરાજ અને બુમરાહ પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માટે હીરો રહ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે મજબૂત ફિફ્ટી ફટકારી હતી.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2025
- 7:14 pm
BCCIના આદેશનો ખુલ્લેઆમ વિરોધ, KL રાહુલ અને મોહમ્મદ સિરાજને આ ટીમમાં સ્થાન નહીં મળે
ભારતીય ક્રિકેટની સ્થાનિક સિઝન 28 ઓગસ્ટથી દુલીપ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ સાથે શરૂ થઈ રહી છે. તેમાં 6 ઝોનની ટીમો ભાગ લેશે, જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓ પણ ભાગ લેશે. પરંતુ કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ તેમાં રમશે નહીં.
- Smit Chauhan
- Updated on: Aug 23, 2025
- 8:36 pm
Asia Cup 2025 : IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં આ 5 ખેલાડીઓએ નહીં મળે ટીમ ઈન્ડિયામાં સ્થાન?
T20 વર્લ્ડ કપ 2026ને કારણે એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ચાહકોના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે એશિયા કપ ટીમમાં કોણ ખેલાડીઓનો સમાવેશ થશે. આ ભારતીય ખેલાડીઓમાંથી કેટલાક એવા હોઈ શકે છે જેમણે IPL 2025માં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેમ છતાં તેમને એશિયા કપ માટે તક મળશે નહીં. આવા 5 ખેલાડીઓ વિશે જાણો.
- Smit Chauhan
- Updated on: Sep 1, 2025
- 6:14 pm
IND vs ENG : ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટનની કરી જાહેરાત, શ્રેણીની વચ્ચે આ ખેલાડીનું બદલાયું નસીબ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લીધો છે અને અનુભવી બેટ્સમેનને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપી છે.
- Smit Chauhan
- Updated on: Jul 31, 2025
- 6:21 pm