AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કે એલ રાહુલ

કે એલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.

Read More

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે?

IPLમાં વિકેટકીપર બેટ્સમેનોએ હંમેશા ટીમ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તાજેતરમાં રિષભ પંતે SRH સામે 68 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી. આ સાથે IPLમાં સૌથી વધુ 50+ રન બનાવનાર વિકેટકીપર તરીકે પંતે દિનેશ કાર્તિકની બરાબરી કરી હતી. જાણો IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે.

Breaking News: IPLનો શ્રેષ્ઠ ફિલ્ડર, છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત એક જ કેચ છોડ્યો, જાણો કોણ છે ટોપ 5 માં

IPLમાં છગ્ગા-ચોગ્ગા અને વિકેટની વધુ ચર્ચા થતી હોય છે, પરંતુ ફિલ્ડિંગ પણ મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક કેચ મેચનું પરિણામ બદલી શકે છે. શું તમે જાણો છો કે IPLમાં કયા ખેલાડીની કેચિંગ એવરેજ શ્રેષ્ઠ છે? ચાલો જાણીએ કે 2022 થી 2026 સુધી શ્રેષ્ઠ કેચર રહેનાર ખેલાડી કોણ છે.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

Breaking News : એક સ્થાન અને ચાર દાવેદાર, ODI વર્લ્ડ કપ 2027 માટે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ટક્કર

T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય 2027 માં વર્લ્ડ કપ જીતવાનું છે. 2027 નો વર્લ્ડ કપ હજુ દોઢ વર્ષ દૂર છે, બધા ખેલાડીઓ હાલમાં IPL માં વ્યસ્ત છે, છતાં 2027ના વર્લ્ડ કપની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. જેમાં ટીમ કોમ્બિનેશનમાં એક સ્થાન માટે ચાર-ચાર ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા અત્યારથી જ શરુ થઈ ગઈ છે.

Breaking News : 100 થી વધુ મેચ રમ્યા છતાં એક પણ વાર IPL ટ્રોફી જીતી નથી શક્યા આ 10 કમનસીબ ક્રિકેટરો

IPL ઇતિહાસમાં કેટલાક એવા નામ છે જે રેકોર્ડ તોડવાના રેકોર્ડની વાત આવે ત્યારે તાજ વગરના રાજા હોય છે, પરંતુ જ્યારે ટ્રોફી વિજેતાઓની વાત આવે છે, ત્યારે તેમનો સમાવેશ થતો નથી. IPL ની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે. તે પહેલા, અમે તમને એવા 10 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે 100 થી વધુ મેચ રમ્યા છતાં, એક પણ IPL ટ્રોફી જીતી નથી.

IPLમાં ધીમી સદી ફટકારનારા 5 બેટ્સમેન, જાણો લિસ્ટમાં કેટલા ભારતીયો સામેલ છે

Slowest Centuries in IPL: T20 ક્રિકેટનો એક અલગ જ જોશ છે. પરંતુ તેમા IPL વધુ જોશ ઉમેરે છે. કોઈ ટીમ 20 ઓવરોમાં 250 બનાવે છે તો કોઈ ટીમ 262 નો ટાર્ગેટ પણ ચેસ કરી લે છે. આ બધી બાબતો અવિશ્વસનીય લાગે છે. T20 ક્રિકેટમાં બધું જ ખૂબ ઝડપથી થાય છે, પરંતુ અહિયાં અમુક એવા ખેલાડીઓ છે જેમણે કાચબાની ચાલે સદી ફટકારી છે. તો ચાલો જાણીએ કોણ છે એ 5 ખેલાડીઓ, જેના નામે IPLની સૌથી ધીમી સદી ફટકારવાનો રેકોર્ડ છે.

Breaking News: IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, કેએલ રાહુલને સોંપી મોટી જવાબદારી

દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલની ભૂમિકા અંગે એક મોટો નિર્ણય લીધો છે. IPL 2026 માં કેએલ રાહુલ કયા નંબર પર રમશે તે પહેલાથી જ નક્કી થઈ ગયું છે. ચાલો આ નિર્ણય પાછળનું કારણ જાણીએ.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની મનપસંદ RCB ની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમણે અલગ-અલગ સિઝનમાં RCB માટે યાદગાર પ્રદર્શન કર્યું હતું. ટીમ જાહેર થયા પછી ક્રિકેટ ચાહકોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન

BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.

KL Rahul Century: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે દમદાર સદી ફટકારી આપ્યો જવાબ

ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી ન થનાર સ્ટાર ભારતીય ખેલાડીએ સદી ફટકારી જોરદાર જવાબ આપ્યો છે. સ્ટાર બેટ્સમેને સંયમ અને સમજદારીથી બેટિંગ કરી સદી ફટકારી અને પોતાની ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેની 24 મી સદી છે.

IND vs PAK T20 WC Breaking : ‘હું ઈચ્છું છું કે પાકિસ્તાન…’ સુનિલ શેટ્ટીએ T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર શું કહ્યું?

20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાનના નિર્ણયને કારણે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. IND vs PAK મેચ અંગે KL રાહુલના સસરા અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ હવે આ મુદ્દે પાકિસ્તાનને એક સલાહ આપી છે.

ભારતીય ટીમ માટે ખતરાની ઘંટી! મિડલ ઓર્ડર બેટ્સમેન સતત બે ઇનિંગ્સમાં રહ્યો ‘ફ્લોપ’, શું ન્યુઝીલેન્ડ સામે પણ આવું જ પ્રદર્શન કરશે?

ભારતીય ટીમ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. જો કે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

5 એવા કેપ્ટન જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ ટી20 મેચ હાર્યું નથી, આ દિગ્ગજો છે લિસ્ટમાં

એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી ચૂકયા છે. આ ફોર્મેટમાં ખુબ સફળ પણ રહ્યા છે પરંતુ આજે અમે તમનેએ ખેલાડીઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

ટીમ ઈન્ડિયાના ધુરંધર, બાહુબલી, સૈયારા, દબંગ અને દિલદાર કોણ છે? યશસ્વી જયસ્વાલે કર્યો ખુલાસો

"ધુરંધર" ફિલ્મ વિશે તો બધાએ સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાનો ધુરંધર કોણ છે? સૈયારા, દબંગ કે બાહુબલી કોણ છે? યશસ્વી જયસ્વાલે એક પછી એક તેમના નામ જાહેર કર્યા છે.

IND vs SA : સતત 20 વનડેમાં હાર બાદ આખરે જીત્યું ભારત, 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો

વોશિંગ્ટન સુંદર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જેણે ફક્ત ચાર મેચ રમી છે. આ વનડેમાં ભારતે 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">