AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કે એલ રાહુલ

કે એલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.

Read More

Duleep Trophy : કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઈનલમાંથી બહાર, જાણો શું છે કારણ

દુલીપ ટ્રોફીની ફાઇનલ પહેલા કેએલ રાહુલને લઈને મોટો ખુલાસો થયો છે. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ફાઇનલમાં રમશે નહીં, જ્યારે દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાજ ટીમ માટે ઉપલબ્ધ રહેશે. હવે રાહુલની ગેરહાજરી પાછળનું કારણ શું છે, તેને લઈને ચર્ચા શરૂ છે.

વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !

ટીમ ઈન્ડિયાએ ODI 2027 વર્લ્ડ કપ માટે બેકઅપ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. સૌથી મોટી ચિંતા મિડલ ઓર્ડરની છે. જ્યાં શ્રેયસ અય્યરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. TOI ના અહેવાલ મુજબ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માને છે કે હાલમાં મુખ્ય ટુર્નામેન્ટમાં કોઈ વિશ્વસનીય મિડલ ઓર્ડર બેકઅપ નથી.

IND vs SL: 60 રનનું નુકસાન… કેએલ રાહુલની એક ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી

ગાલે ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ અચાનક નબળી પડી ગઈ. કેએલ રાહુલે એક એવી મોટી ભૂલ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાને 60 રનનું મોટું નુકસાન થયું હતું. આ ભૂલના કારણે આસાન જીત તરફ આગળ વધુ રહેલી ટીમ ઈન્ડિયા માટે જીતની રાહ થોડી મુશ્કેલ બની ગઈ.

IND vs SL: શું કેએલ રાહુલ પહેલી ઇનિંગમાં ફરી બેટિંગ કરી શકશે? જાણો ક્રિકેટમાં રિટાયર્ડ હર્ટ નિયમ શું કહે છે

IND vs SL: ગાલે ટેસ્ટ મેચના પહેલા દિવસે કેએલ રાહુલને શરીરમાં ખેંચાણ થયું. તે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે તેના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યા. જોકે મોટો સવાલ એ છે કે શું રાહુલ ફરી આ મેચમાં બેટિંગ કરી શકશે? જાણો રિટાયર્ડ હર્ટ નિયમ શું કહે છે.

IND vs SL: પડિકલની સદી, રાહુલની ફિફ્ટી… ભારતીય બેટ્સમેનોએ બતાવ્યો કલાસ, શ્રીલંકન બોલરો વિકેટ માટે તરસ્યા

ભારત-શ્રીલંકા ગાલે ટેસ્ટનો પહેલો દિવસ ભારતના નામે રહ્યો હતો. દેવદત્ત પડિકલ અને કેએલ રાહુલે દમદાર ઇનિંગ રમી હતી. જેના કારણે શ્રીલંકા ફક્ત બે જ વિકેટ લઈ શક્યું અને ભારતે મોટો સ્કોર બનાવ્યો. જોકે વરસાદના કારણે મેચમાં ઓછી ઓવર ફેંકાઈ હતી.

IND vs SL: કેએલ રાહુલને અચાનક શું થયું? ચાલુ મેચમાં રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો

ગાલે ટેસ્ટના પહેલા દિવસના અંતિમ સેશનમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તે 77 રન પર રમી રહ્યો હતો અને સદીની નજીક પહોંચી રહ્યો હતો એવામાં અચાનક એવું શું થયું કે રાહુલે મેદાન છોડવું પડ્યું, ચાલો જાણીએ.

Breaking News : શ્રીલંકામાં અચાનક બદલ્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, શુભમન ગિલ પર BCCIએ આપ્યું મોટું અપડેટ

Ind vs SL Warm Up Match : ભારત અને શ્રીલંકા ક્રિકેટ વચ્ચે પ્રેક્ટિસ મેચની શરુઆત થઈ ચૂકી છે. પરંતુ આ મેચમાં શુભમન ગિલના સ્થાને કે.એલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.

IND vs SL : 170 રન બનાવતા જ કેએલ રાહુલ રચશે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી કેએલ રાહુલ માટે ખાસ બની શકે છે. રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાથી માત્ર 170 રન દૂર છે. જો તે આ રન બનાવી લેશે તો તે એક એવી ખાસ સિદ્ધિ હાંસલ કરશે, જે આજ સુધી કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો નથી.

6 ઈનિંગમાં ફક્ત 93 રન…વિદેશમાં રમાયેલી છેલ્લી 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી રહ્યો સુપર ફ્લોપ

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી હારી ગઈ. ઓસ્ટ્રેલિયામાં પણ ટીમનું આવું જ પરિણામ આવ્યું, અને શ્રીલંકામાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થયો. આ ત્રણ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે ત્રણેય શ્રેણીમાં સૌથી ઓછા રન બનાવનાર અને સૌથી ફ્લોપ રહેનાર ખેલાડીની કોઈ ટીકા કે ચર્ચા જ નથી થઈ રહી.

IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મુકાબલામાં 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી તોડશે હાર્દિક-રોહિત-રાહુલના મોટા રેકોર્ડ?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણીમાં તમામની નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે. જો તેને ડેબ્યૂ કરવાની તક મળે, તો તે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને કેએલ રાહુલના કેટલાક મોટા T20 રેકોર્ડ તોડી શકે છે. તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે આ રેકોર્ડ તૂટવાણી પૂરી શક્યતા છે.

Breaking News: ધર્મશાલામાં બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જાણો કોણ લીધું વિરાટ કોહલીનું સ્થાન?

ટીમ ઈન્ડિયા ભારત vs અફઘાનિસ્તાન શ્રેણી વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ વિના રમી રહી છે. પરિણામે, તેમના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ધર્મશાલામાં પહેલી વનડે મેચમાં બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે એક અનુભવી ખેલાડી વિરાટ કોહલીના સ્થાને બેટિંગ કરશે.

Breaking News: ટીમ ઈન્ડિયાએ પહેલા જ દિવસે અફઘાનિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં પાઠ ભણાવ્યો, ત્રણ ભૂલો ભારે પડી

IND vs AFG Test : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુરમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો પહેલો દિવસ ભારતની તરફેણમાં રહ્યો, જેમાં કેએલ રાહુલ અને શુભમન ગિલે સદી ફટકારી. અફઘાનિસ્તાનને તેની ત્રણ મોટી ભૂલો આ મેચના પહેલા દિવસે ભારે પડી.

Breaking News: સદી ફટકાર્યા બાદ તૂટી ગયું કેએલ રાહુલનું દિલ, 12 મહિનામાં ત્રીજી વખત થઈ આ ભૂલ

કેએલ રાહુલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો, પરંતુ બીજા જ બોલ પર રાહુલનું દિલ તૂટી ગયું હતું. 12 મહિનામાં ત્રીજી વખત રાહુલે આ ભૂલ કરી હતી.

Breaking News: IPL 2026 માં 31 છગ્ગા, 174 ના સ્ટ્રાઈક રેટથી 593 રન, છતાં ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો

કર્ણાટકની મહારાજા T20 ટ્રોફી માટે યોજાયેલી હરાજીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ ચર્ચામાં રહ્યું કારણ કે તે અનસોલ્ડ રહ્યો. IPL 2026માં 593 રન અને શાનદાર સ્ટ્રાઈક રેટ હોવા છતાં કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. મોટો સવાલ એ છે કે સ્ટાર ખેલાડી માટે કોઈએ બોલી કેમ ન લગાવી? ચાલો જાણીએ.

Breaking News: 193 દિવસની રાહ પૂરી… ટીમ ઈન્ડિયા તૈયાર, 8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય ચાહકો અને તેમ માટે ખૂબ જ ખાસ રહેશે. 193 દિવસ બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમશે.

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">