IND vs SL : હાર્દિક પંડ્યા નહીં આ ખેલાડીને કોચ ગૌતમ ગંભીર બનાવશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!

ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ મોટાભાગના લોકો હાર્દિક પંડ્યા જ આપશે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમનો વાઈસ કેપ્ટન હતો. તેણે શાનદાર પ્રદર્શન કરીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું અને હવે જ્યારે રોહિત શર્માએ T20 ફોર્મેટ છોડી દીધું છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પંડ્યા તેનું સ્થાન લેવા જઈ રહ્યો છે. પરંતુ આ એટલું સરળ નથી. પંડ્યા ચોક્કસપણે આ રેસમાં સૌથી આગળ છે પરંતુ અત્યારે એ કહેવું યોગ્ય નથી કે તે જ આ રેસ જીતવા જઈ રહ્યો છે.

| Updated on: Jul 15, 2024 | 7:42 PM
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ વિજય મેળવ્યો હતો અને હવે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર T20 શ્રેણી રમવાની છે. આ સિરીઝ પહેલા સૌથી મોટો સવાલ એ છે કે T20 ટીમની કેપ્ટનશીપ કોણ કરશે?

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ વિજય મેળવ્યો હતો અને હવે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર T20 શ્રેણી રમવાની છે. આ સિરીઝ પહેલા સૌથી મોટો સવાલ એ છે કે T20 ટીમની કેપ્ટનશીપ કોણ કરશે?

1 / 5
હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે પરંતુ તેનો નિર્ણય નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર છોડી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે નિર્ણય લેવામાં આવશે. BCCIના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ તમામ મુદ્દાઓ પર ગંભીર અને મુખ્ય પસંદગીકારો વચ્ચે ટૂંક સમયમાં ચર્ચા થશે.

હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે પરંતુ તેનો નિર્ણય નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર છોડી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે નિર્ણય લેવામાં આવશે. BCCIના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ તમામ મુદ્દાઓ પર ગંભીર અને મુખ્ય પસંદગીકારો વચ્ચે ટૂંક સમયમાં ચર્ચા થશે.

2 / 5
શ્રીલંકા પ્રવાસ પર T20 સિરીઝની સાથે ODI સિરીઝ પણ રમાવાની છે. શક્ય છે કે રોહિત આ સિરીઝમાં નહીં રમે, તો આવી સ્થિતિમાં કેપ્ટન કોણ કરશે તે એક સવાલ છે. થોડા દિવસો પહેલા કેએલ રાહુલનું નામ ODIની કેપ્ટનશીપ માટે સામે આવ્યું હતું પરંતુ BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી કંઈ નક્કી નથી થયું.

શ્રીલંકા પ્રવાસ પર T20 સિરીઝની સાથે ODI સિરીઝ પણ રમાવાની છે. શક્ય છે કે રોહિત આ સિરીઝમાં નહીં રમે, તો આવી સ્થિતિમાં કેપ્ટન કોણ કરશે તે એક સવાલ છે. થોડા દિવસો પહેલા કેએલ રાહુલનું નામ ODIની કેપ્ટનશીપ માટે સામે આવ્યું હતું પરંતુ BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી કંઈ નક્કી નથી થયું.

3 / 5
ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા અહેવાલ મુજબ, BCCIના એક અધિકારીએ કહ્યું, 'હજી સુધી કંઈ નક્કી નથી થયું. ટીમ ઈન્ડિયા ખૂબ નસીબદાર છે કે તેમની પાસે કેપ્ટનશિપના ઘણા વિકલ્પો છે. એકલા ઝિમ્બાબ્વે શ્રેણીમાં 3 IPL કેપ્ટન હતા. શ્રીલંકા પ્રવાસમાં પણ આવા જ નામ હશે. રોહિતની ગેરહાજરીમાં યોગ્ય કેપ્ટન શોધવાની જરૂર છે.

ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા અહેવાલ મુજબ, BCCIના એક અધિકારીએ કહ્યું, 'હજી સુધી કંઈ નક્કી નથી થયું. ટીમ ઈન્ડિયા ખૂબ નસીબદાર છે કે તેમની પાસે કેપ્ટનશિપના ઘણા વિકલ્પો છે. એકલા ઝિમ્બાબ્વે શ્રેણીમાં 3 IPL કેપ્ટન હતા. શ્રીલંકા પ્રવાસમાં પણ આવા જ નામ હશે. રોહિતની ગેરહાજરીમાં યોગ્ય કેપ્ટન શોધવાની જરૂર છે.

4 / 5
શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે જે ODI ટીમમાં વાપસી કરી શકે છે. અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને IPLમાં ચેમ્પિયન બનાવ્યું હતું જેનો મેન્ટર ગૌતમ ગંભીર હતો. હવે ગંભીર ટીમનો મુખ્ય કોચ છે, તેથી તે અય્યરને ODI કેપ્ટન બનાવે તો નવાઈ નહીં.

શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે જે ODI ટીમમાં વાપસી કરી શકે છે. અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને IPLમાં ચેમ્પિયન બનાવ્યું હતું જેનો મેન્ટર ગૌતમ ગંભીર હતો. હવે ગંભીર ટીમનો મુખ્ય કોચ છે, તેથી તે અય્યરને ODI કેપ્ટન બનાવે તો નવાઈ નહીં.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">