ભારતનો એ પાડોશી દેશ, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો હોવા છતાં નથી એક પણ મસ્જિદ
ભારતના લગભગ તમામ પાડોશી દેશોમાં વિવિધ ધર્મના લોકો વસે છે. ભારતમાં હિન્દુઓ બાદ સૌથી વધુ વસ્તી મુસ્લિમોની છે, પરંતુ ભારતનો એક પાડોશી દેશ છે, જ્યાં મુસ્લિમો છે, પરંતુ ત્યાં એક પણ મસ્જિદ નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ કયો દેશ છે.

ભારતના લગભગ તમામ પાડોશી દેશોમાં વિવિધ ધર્મના લોકો વસે છે. ભારતમાં હિન્દુઓ બાદ સૌથી વધુ વસ્તી મુસ્લિમોની છે. તો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે, પરંતુ ભારતનો એક પાડોશી દેશ છે, જ્યાં મુસ્લિમો છે, પરંતુ ત્યાં એક પણ મસ્જિદ નથી.

આ દેશમાં હિન્દુઓ પણ રહે છે અને હિન્દુઓ માટે મંદિરો છે. પરંતુ ઇસ્લામમાં માનનારાઓ માટે ત્યાં એક પણ મસ્જિદ નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે, તેની પાછળનું કારણ શું છે અને તે કયો દેશ છે.

આ દેશ ભારતનો પાડોશી જ નહીં પરંતુ તેનો મિત્ર પણ છે. આ દેશનું નામ ભૂટાન છે. ભૂટાનની કુલ વસ્તી 7.5 લાખ છે. જેમાં સૌથી વધુ વસ્તી બૌદ્ધ ધર્મને માનનારી છે. અહીંની કુલ વસ્તીમાંથી 75 ટકા લોકો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. તો કુલ વસ્તીના 22.6 ટકા હિંદુઓ છે. બૌદ્ધ અને હિંદુઓની સૌથી વધુ વસ્તીને કારણે ભૂટાનમાં બૌદ્ધ મંદિરો અને મઠો તેમજ હિંદુ મંદિરો છે.

ભૂટાનમાં ઇસ્લામને અનુસરનારા લોકોની સંખ્યા લગભગ સાત હજારની આસપાસ છે. ભૂટાન વિશ્વનો ત્રીજો દેશ અને ભારતનો એકમાત્ર પાડોશી દેશ છે, જ્યાં એક પણ મસ્જિદ નથી. ભૂટાન સિવાય મોનાકો અને સ્લોવાકિયામાં પણ કોઈ મસ્જિદ નથી. ભૂટાનના મોટાભાગના મુસ્લિમો તેમના ઘરમાં નમાઝ અદા કરે છે.

મસ્જિદની સાથે સાથે આ દેશમાં એક પણ ચર્ચ નથી. ભૂટાનમાં હજારો ખ્રિસ્તીઓ વસે છે, પરંતુ તેઓને આજ સુધી અધિકૃત રીતે ચર્ચ બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી. (All Image - Freepik)

ભૂટાનમાં અનેક હિંદુ મંદિરો આવેલા છે. આમાંથી સૌથી મોટું હિંદુ મંદિર ભૂટાનની રાજધાની થિમ્પુમાં આવેલું છે. આ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ છે. દેશભરમાંથી હિન્દુઓ અહીં આવે છે અને પ્રાર્થના કરે છે. તમને જણાવી દઈએ કે ભૂટાન 7મી સદી સુધી ભારતના કૂચ બિહાર રાજવંશનો એક ભાગ હતું, ત્યારબાદ તે સ્વતંત્ર થયું અને બૌદ્ધ ધર્મમાં ફેરવાઈ ગયું.
નોલેજના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
