Breaking News: સતત ચાર મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાએ લીધો મોટો નિર્ણય, બે સ્ટાર ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026ની જીત સાથે શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડિયન્સની પહેલી પાંચ મેચમાં જ હાલત ખરાબ થઈ ગઈ છે. એક જીત બાદ સતત ચાર હાર મળતા MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને ધકેલાયું છે. ગુજરાત સામેની મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારના સિલસિલાએ અટકાવવા ટીમમાં મોટા ફેરફાર કર્યા હતા અને બે સ્ટાર ખેલાડીઓને બહાર કરી દીધા હતા.

IPL 2026 ની 30મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ પહેલી મેચ જીત્યા બાદ સતત ચાર મેચ હારી ગયું છે. જ્યારે બીજી તરફ ગુજરાત ટાઈટન્સ બે હાર બાદ સતત ત્રણ મેચ જીતી સારા ફોર્મમાં છે.

ખરાબ પ્રદર્શનથી પરેશાન મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ટીમમાં બે મોટા ફેરફાર કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે બે અનુભવી ખેલાડીઓ દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યા હતા અને તેમની જગ્યાએ બે યુવા ખેલાડીઓને સામેલ કર્યા હતા .

MI સતત ચાર હાર બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પ્લેઓફ રાઉન્ડમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સે હવે લગભગ બધી મેચો જીતવી જરૂરી છે. એવામાં આજની મેચમાં કેપ્ટન પંડ્યાએ મોટો નિર્ણય લેતા બે અનુભવી ખેલાડીઓને બહાર કર્યા હતા. (PC:X/IPL/MI)
Breaking News : રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જાણો કેમ
