Breaking News : શ્રીલંકા પહોંચતા જ ભારતીય ટીમને ખરાબ સમાચાર મળ્યા ! મેચ ખતરામાં, જાણો આખો મામલો શું છે
2 મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારના રોજ શ્રીલંકાની ધરતી પર પગ રાખી ચૂકી છે. પરંતુ શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.તો ચાલો જાણીએ આ ખરાબ સમાચાર શું છે.

શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયા માટે એક દુખદ સમાચાર સામે આવ્યા હતા. શુક્રવારે એટલે કે, 7 ઓગ્સ્ટથી ભારતીય ટીમ શ્રીલંકાની સાથે પ્રેક્ટિસ મેચ રમશે. જેને આવનારી 2 મેચની તૈયારી માટે મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હવે આ મેચ પર સંકટ મંડરાય રહ્યું છે.

3 દિવસીય આ પ્રેક્ટિસ મેચમાં 3 દિવસ વરસાદની શક્યતાઓ છો. એક્યુવેધર મુજબ 3 દિવસ રીમઝીમ વરસાદ થઈ શકે છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારત માટે આ પ્રવાસ ખુબ મહત્વનો છે.

ભારત પોતાના અભિયાનની શરુઆત 7 ઓક્ટોબરથી 3 દિવસની પ્રેક્ટિસ મેચ દ્વારા કરવાની હતી. પરંતુ મેચ રદ કે મેચમાં વરસાદના અડચણને લઈ ખતરો મંડરાય રહ્યો છે.

મેચ પર વરસાદનો ખતરો છે. એક્યુવેધર મુજબ 7 થી 9 ઓગસ્ટ સુધી કોલંબોમાં રમાનારી આ પ્રેક્ટિસ મેચમાં વરસાદ થવાની પુરી શક્યતાઓ છે. મેચના પહેલા દિવસે એટલે કે, શુક્રવારના રોજ 91 ટકા વરસાદ થવાની શક્યતા છે. તેમજ 99 ટકા વાદળ રહેશે.

કેન્ડીથી કોલંબો સુધી રસ્તામાં સતત વરસાદ જોવા મળી રહી છે. ટુંકમાં પહેલા દિવસે મેદાનમાં પાણી ફરવું નક્કી માનવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ભારત માટે આ સીરિઝ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ હાલમાં સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી આ પહેલી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ 3 દીવસ વોર્મ અપ મેચ કરવા માંગતી હતી.

પરંતુ વરસાદના કારણે આ મેચ ધોવાય છે. તો શુભમન ગિલની આગેવાની વાળી યુવા ટીમ કોઈ પણ તૈયારી વગર સીધી મેદાનમાં ઉતરવા માટે મજબુર બનશે. ( photos : Sri Lanka Cricket )
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઈનલ, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
