Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈ ભારતીય ક્રિકેટમાં હોબાળો, દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન
ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને ચર્ચા વધુ ગરમાઈ છે. હવે પૂર્વ હેડ કોચે પણ યુવા બેટ્સમેનને વહેલી તકે તક આપવાની ખુલ્લેઆમ હિમાયત કરી છે. તેમનું માનવું છે કે વૈભવ પાસે એવો X-ફેક્ટર છે, જે ભારતની T20 ટીમને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

ભારતીય ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને ચર્ચા અટકવાનું નામ લેતી નથી. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની આક્રમક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચનારા વૈભવને હજુ સુધી આયર્લેન્ડ પ્રવાસમાં તક મળી અને હવે ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી તેના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે વૈભવને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં જ ડેબ્યૂ કરાવવો જોઈએ હતો. તેમના મતે ત્યાંનું નાનું મેદાન વૈભવ જેવી આક્રમક બેટિંગ માટે એકદમ યોગ્ય હતું. શાસ્ત્રીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે તે બોલને એટલો જોરથી ફટકાર્યો હોત કે તે મેદાનની છત પર પહોંચી ગયો હોત.

શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામે તેને તક મળશે કે નહીં તે અંગે તેઓ નિશ્ચિત નથી, પરંતુ વૈભવને વધુ સમય સુધી બહાર રાખવો યોગ્ય નિર્ણય નહીં બને. IPLમાં તેણે જે રીતે વર્લ્ડ ક્લાસ બોલરો સામે બેટિંગ કરી છે, તે જોતા તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પણ તૈયાર છે.

પૂર્વ ભારતીય કોચનું માનવું છે કે વૈભવ ટીમ ઈન્ડિયા માટે X-ફેક્ટર સાબિત થઈ શકે છે. તેની વિસ્ફોટક શરૂઆતથી મધ્યક્રમના બેટ્સમેનો પરનું દબાણ ઘટશે અને ટીમ વધુ મોટા સ્કોર સુધી પહોંચી શકશે.

બીજી તરફ, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અભિષેક શર્માએ ત્રણ ઇનિંગ્સમાં 108 રન બનાવી પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, જ્યારે સંજુ સેમસન માત્ર છ રન જ બનાવી શક્યો છે. સંજુના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે બીજા ઓપનિંગ સ્થાન માટે વૈભવ સૂર્યવંશીને તક આપવાની માંગ વધુ જોર પકડી રહી છે. (PC:PTI/X)
Breaking News: શાહરૂખ ખાનના સ્ટેડિયમમાં રમાશે ઓલિમ્પિક ક્રિકેટ મેચો, પ્રથમ મુકાબલા પહેલા થઈ ખાસ પૂજા
