AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : વારંવાર આંખોમાંથી પાણી આવવાનું કારણ શું છે? જાણો

કેટલીક વખત કેટલાક લોકોની આંખમાંથી અચાનક પાણી નીકળવા લાગે છે. આ દરમિયાન આ વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહી. કારણ કે, આની પાછળ અનેક કારણો હોય શકે છે.

Health Tips : વારંવાર આંખોમાંથી પાણી આવવાનું કારણ શું છે? જાણો
| Updated on: Aug 17, 2026 | 9:28 AM
Share

કેટલાક લોકોને હંમેશા આંખમાંથી પાણી આવવાની સમસ્યા હોય છે. આંખમાંથી પાણી આવવાનું કારણ ક્યારેક ધૂળ, ધુમાડો, તેજ પ્રકાશ અથવા આંખોમાં કંઈક જવાથી આંખોમાંથી પાણી આવી શકે છે.ઠંડી હવા અથવા જોરદાર પવન પણ આંખોમાંથી પાણી લાવી શકે છે. ક્યારેક, તે બળતરા અથવા થાકને કારણે થાય છે. આવા કિસ્સાઓમાં, આંખોમાંથી પાણી આવવું એ આંખોને સ્વચ્છ રાખવાનો એક માર્ગ હોઈ શકે છે.

જો આંખમાંથી વારંવાર પાણી આવે છે. તો આની પાછળ બીજું કારણ પણ હોય શકે છે. ત્યારે વારંવાર આંખમાંથી પાણી આવવાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહી. સમય રહેતા કારણ જાણવું જરુરી છે. તેમજ તેનાથી આંખની યોગ્ય દેખરેખ અને સારવારમાં પણ મદદ મળે છે. તો ચાલો જાણીએ આંખમાંથી પાણી આવવાનું કારણ શું છે અને ક્યારે ડોક્ટરને મળવું જરુરી છે.

આંખોમાંથી વારંવાર પાણી આવવાનું એક મોટું કારણ ડ્રાઈ આઈ સિંડ્રોમ હોય શકે છે. આંખમાં પૂરતા પ્રમાણમાં ભેજનો અભાવ બળતરા પેદા કરે છે, અને તેના પ્રતિભાવમાં, આંખો વધુ આંસુ ઉત્પન્ન કરે છે. એલર્જી, સાઇનસ સમસ્યાઓ અને આંખના ઈન્ફેશનને કારણે પણ વધુ પડતું આંસુ આવી શકે છે.

આ સિવાય પાંપણમાં સોજો, પાંપળની અંદર બહાર દુખાવો થવો. આંખમાં ખુંચતો હોય તેવું લાગી શકે છે. કેટલાક લોકોમાં આસું નીકળનારી નળી બંધ થવાના કારણે આસું યોગ્ય રીતે બહાર નીકળી શકતા નથી. આ પાણી આંખમાંથી આવવા લાગે છે. આંખમાં ઈજા થવાથી કે કોઈ દવા અથવા કેટલીક મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન પણ આ સમસ્યા થઈ શકે છે.

આંખમાંથી પાણી આવવા પર ડોક્ટરને મળવું કેમ જરુરી ?

જો આંખમાંથી પાણી આવવાની સમસ્યા વારંવાર થઈ રહી છે અથવા કેટલાક દિવસ સુધી રહે તો આંખના ડોક્ટરની સલાહ લેવી બેસ્ટ વિકલ્પ છે. પાણી આવવાની સાથે આંખમાં દુખાવો થવો, વધારે લાલાશ આવી જવી. સોજો, કે ધુંધળું દેખાવવું અથવા રોશનીથી પરેશાની થઈ શકે છે. તો આને નજરઅંદાજ ન કરો.

આંખમાં ઈજા થવાના કારણે પાણી આવે છે. જો સતત પાણી આવે તો તપાસ કરવી જરુરી છે. જો આંખમાંથી પાણી સાથે વધારે ચિપચિપો પદાર્થ નીકળી રહ્યો છે અથવા આંખ ખોલવામાં પરેશાની થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો. સલાહ વગર આંખમાં કોઈ ડ્રોપ અથવા દવા નાંખવી નહી.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.  અહી ક્લિક કરો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">