Breaking news : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત લોર્ડ્સ ટેસ્ટમાંથી આટલા દિવસો માટે થયો બહાર
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતને લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે વિકેટકીપિંગ કરતી વખતે ઈજા થઈ હતી. હવે બીજા દિવસે તે વિકેટકીપિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ન હતો. BCCIએ જણાવ્યું હતું કે પંત લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે નહીં રમે. મોટી વાત એ છે કે પંત હજુ સ્વસ્થ થયો નથી અને પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે.

લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતને થયેલી ઈજા હજુ સુધી મટી નથી. BCCIએ તેના વિશે એક મોટું અપડેટ આપ્યું છે જે ભારતીય ચાહકો અને ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયું છે.

BCCIએ માહિતી આપી છે કે રિષભ પંત લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે પણ મેદાનમાં ઉતરશે નહીં. વાસ્તવમાં, પંતને આંગળીમાં ઈજા છે અને ડોક્ટરની તપાસ બાદ, તેને એક દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. મતલબ કે, પંતની જગ્યાએ જુરેલ વિકેટકીપિંગ કરશે.

જ્યારે રિષભ પંત બીજા દિવસે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે તેણે બેટ પકડીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દુખાવો થયો. આ જોઈને પ્રશ્ન ઊભો થાય છે કે શું પંત બેટિંગ કરી શકશે.

પંત હાલ જોરદાર ફોર્મમાં છે અને પહેલી ટેસ્ટમાં તેણે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેના બેટમાંથી અડધી સદી નીકળી ગઈ. હવે જો પંત બેટિંગ કરી શકશે નહીં, તો આ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે. મોટી વાત એ છે કે ટીમ ઈન્ડિયાને પંતનો વિકલ્પ પણ નહીં મળે.

જસપ્રીત બુમરાહના બોલ પર રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહના બોલને લેગ સાઈડની બહાર જતા રોકવાનો પ્રયાસ કરતી વખતે બોલ પંતની આંગળીમાં વાગ્યો હતો.

હવે જોવાનું એ છે કે પંત ફિટ થઈ શકશે કે નહીં, કારણ કે જો આવું નહીં થાય તો ટીમ ઈન્ડિયાએ ફક્ત 10 ખેલાડીઓ સાથે બેટિંગ કરવી પડશે. સારી વાત એ છે કે પંતની આંગળીમાં ફ્રેક્ચર થયું નથી. (All Photo Credit : PTI / GETTY)
ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રિષભ પંત હાલ જોરદાર ફોર્મમાં છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
