કોંગ્રેસ કે ભાજપની પાર્ટી નહી પરંતુ આ નેતાને વધારે પસંદ કરે છે લોકો,આવો છે કુંવરજી બાવળિયાનો પરિવાર
કુંવરજી બાવળીયાનો રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ

રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. જેમાં કુંવરજી બાવળીયા રિપીટ થયા છે.

આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ. તેમજ તેઓ ક્યા કયા પદ પર રહી ચૂક્યા છે. તેના વિશે જાણીએ.

કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે જાણો

તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળીયાની રાજકીય કારકિર્દીની શરુઆત વર્ષ 1995થી થઈ હતી, જ્યારે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી તેઓ ગુજરાતના રાજકારણમાં સતત સક્રિય છે.

કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, ખાદ્ય નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

ગુજરાતના સંસદ સભ્યના કન્વીનર, અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના પ્રમુખ. તેઓ ગુજરાતની કોળી જાતિના છે. જ્યારે તેમને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા, ત્યારે રાજકોટ જિલ્લામાં કોળી સમુદાયના લોકોએ તેમને મંત્રી બનાવવા માટે વિરોધ કર્યો હતો.

કુંવરજીભાઈ બાવળિયા પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડ ડિગ્રી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા.

કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી ખાદ્ય નાગરિક પુરવઠો, પાણી પુરવઠો, જળ સંસાધન, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.

જો આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે વાત કરીએ તો. તેમની માતાનું નામ મણિબેન બાવળિયા અને પિતાનું નામ મોહનભાઈ બાવળિયા છે.

કુંવરજીભાઈ બાવળિયાની પત્નીનું નામ પારુલબેન છે. તેમજ કુંવરજીભાઈ બાવળિયાને 3 બાળકો છે. કુંવરજી ભાઈ બાવળિયાનો જન્મ 16 માર્ચ 1955ના રોજ જસદણમાં થયો છે.

કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

મહત્વની વાત તો એ હતી કે, કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડાયાની કલાકોમાં કેબિનેટ મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા હતા.

કુંવરજી બાવળિયાને કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેમની પકડ ખુબ જ મજબુત છે.

કોંગ્રેસ હોય કે ભાજપ બંન્ને તરફથી ચૂંટણી લડતી વખતે લોકોએ તેમને જીતાડ્યા છે. એટલે કે, કુંવરજી બાવળિયાનું નામ અને કામ લોકોમાં ફેમસ છે.

તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
