Breaking News: મેટા અને એમેઝોન પછી હવે આ દિગ્ગજ કંપનીએ લીધું મોટું પગલું, એક ઝાટકે 600 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો!
કંપની કરોડોની કમાણી કરી રહી હતી, છતાં અચાનક એવો નિર્ણય લેવાયો જેણે આખી આઇટી દુનિયાને ચોંકાવી દીધી છે. જાણો કઈ મોટી કંપનીમાં રાતોરાત નોકરીઓ પર સંકટ આવી ગયું છે.

ટેક જગતમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. મેટા અને એમેઝોન જેવી મોટી કંપનીઓમાં મોટા પાયે છટણી થયા પછી, હવે વધુ એક દિગ્ગજ કંપનીએ આ જ રસ્તો અપનાવ્યો છે. માઇક્રોસોફ્ટના માલિકી હક વાળી પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની લિંક્ડઇન (LinkedIn) એ એક મોટો ઝટકો આપતાં સેંકડો કર્મચારીઓની છટણી કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કંપનીના આ ચોંકાવનારા નિર્ણયથી આગામી દિવસોમાં 600 થી વધુ લોકો પોતાની નોકરી ગુમાવશે.

સત્તાવાર ફાઇલિંગમાં થયો મોટો ખુલાસો: કંપનીના આ આંતરિક માસ્ટર પ્લાન પરથી હવે રહસ્ય હટી ગયું છે. 'WARN' ફાઇલિંગ અનુસાર, ગયા અઠવાડિયે જ 606 કર્મચારીઓને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે તેમની નોકરી કાયમી ધોરણે ખતમ કરવામાં આવી રહી છે. કંપનીનો આ આકરો આદેશ આગામી 13 જુલાઈથી સત્તાવાર રીતે લાગુ થઈ જશે.

સૌથી વધુ અસર માઉન્ટેન વ્યુ ઓફિસ પર પડી છે, જ્યાં એકસાથે 352 નોકરીઓ કાપી નાખવામાં આવી છે. આ સિવાય સેન ફ્રાન્સિસ્કોમાં 108, સનીવેલમાં 59, કાર્પિન્ટેરિયામાં 21 અને ઘેર બેઠા કામ કરતા (વર્ક ફ્રોમ હોમ) 66 રિમોટ કર્મચારીઓ પણ આ છટણીનો ભોગ બન્યા છે.

સીઈઓ (CEO) એ આપ્યા હતા સંકેતો, આ વિભાગો પર પડશે કુહાડી: કંપનીના સીઈઓ ડેનિયલ શેપેરોએ આ મહિનાની શરૂઆતમાં જ એક આંતરિક મેમો જાહેર કરીને કંપનીની અંદર મોટા ફેરફારો કરવાના સંકેતો આપ્યા હતા. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કંપની કયા વિભાગોમાં કાપ મૂકવા જઈ રહી છે. લિંક્ડઇન તેના જીબીઓ (GBO), માર્કેટિંગ, એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ વિભાગોમાં પદોની સંખ્યા ઘટાડી રહી છે. આ ઉપરાંત, કંપની માર્કેટિંગ કેમ્પેઈન, વેન્ડર કોસ્ટ, કસ્ટમર ઇવેન્ટ્સ અને ઓફિસ સ્પેસ પાછળ થતો મોટો ખર્ચ પણ ઘટાડી રહી છે.

સૌથી મોટો સસ્પેન્સ: શું હજુ પણ આગળ છટણી થશે?: આ સમાચારમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે લિંક્ડઇનની કમાણી ઘટી નથી, ઉલટાનું ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કમાણીમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છતાં કંપની પોતાના કુલ કર્મચારીઓમાંથી 5 ટકા એટલે કે લગભગ 875 નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ અહેવાલો પછી કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે કે આગામી દિવસોમાં હજુ કેટલા લોકોની નોકરી જશે.
હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?
