Bharat Bhagya Vidhata Review : 26/11 હુમલાનો અજાણ્યો ચહેરો બતાવે છે ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા !
કંગના રનૌતની ફિલ્મ, ભારત ભાગ્ય વિધાતા, સિનેમાઘરોમાં આવી ગઈ છે. તે 26/11 ની અકથિત વાર્તા કહે છે.

જે ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આખરે બોક્સ ઓફિસ પર આવી ગઈ છે. આપણે કંગના રનૌતની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા વિશે વાત કરી રહ્યા છીએ. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન કામા હોસ્પિટલમાં દર્દીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતી સરકારી હોસ્પિટલની એક નર્સ પર છે જે આજ સુધી મોટા ભાગે અજાણી રહી હતી.

26/11ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન જ્યારે કામા હોસ્પિટલ ગોળીબાર અને વિસ્ફોટોના અવાજોથી ધ્રૂજી રહી હતી ત્યારે નર્સ અંજલી કુલ્થેએ આશરે 20 ગર્ભવતી મહિલાઓના જીવ બચાવવાની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ભારત ભાગ્ય વિધાતા ફિલ્મની વાર્તા એક પોલીસ સ્ટેશનથી શરૂ થાય છે.

ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ ટાપરિયાએ માત્ર આતંકી હુમલાની ભયાનકતા જ નહીં પરંતુ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓના મહત્વને પણ ઉજાગર કર્યું છે. ફિલ્મ એ પણ દર્શાવે છે કે સમાજમાં નર્સોના કામને ઘણીવાર યોગ્ય માન્યતા મળતી નથી. સરકારી હોસ્પિટલના વાતાવરણ પ્રક્રિયાઓ અને ત્યાં કામ કરતા લોકોની દૈનિક મુશ્કેલીઓને ખૂબ જ વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવી છે.

ભય અને જોખમ વચ્ચે અંજલી કુલ્થેએ એક મહિલાની સુરક્ષિત ડિલિવરી પણ કરાવી હતી. એટલું જ નહીં પછી કોઈપણ ડર વગર આતંકવાદીની ઓળખ કરીને ન્યાય અપાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધે છે. પરંતુ એકવાર મુખ્ય ઘટનાક્રમ શરૂ થાય પછી દર્શકોને ભાવનાત્મક રીતે જોડે રાખે છે. કામા હોસ્પિટલમાં થયેલા આતંકી હુમલાના દ્રશ્યો દિલ દહલાવી દે તેવા છે. સાથે જ નર્સોની બહાદુરી, સમજદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે માન વધે છે.

26/11ના મુંબઈ હુમલા પર ઘણી ફિલ્મો અને સિરીઝ બની છે. પરંતુ કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતા એવી વાર્તા કહે છે જેનો કોઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
