Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan લીધા પછી કોઈનું મૃત્યુ થાય, તો વસૂલાત કોની પાસેથી કરવી? જાણો બેન્ક કોની પાસેથી અને કેવી રીતે કરે છે રુપિયા વસૂલ

Personal Loan Recovery : શું તમે જાણો છો કે જો લોન લેનારી વ્યક્તિ લોન ચૂકવતા પહેલા જ મૃત્યુ પામે છે, તો તેની જવાબદારી કોણ લે છે? આજે અમે તમને જણાવીશું કે લોન લેનારી વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બેંક તેના પૈસા કેવી રીતે વસૂલ કરે છે.

| Updated on: Feb 04, 2025 | 9:11 AM
આજના સમયમાં કોઈપણ વસ્તુ માટે લોન લેવી એક સામાન્ય બાબત બની ગઈ છે. ઘર ખરીદવાનું હોય, કાર ખરીદવાનું હોય, વ્યવસાય માટે પૈસા ખરીદવાનું હોય કે કોઈ અંગત ખર્ચ માટે, લોકો આવી જરૂરિયાતો માટે બેંક પાસેથી લોન લે છે. તમે જે હેતુ માટે લોન લીધી છે તેના આધારે બેંકો તમારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. લોન ચૂકવવા માટે તમારે દર મહિને હપ્તો (EMI) ચૂકવવો પડશે. કોઈ વ્યક્તિને લોન આપતા પહેલા, બેંક તેના નાણાકીય ઇતિહાસ વિશે જાણી લે છે અને સંપૂર્ણ ખાતરી થયા પછી જ બેંક તે વ્યક્તિને લોન આપે છે.

આજના સમયમાં કોઈપણ વસ્તુ માટે લોન લેવી એક સામાન્ય બાબત બની ગઈ છે. ઘર ખરીદવાનું હોય, કાર ખરીદવાનું હોય, વ્યવસાય માટે પૈસા ખરીદવાનું હોય કે કોઈ અંગત ખર્ચ માટે, લોકો આવી જરૂરિયાતો માટે બેંક પાસેથી લોન લે છે. તમે જે હેતુ માટે લોન લીધી છે તેના આધારે બેંકો તમારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. લોન ચૂકવવા માટે તમારે દર મહિને હપ્તો (EMI) ચૂકવવો પડશે. કોઈ વ્યક્તિને લોન આપતા પહેલા, બેંક તેના નાણાકીય ઇતિહાસ વિશે જાણી લે છે અને સંપૂર્ણ ખાતરી થયા પછી જ બેંક તે વ્યક્તિને લોન આપે છે.

1 / 6
જો લોન ચૂકવતા પહેલા મૃત્યુ પામે તો શું થાય? : આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ પોતાની સંપૂર્ણ લોન સમયસર ચૂકવશે નહીં તો બેંક સંપૂર્ણ સત્તા સાથે લોન લેનારા સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો લોન લેનારી વ્યક્તિ તેનું વળતર ચૂકવતા પહેલા જ મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં લોનની જવાબદારી કોણ લેશે? આજે અમે તમને જણાવીશું કે લોન લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બેંક તેના પૈસા કેવી રીતે વસૂલ કરે છે.

જો લોન ચૂકવતા પહેલા મૃત્યુ પામે તો શું થાય? : આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ પોતાની સંપૂર્ણ લોન સમયસર ચૂકવશે નહીં તો બેંક સંપૂર્ણ સત્તા સાથે લોન લેનારા સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો લોન લેનારી વ્યક્તિ તેનું વળતર ચૂકવતા પહેલા જ મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં લોનની જવાબદારી કોણ લેશે? આજે અમે તમને જણાવીશું કે લોન લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બેંક તેના પૈસા કેવી રીતે વસૂલ કરે છે.

2 / 6
લોન વસૂલાત માટે બેંક આ પગલાં લે છે : ટાટા કેપિટલના મતે જો લોન લેનારી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો સૌ પ્રથમ બેંક લોન ચૂકવવા માટે તે લોનના સહ-અરજદારોનો (co-applicants) સંપર્ક કરે છે. જો સહ-અરજદાર પણ લોન ચૂકવી શકતા નથી, તો બેંક ગેરંટર, મૃતકના પરિવારના સભ્ય અથવા કાનૂની વારસદારનો સંપર્ક કરે છે અને બાકીની રકમ ચૂકવવાનું કહે છે. જો આમાંથી કોઈ પણ વ્યક્તિ બાકીની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો આવી સ્થિતિમાં બેંક મૃતકની મિલકત જપ્ત કરી શકે છે અને તેને વેચીને બાકી લોનની રકમ વસૂલ કરી શકે છે.

લોન વસૂલાત માટે બેંક આ પગલાં લે છે : ટાટા કેપિટલના મતે જો લોન લેનારી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો સૌ પ્રથમ બેંક લોન ચૂકવવા માટે તે લોનના સહ-અરજદારોનો (co-applicants) સંપર્ક કરે છે. જો સહ-અરજદાર પણ લોન ચૂકવી શકતા નથી, તો બેંક ગેરંટર, મૃતકના પરિવારના સભ્ય અથવા કાનૂની વારસદારનો સંપર્ક કરે છે અને બાકીની રકમ ચૂકવવાનું કહે છે. જો આમાંથી કોઈ પણ વ્યક્તિ બાકીની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો આવી સ્થિતિમાં બેંક મૃતકની મિલકત જપ્ત કરી શકે છે અને તેને વેચીને બાકી લોનની રકમ વસૂલ કરી શકે છે.

3 / 6
બેંકો હોમ લોન કે કાર લોન કેવી રીતે વસૂલ કરે છે? : જો હોમ લોન કે કાર લોન લેનારી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો બેંક તેનું ઘર અને કાર જપ્ત કરે છે. પછી જપ્ત કરાયેલા ઘર અને કારની હરાજી કરવામાં આવે છે. બેંકો હરાજીમાંથી મળેલા નાણાંમાંથી તેમની લોન વસૂલ કરે છે. તેવી જ રીતે અન્ય કોઈપણ લોનમાં બેંક મૃતકની બાકીની મિલકત પણ જપ્ત કરી શકે છે અને પછી તેને વેચીને લોનની રકમ વસૂલ કરી શકે છે.

બેંકો હોમ લોન કે કાર લોન કેવી રીતે વસૂલ કરે છે? : જો હોમ લોન કે કાર લોન લેનારી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો બેંક તેનું ઘર અને કાર જપ્ત કરે છે. પછી જપ્ત કરાયેલા ઘર અને કારની હરાજી કરવામાં આવે છે. બેંકો હરાજીમાંથી મળેલા નાણાંમાંથી તેમની લોન વસૂલ કરે છે. તેવી જ રીતે અન્ય કોઈપણ લોનમાં બેંક મૃતકની બાકીની મિલકત પણ જપ્ત કરી શકે છે અને પછી તેને વેચીને લોનની રકમ વસૂલ કરી શકે છે.

4 / 6
આવી પરિસ્થિતિમાં ટર્મ ઇન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે : કોઈપણ પરિવાર માટે પોતાનું ઘર કે અન્ય કોઈ વસ્તુ હરાજી થતી જોવી ખૂબ જ મુશ્કેલ હોય છે.

આવી પરિસ્થિતિમાં ટર્મ ઇન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે : કોઈપણ પરિવાર માટે પોતાનું ઘર કે અન્ય કોઈ વસ્તુ હરાજી થતી જોવી ખૂબ જ મુશ્કેલ હોય છે.

5 / 6
તેથી આવી પરિસ્થિતિ ટાળવા માટે, નિષ્ણાતો સલાહ આપે છે કે લોકોએ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો ટર્મ વીમો લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આવી કોઈ અપ્રિય ઘટના બને તો વીમા રકમમાંથી લોનની ભરપાઈ કરી શકાય.

તેથી આવી પરિસ્થિતિ ટાળવા માટે, નિષ્ણાતો સલાહ આપે છે કે લોકોએ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો ટર્મ વીમો લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આવી કોઈ અપ્રિય ઘટના બને તો વીમા રકમમાંથી લોનની ભરપાઈ કરી શકાય.

6 / 6

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">