આ જ તો છે ખરું ‘સુપરફૂડ’ ! મોતિયાથી લઈને હૃદય સુધી… ‘એવોકાડો’ ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે?
શરીર માટે વરદાન માનવામાં આવતું એવોકાડો આજકાલ ફિટનેસ ફ્રીક્સનું ફેવરિટ બની ગયું છે. લોકો તેને સ્વાદ અને ક્રીમી ટેક્સચર માટે નાસ્તાથી લઈને સલાડમાં ખાવાનું પસંદ કરી રહ્યા છે પરંતુ તેને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' કેમ કહેવામાં આવે છે, તે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે હજી સુધી એવોકાડો ખાવાથી બચતા હોવ, તો આ ક્રીમી ફળ પાછળનું સત્ય જાણીને તમે આજથી જ તેને પોતાના ડાયેટમાં ઉમેરી દેશો.

આજકાલ ફિટનેસ પ્રેમીઓ પોતાના ડાયેટમાં એવોકાડોનો સમાવેશ કરી રહ્યા છે. તેની ક્રીમી બનાવટ અને ઉત્તમ સ્વાદના કારણે તેને નાસ્તાથી લઈને સલાડ સુધીમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફળને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' કહેવામાં આવે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ફળને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' કે 'સુપરફૂડ' કેમ કહેવામાં આવે છે?

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોનો એવો ખજાનો છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને અનેક બીમારીઓથી બચાવે છે. એવોકાડો એ કોઈપણ સામાન્ય ફળ કરતા તદ્દન અલગ છે. મોટાભાગના ફળોમાં જ્યાં કાર્બોહાઈડ્રેટ કે નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં એવોકાડો 'હેલ્ધી ફેટ્સ' નો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. તેમાં લગભગ 20 અલગ-અલગ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આમાં મુખ્યત્વે વિટામિન K, વિટામિન E, વિટામિન C, ફોલેટ અને ભરપૂર ફાઈબર હોય છે. આ સિવાય એવોકાડો પોટેશિયમનો પણ સરસ સ્ત્રોત છે.

તબીબી નિષ્ણાતનું કહેવું છે કે, એવોકાડોમાં ઓલિક એસિડ નામનું મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. આ તત્વ શરીરમાં સોજો ઘટાડે છે અને 'બેડ કોલેસ્ટ્રોલ' ને ઘટાડીને 'ગુડ કોલેસ્ટ્રોલ' ને વધારે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

અવારનવાર લોકો વિચારે છે કે, ફેટ હોવાના કારણે એવોકાડો વજન વધારશે પરંતુ હેલ્થ એક્સપર્ટ આનાથી વિપરીત જણાવે છે. તેમાં ઉચ્ચ માત્રામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર હોય છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે, જેનાથી તમે ઓવરઈટિંગથી બચો છો અને વજન સરળતાથી કંટ્રોલ થાય છે.

આ સુપરફૂડમાં લ્યુટિન અને ઝેક્સેન્થિન જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હાજર હોય છે. આરોગ્ય નિષ્ણાત જણાવે છે કે, આ તત્વો મોતિયા અને વધતી ઉંમર સાથે જોડાયેલી આંખોની બીમારીઓનું જોખમ ઘણું હદ સુધી ઘટાડી દે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા માટે છે. તેને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, રોગનિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવો. સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા અથવા લક્ષણો દેખાય ત્યારે તુરંત જ તમારા ડૉક્ટર અથવા યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
ભરપેટ ખાધા પછી પણ કેમ લાગવા મંડે છે ‘ભૂખ’ ? જાણી લો આ પાછળનું ‘સાચું કારણ’
