Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુવિધા : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, આ કંપનીને મળ્યું છે ટેન્ડર

ગુજરાતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ હવે ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય કેબિનેટની મંજુરી બાદ હવે કંપની દ્વારા સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મે મહિનામાં ટેન્ડરમાં ઊંચી બોલી લગાવ્યા બાદ જૂનમાં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

| Updated on: Jan 08, 2024 | 11:53 PM
ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ આધુનિકતા સાથે તાલ મિલાવશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમદાવાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરીના 13 મહિના પછી, આ સ્ટેશન બનાવવાની કંપનીની પસંદગી કરવામાં આવી છે.

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ આધુનિકતા સાથે તાલ મિલાવશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમદાવાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરીના 13 મહિના પછી, આ સ્ટેશન બનાવવાની કંપનીની પસંદગી કરવામાં આવી છે.

1 / 5
આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ સ્ટેશન સંપૂર્ણપણે આધુનિક લુક સાથે તૈયાર થઈ જશે. જેમાં ગુજરાતના ઐતિહાસિક સૂર્ય મંદિર, મોઢેરાની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેશનનું નિર્માણ અમદાવાદ સ્થિત ફર્મ દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સાથે સંયુક્ત રીતે કરવામાં આવશે.

આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ સ્ટેશન સંપૂર્ણપણે આધુનિક લુક સાથે તૈયાર થઈ જશે. જેમાં ગુજરાતના ઐતિહાસિક સૂર્ય મંદિર, મોઢેરાની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેશનનું નિર્માણ અમદાવાદ સ્થિત ફર્મ દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સાથે સંયુક્ત રીતે કરવામાં આવશે.

2 / 5
અમદાવાદનું આ સ્ટેશનને કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.ફરીથી જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં, આ કાલુપુર રેલવે સ્ટેશન બનાવવાની જવાબદારી અમદાવાદ સ્થિત દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાકોન (DRA ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ)ને આપવામાં આવ્યું છે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સાથે સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટ માટે રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષે2023માં જૂનમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. છ કંપનીઓએ તેમની બિડ રજૂ કરી હતી. સૌથી વધુ બોલી L&Tની હતી.

અમદાવાદનું આ સ્ટેશનને કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.ફરીથી જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં, આ કાલુપુર રેલવે સ્ટેશન બનાવવાની જવાબદારી અમદાવાદ સ્થિત દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાકોન (DRA ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ)ને આપવામાં આવ્યું છે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સાથે સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટ માટે રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષે2023માં જૂનમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. છ કંપનીઓએ તેમની બિડ રજૂ કરી હતી. સૌથી વધુ બોલી L&Tની હતી.

3 / 5
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં બે મિનારા છે પરંતુ પુનઃવિકાસ સાથે તેમાં મોઢેરા સૂર્ય મંદિરની ઝલક જોવા મળશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં બુલેટ ટ્રેન મેટ્રો અને રેલવેની ઉપરથી ઝડપથી પસાર થશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026ના મધ્યમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે અમદાવાદનું કાલુપુર સ્ટેશન પણ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ થશે. હાલમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલ 12 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં બે મિનારા છે પરંતુ પુનઃવિકાસ સાથે તેમાં મોઢેરા સૂર્ય મંદિરની ઝલક જોવા મળશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં બુલેટ ટ્રેન મેટ્રો અને રેલવેની ઉપરથી ઝડપથી પસાર થશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026ના મધ્યમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે અમદાવાદનું કાલુપુર સ્ટેશન પણ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ થશે. હાલમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલ 12 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે.

4 / 5
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વે માટે આ સૌથી વધુ નફો આપતું સ્ટેશન પણ છે. વિભાજન પહેલા સિંધ મેલ અહીંથી પસાર થતો હતો. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો હાલમાં નાના-મોટા 19 રેલવે સ્ટેશન છે. અગાઉ અમદાવાદનું આ સ્ટેશન ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વે માટે આ સૌથી વધુ નફો આપતું સ્ટેશન પણ છે. વિભાજન પહેલા સિંધ મેલ અહીંથી પસાર થતો હતો. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો હાલમાં નાના-મોટા 19 રેલવે સ્ટેશન છે. અગાઉ અમદાવાદનું આ સ્ટેશન ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">