AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 Jyotirlinga : પવિત્ર શ્રાવણ માસમાં કરો 12 જ્યોતિર્લિંગના દર્શન, જુઓ તસવીર

Jyotirlinga List: ભારતમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે જે મહાકાલ શિવ સાથે સંબંધિત છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે.આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના જન્મ-જન્મના તમામ પાપો નાશ પામે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 6:41 PM
Share
સનાતન ધર્મમાં જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ ભગવાન શિવના પૂજનીય સ્થાનોમાંથી એક છે. જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ 'પ્રકાશનું લિંગ' છે, જે ભગવાન શિવના દિવ્ય પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે જે મહાકાલ શિવ સાથે સંબંધિત છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે.આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના જન્મ-જન્મના તમામ પાપો નાશ પામે છે. ભારતના તમામ પવિત્ર સ્થળોમાં 12 જ્યોતિર્લિંગનું મહત્ત્વનું સ્થાન છે. અહીં દરેક જ્યોતિર્લિંગમાં તસવીર રજુ કરી છે, પવિત્ર શ્રાવણ માસમાં તમે પણ કરી શકો છો  12 જ્યોતિર્લિંના દર્શન

સનાતન ધર્મમાં જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ ભગવાન શિવના પૂજનીય સ્થાનોમાંથી એક છે. જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ 'પ્રકાશનું લિંગ' છે, જે ભગવાન શિવના દિવ્ય પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે જે મહાકાલ શિવ સાથે સંબંધિત છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે.આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના જન્મ-જન્મના તમામ પાપો નાશ પામે છે. ભારતના તમામ પવિત્ર સ્થળોમાં 12 જ્યોતિર્લિંગનું મહત્ત્વનું સ્થાન છે. અહીં દરેક જ્યોતિર્લિંગમાં તસવીર રજુ કરી છે, પવિત્ર શ્રાવણ માસમાં તમે પણ કરી શકો છો 12 જ્યોતિર્લિંના દર્શન

1 / 13
સોમનાથ જ્યોતિર્લિંગ- સોમનાથ મંદિર હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના વેરાવળ બંદરમાં આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તેને ચંદ્રદેવે જાતે બનાવ્યું હતું.

સોમનાથ જ્યોતિર્લિંગ- સોમનાથ મંદિર હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના વેરાવળ બંદરમાં આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તેને ચંદ્રદેવે જાતે બનાવ્યું હતું.

2 / 13
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલું છે. આ જ્યોતિર્લિંગને દક્ષિણનું કૈલાસ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગનો મહિમા હિંદુ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. આ એક ખૂબ જ જૂનું મંદિર છે જે પથ્થરની ઊંચી દિવાલની મધ્યમાં આવેલું છે.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલું છે. આ જ્યોતિર્લિંગને દક્ષિણનું કૈલાસ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગનો મહિમા હિંદુ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. આ એક ખૂબ જ જૂનું મંદિર છે જે પથ્થરની ઊંચી દિવાલની મધ્યમાં આવેલું છે.

3 / 13
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે. અહીં કુંભ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. મહાકાલ વિશે એવું કહેવામાં આવે છે કે તે પૃથ્વી પર એકમાત્ર માન્ય શિવલિંગ છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે. અહીં કુંભ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. મહાકાલ વિશે એવું કહેવામાં આવે છે કે તે પૃથ્વી પર એકમાત્ર માન્ય શિવલિંગ છે.

4 / 13
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઓમકારેશ્વર અથવા ઓમકારેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના પરમ ભક્ત કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. તમામ 12 જ્યોતિર્લિંગોમાંથી, આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં ભગવાન શિવ સૂવા માટે આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઓમકારેશ્વર અથવા ઓમકારેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના પરમ ભક્ત કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. તમામ 12 જ્યોતિર્લિંગોમાંથી, આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં ભગવાન શિવ સૂવા માટે આવે છે.

5 / 13
કેદારનાથ જ્યોતિર્લિંગ - કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં સ્થિત ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિરના દરવાજા અખાત્રીજ અને ભાઇબીજની મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. ધાર્મિક આસ્થાની સાથે આ મંદિર પોતાનામાં પણ અદ્ભુત છે.

કેદારનાથ જ્યોતિર્લિંગ - કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં સ્થિત ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિરના દરવાજા અખાત્રીજ અને ભાઇબીજની મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. ધાર્મિક આસ્થાની સાથે આ મંદિર પોતાનામાં પણ અદ્ભુત છે.

6 / 13
ભીમાશંકર જ્યોતિર્લિંગ- ભીમાશંકર 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં છઠ્ઠા સ્થાને આવે છે. આ જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે. ભીમા નદી પણ અહીંથી નીકળે છે.

ભીમાશંકર જ્યોતિર્લિંગ- ભીમાશંકર 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં છઠ્ઠા સ્થાને આવે છે. આ જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે. ભીમા નદી પણ અહીંથી નીકળે છે.

7 / 13
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ- કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના તમામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વપૂર્ણ મંદિર છે. આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં આવેલું છે. તેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ હિંદુ આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ- કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના તમામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વપૂર્ણ મંદિર છે. આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં આવેલું છે. તેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ હિંદુ આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે.

8 / 13
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિંદુઓ માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. આ મંદિર સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર મહારાષ્ટ્રના ત્ર્યંબક ગામમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી ત્ર્યંબકેશ્વરને આઠમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર પવિત્ર ગોદાવરી નદી પાસે છે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિંદુઓ માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. આ મંદિર સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર મહારાષ્ટ્રના ત્ર્યંબક ગામમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી ત્ર્યંબકેશ્વરને આઠમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર પવિત્ર ગોદાવરી નદી પાસે છે.

9 / 13
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ- બાર જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર વૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં આવેલું છે. લોકો આ જગ્યાને બાબા બૈજનાથ ધામના નામથી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે ભોલેનાથ અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે આ શિવલિંગને 'કામના લિંગ' પણ કહેવામાં આવે છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ- બાર જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર વૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં આવેલું છે. લોકો આ જગ્યાને બાબા બૈજનાથ ધામના નામથી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે ભોલેનાથ અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે આ શિવલિંગને 'કામના લિંગ' પણ કહેવામાં આવે છે.

10 / 13
નાગેશ્વર જ્યોતિર્લિંગ- નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે.શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવ મંદિરમાં સ્થાપિત શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. મંદિરમાં આ અદ્ભુત શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. સાવનનાં સોમવારે અહીં ભારે ભીડ હોય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ- નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે.શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવ મંદિરમાં સ્થાપિત શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. મંદિરમાં આ અદ્ભુત શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. સાવનનાં સોમવારે અહીં ભારે ભીડ હોય છે.

11 / 13
રામેશ્વરમ જ્યોતિર્લિંગ- તમિલનાડુના રામનાથપુરમમાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગનું વિશેષ સ્થાન છે. અહીં સ્થાપિત શિવલિંગ બાર દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. ઉત્તરમાં કાશીનું મહત્વ દક્ષિણમાં રામેશ્વરમ જેટલું છે. તે સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે અહીં જ્યોતિર્લિંગ પર ગંગા જળ ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

રામેશ્વરમ જ્યોતિર્લિંગ- તમિલનાડુના રામનાથપુરમમાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગનું વિશેષ સ્થાન છે. અહીં સ્થાપિત શિવલિંગ બાર દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. ઉત્તરમાં કાશીનું મહત્વ દક્ષિણમાં રામેશ્વરમ જેટલું છે. તે સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે અહીં જ્યોતિર્લિંગ પર ગંગા જળ ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

12 / 13
ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્રના વેરુલ નામના ગામમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું માનવામાં આવે છે. પુરાણો અનુસાર ઘુષ્મેશ્વર મહાદેવના દર્શન કરવાથી માણસને જીવનની તમામ ખુશીઓ મળે છે. આ જ્યોતિર્લિંગને ઘૃષ્ણેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્રના વેરુલ નામના ગામમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું માનવામાં આવે છે. પુરાણો અનુસાર ઘુષ્મેશ્વર મહાદેવના દર્શન કરવાથી માણસને જીવનની તમામ ખુશીઓ મળે છે. આ જ્યોતિર્લિંગને ઘૃષ્ણેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે.

13 / 13
Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">