Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. CM આતિષી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચી હતી, પરંતુ તે દિલ્હીના પૂર્વ CM અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠી ન હતી. CM આતિશી પોતાની એક ખુરશી સાથે સચિવાલય પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કેજરીવાલ ફરીથી ચૂંટણી જીતીને સીએમ નહીં બને ત્યાં સુધી CMની ખુરશી અહીં જ રહેશે.

આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ
Atishi took charge of Delhi CM
Follow Us:
| Updated on: Sep 23, 2024 | 2:19 PM

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની સાથે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની લાલ રંગની ખુરશી રાખવામાં આવી છે.

સીએમ આતિશીએ કહ્યું કે, આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં એ જ દર્દ છે જે રીતે ભરતજીને હતું, જે રીતે ભગવાન શ્રીરામની ચાખડી રાખીને ભરતજીએ કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

“આ ખુરશી કેજરીવાલજીની છે”

સીએમ આતિશીએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષથી બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી, તેમને 6 મહિના માટે જેલમાં પૂર્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ વધુમાં કહ્યું કે, આ ખુરશી અરવિંદ કેજરીવાલ જીની છે, મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ જીને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીની આ ખુરશી અહીં જ રહેશે.

આતિશીએ વધુમાં કહ્યું કે, અમે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ જીને આ ખુરશી પર બેસાડશું અને ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે.

“મુખ્યમંત્રીની ખુરશી કેજરીવાલની છે”

સીએમ આતિશીએ કહ્યું, અરવિંદ કેજરીવાલે ઈમાનદારીનું ઉદાહરણ બેસાડ્યું છે. છેલ્લા બે વર્ષથી ભાજપે કેજરીવાલની ઈમેજ ખરાબ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેમને પૂરા 6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીના લોકો તેમને ઈમાનદાર તરીકે સ્વીકારશે નહીં ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને આશા છે કે દિલ્હીની જનતા ફરી એકવાર સીએમ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે.

બીજેપી નેતાએ કહ્યું, આ ડ્રામા બંધ થવો જોઈએ

મુખ્યમંત્રીની કમાન સંભાળ્યા બાદ પણ સીએમ આતિષી મુખ્યમંત્રીની ખુરશી પર ન બેઠા અને પોતાની ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા, હવે ભાજપની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આતિશી પર નિશાન સાધતા બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું, આ ડ્રામા દિલ્હીમાં બંધ થવો જોઈએ, આજે આતિશી માર્લેનાએ મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી રાખીને ચાર્જ સંભાળ્યો.

તેમણે વધુમાં કહ્યું કે, આ બાબા સાહેબે બનાવેલા બંધારણની મજાક છે. મુખ્યમંત્રીપદ અને ગુપ્તતાના શપથ માર્લેનાએ લીધા છે ખાલી ખુરશી પર બેઠેલા કેજરીવાલના ભૂતે નહીં.

(Credit Source : @amitmalviya)

કેજરીવાલે રાજીનામું આપ્યું

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ હતા, ત્યારબાદ 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે એક એવી જાહેરાત કરી જેનાથી બધા ચોંકી ગયા. કેજરીવાલે 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ આતિશીએ પાર્ટીની કમાન સંભાળી છે.

AAP નેતા આતિશીએ 21 સપ્ટેમ્બરે સીએમ તરીકે શપથ લીધા હતા અને કેબિનેટની રચના કરી હતી, ત્યારબાદ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા હતા.

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">