
આતિશી
આતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેની માતાનું નામ ત્રિપ્તા સિંહ અને પિતાનું નામ વિજય સિંહ છે. બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આતિશીએ સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 2001માં તેણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો. આ સાથે તેમણે રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક સંશોધનમાં બીજી માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
આતિશીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં થોડો સમય કામ કર્યું. આ સાથે તે એક બિન-સરકારી સંસ્થા સંભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી સાથે પણ સંકળાયેલી હતી. તે આમ આદમી પાર્ટીની રચના બાદથી તેની સાથે જોડાયેલી છે. વર્ષ 2015માં તેમણે મધ્યપ્રદેશના ખંડવામાં AAP નેતા આલોક અગ્રવાલ દ્વારા ચલાવવામાં આવેલા જળ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી આતિશીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે તે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે હારી ગઈ હતી.
આ પછી 2020 વિધાનસભા ચૂંટણીમાં તેણે કાલકાજીમાંથી ચૂંટણી જીતી અને પ્રથમ વખત ધારાસભ્ય બની છે. પાર્ટીએ તેમને ગોવા યુનિટના પ્રભારી પણ બનાવ્યા છે. 2018 સુધી તેમણે દિલ્હીના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આતિશી આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા છે.
Breaking News: આતિશીએ AAP બચાવી ‘લાજ’ ! કાલકાજી વિધાનસભા બેઠક પરથી મેળવી જીત
દિલ્હીમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. દરમિયાન કાલકાજી સીટ પર આમ આદમી પાર્ટીએ જીતનો ઝંડો લહેરાવ્યો છે. આતિશીએ અહીંથી જીત મેળવી છે અને રમેશ બિધુરીને હરાવ્યા છે.
- Devankashi rana
- Updated on: Feb 8, 2025
- 1:29 pm
First CM of Delhi : દિલ્હીમાં કોણે બનાવી હતી સૌપ્રથમ સરકાર, કોણ હતા રાજધાનીના પહેલા CM ?
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં સત્તા માટેની મુખ્ય લડાઈ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કયો પક્ષ જીત્યો હતો? આજે અમે તમને જણાવીશું કે સ્વતંત્ર ભારતમાં દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા.
- Dilip Chaudhary
- Updated on: Dec 30, 2024
- 8:41 pm
આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. CM આતિષી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચી હતી, પરંતુ તે દિલ્હીના પૂર્વ CM અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠી ન હતી. CM આતિશી પોતાની એક ખુરશી સાથે સચિવાલય પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કેજરીવાલ ફરીથી ચૂંટણી જીતીને સીએમ નહીં બને ત્યાં સુધી CMની ખુરશી અહીં જ રહેશે.
- Meera Kansagara
- Updated on: Sep 23, 2024
- 2:19 pm
આતિશી આજે દિલ્હીમાં CM પદના લેશે શપથ, આ 5 ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. તે શનિવારે પોતાની કેબિનેટ સાથે શપથ લેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ આતિશીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
- Meera Kansagara
- Updated on: Sep 21, 2024
- 6:54 am
પિતા-પતિની સરનેમ સરખી પરંતુ આતિશીની સરનેમ કેમ અલગ છે, જાણો શું છે હકીકત
આતિશી, આતિશી સિંહ , આતિશી માર્લેના સિંહ.... આતિશી દિલ્હીની મુખ્યમંત્રી બનતા જ લોકો તેના વિશે સર્ચ કરવા લાગ્યા છે. આમ તો આતિશી નામ પહેલાથી જ ખુબ ચર્ચિત છે, પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તેના નામ સાથે સરનેમ માર્લેનાને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Feb 8, 2025
- 1:52 pm
આતિશીના પતિએ અમદાવાદમાંથીઅભ્યાસ કર્યો , જુઓ આતિશીના પરિવારમાં કોણ કોણ છે
દિલ્હીમાં વલણોમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લીડ ધીમે ધીમે વધવા લાગી છે. તે 28 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 42 બેઠકો સાથે આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ ક્યાંય પણ પોતાનું ખાતું ખોલતી દેખાતી નથી. આતિશીના પરિવાર વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Feb 8, 2025
- 10:26 am
Delhi New CM Net Worth: ન તો ઘર, ન જમીન… ન કોઈ ઘરેણાં, છતાં દિલ્હીના નવા સીએમ આતિશી છે કરોડપતિ઼
Delhi New CM Atishi Net Worth: દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલી આતિશી માર્લેના પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો તેમના નામે કોઈ જમીન નોંધાયેલી છે. જો કે, 2020ની ચૂંટણીની એફિડેવિટ મુજબ, આ છતાં તેમની પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
- Dhinal Chavda
- Updated on: Sep 17, 2024
- 2:34 pm
ઓક્સફર્ડમાંથી ડિગ્રી, કેજરીવાલના ભરોસાપાત્ર, જાણો દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી વિશે તમામ માહિતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આતિશીને કેજરીવાલની વિશ્વાસુ મહિલા મંત્રી માનવામાં આવે છે. તેમની પાસે સરકારમાં સૌથી મહત્વપૂર્ણ અને મહત્તમ મંત્રાલયો છે. તેણે ઓક્સફર્ડમાંથી ડિગ્રી મેળવી છે. આતિશી તેની સ્થાપના સમયે આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી.
- Dhinal Chavda
- Updated on: Sep 17, 2024
- 2:32 pm
Breaking News : આતિશી દિલ્હીના નવા CM હશે, AAPની બેઠકમાં લેવાયો નિર્ણય
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. તે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનો હવાલો સંભાળશે. કેજરીવાલે ખુદ મુખ્યમંત્રી પદ માટે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યોએ આતિશીના નામનું સ્વાગત કર્યું.
- Meera Kansagara
- Updated on: Sep 17, 2024
- 1:01 pm