અરવિંદ કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના સિવાની નામના ગામમાં થયો હતો. IIT ખડકપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી. દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવી લીધું અને નોકરી છોડીને તૈયારી શરૂ કરી.
તેમણે 1993માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય મહેસૂલ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. દેશમાં માહિતી અધિકારીને લાગુ કરવામાં કેજરીવાલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષ 2006માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.
નોકરી છોડ્યા બાદ કેજરીવાલ સમાજસેવક અણ્ણા હજારેને મળ્યા હતા. આ પછી તેમણે અન્ના હજારે સાથે મળીને લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કર્યું. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન આંદોલન દ્વારા કેજરીવાલને દેશભરમાં ઓળખ મળી. અહીંથી જ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. વર્ષ 2012માં કેજરીવાલે આમ આદમી પાર્ટી નામની રાજકીય પાર્ટી બનાવી હતી.
2013માં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આ સરકાર માત્ર 49 દિવસ ચાલી. 2015માં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી અને કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. 2020માં ફરી ચૂંટણી જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા. 2025ની ચૂંટણીમાં તેઓ હાર્યા, એટલુ જ નહીં તેમનો પક્ષ આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં ભાજપની સામે હાર્યો. ભાજપે 27 વર્ષ બાદ સત્તા પુનઃ પ્રાપ્ત કરી.
Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 1:10 pm
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન કોની સાથે અને ક્યાં થયા ?
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે, તેના બેચમેટ સાથે લગ્ન કર્યા છે. ગુરુવારે દિલ્હીની શાંગરી-લા હોટેલમાં એક ખાનગી સમારોહમાં સગાઈ થઈ હતી. જેમાં પરિવાર અને પસંદગીના મહેમાનો હાજર રહ્યા.
- TV9 Gujarati
- Updated on: Apr 18, 2025
- 9:52 pm
CAG રિપોર્ટમાં ખુલાસોઃ દિલ્હીમાં કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા દારૂની નીતિમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને પણ અવગણવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 3:38 pm