
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના સિવાની નામના ગામમાં થયો હતો. IIT ખડકપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી. દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવી લીધું અને નોકરી છોડીને તૈયારી શરૂ કરી.
તેમણે 1993માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય મહેસૂલ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. દેશમાં માહિતી અધિકારીને લાગુ કરવામાં કેજરીવાલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષ 2006માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.
નોકરી છોડ્યા બાદ કેજરીવાલ સમાજસેવક અણ્ણા હજારેને મળ્યા હતા. આ પછી તેમણે અન્ના હજારે સાથે મળીને લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કર્યું. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન આંદોલન દ્વારા કેજરીવાલને દેશભરમાં ઓળખ મળી. અહીંથી જ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. વર્ષ 2012માં કેજરીવાલે આમ આદમી પાર્ટી નામની રાજકીય પાર્ટી બનાવી હતી.
2013માં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આ સરકાર માત્ર 49 દિવસ ચાલી. 2015માં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી અને કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. 2020માં ફરી ચૂંટણી જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા.
Politics Controversy : અરવિંદ કેજરીવાલનું મોબાઈલ રિચાર્જ થઈ ગયું પૂરું ! ભગવંત માને કરી પુષ્ટિ, જુઓ Video
દિલ્હી ચૂંટણી દરમિયાન, એક વાયરલ વીડિયોમાં ભગવંત માન જણાવે છે કે કેજરીવાલના ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું હતું. આ ઘટનાએ રાજકીય ચર્ચા જન્માવી છે.
- Sagar Solanki
- Updated on: Feb 10, 2025
- 7:30 pm
અબ તેરા ક્યા હોગા કેજરીવાલ? દિલ્હીમાં ભાજપ સત્તામાં આવતા શું ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેજરીવાલની મુશ્કેલી વધશે ?
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કરારી હાર બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઔર વધશે તેમાં કોઈ શક નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને ધોબી પછાડ આપી છે અને 48 બેઠકો સાથે દિલ્હીની કમાન સંભાળવા જઈ રહી છે. ત્યારે એ વાત તો ચોક્કસ છે કે જ્યારે ભાજપ દિલ્હીમાં સત્તામાં ન હતી તો પણ કેજરીવાલને જેલના દરવાજા બતાવી દીધા હતા તો હવે કેજરીવાલ સામેના એ તમામ કેસોની ફરીથી તપાસ થશે. ત્યારે આવો જોઈએ કે અત્યાર સુધી કેજરીવાલ સામે કેટલા કેસ થયેલા છે અને ક્યા કેસની તપાસ લંબિત છે.
- Mina Pandya
- Updated on: Feb 9, 2025
- 7:07 pm
Video : PM Modi નું કેજરીવાલને લઈ પહેલું મોટું નિવેદન, દરેક ભ્રષ્ટાચારના કેસની તપાસ CAG દ્વારા કરવામાં આવશે
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરી. PM મોદીએ કહ્યું કે નવી વિધાનસભાની પ્રથમ બેઠકમાં CAG ની રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ભ્રષ્ટાચારના તમામ આરોપોની તપાસ થશે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2025
- 9:09 pm
Kejriwal Viral Memes : દિલ્હી વાળા એ Free કરી દીધા.. કેજરીવાલ હારતા જ સોશિયાલ મીડીયા પર વાયરલ થયા આવા મીમ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે જનતાએ ભાજપને સરકાર બનાવવાની તક આપી છે. આવી સ્થિતિમાં હવે લોકોએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2025
- 8:47 pm
“આ જન્મમાં તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નહીં હરાવી શકો મોદીજી” સોશિયલ મીડિયા પર કેજરીવાલના મીમ્સ થયા વાયરલ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધોબી પછાડ મળી છે. આ લખાય છે ત્યાં સુધી ભાજપને ક્લિયર મેજોરિટી મળી ચુકી છે અને ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે દિલ્હીમાં ભાજપ સરકાર બનવવા જઈ રહી છે. ત્યારે કેજરીવાલના અગાઉના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે કેજરીવાલ
- Mina Pandya
- Updated on: Feb 8, 2025
- 3:23 pm
આપની ઐતિહાસિક હાર બાદ કેજરીવાલ પર કુમાર વિશ્વાસનું મોટુ નિવેદન, કેજરીવાલને ગણાવ્યા નિર્લજ્જ, નીચ અને ચરિત્રહિન
દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. ત્યારે કુમાર વિશ્વાસે જબરો કટાક્ષ કર્યો. મહાભારતમાં કૃષ્ણનું ઉદાહરણ આપતા કહ્યુ કે દૂર્યોધને કૃષ્ણને દૂત તરીકે આવેલા જોઈને પણ ભરી સભામાં અટ્ટહાસ્ય કરીને કહ્યુ હતુ યુદ્ધ કર્યા વિના તો પાંચ ગામ પણ પાંડવોને હું નહીં આપુ. આજે એ દુર્યોધન પોતાની જ સીટ બચાવવા માટે તરસી રહ્યો છે. અને હું જાણુ છુ કે આ દૂર્યોધનનો અંત પણ અત્યંત દારૂણ થવાનો છે.
- Mina Pandya
- Updated on: Feb 8, 2025
- 2:54 pm
AAPના છેલ્લા દિવસો આવી ગયા છે ! કેજરીવાલે પહેલા જ કરી દીધી હતી હારની ભવિષ્યવાણી, જુઓ- Viral Video
દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે. જોકે AAPની આ કારમી હારની ભવિષ્યવાણી ખુદ અરવિંદ કેજરીવાલે કરી દીધી હતી.
- Devankashi rana
- Updated on: Feb 9, 2025
- 11:00 am
Delhi Election Result 2025: શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી સત્યેન્દ્ર જૈનની 20 હજારથી વધુ મતોથી હાર
Delhi Election Result 2025:દિલ્હી વિધાનસભા ચૂંટણી: હવે ભાજપને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ મળતો જણાય છે. AAPના ઉમેદવાર અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. તેમને ભાજપના કરનૈલ સિંહે હરાવ્યા છે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 2:19 pm
ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલને કરવો પડશે આ 4 મોટી સમસ્યાનો સામનો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને આમ આદમીના એક પછી એક મોટા નેતાઓની હાર થઈ રહી છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
- Dilip Chaudhary
- Updated on: Feb 8, 2025
- 1:57 pm
Delhi Election Result 2025 : અરવિંદ કેજરીવાલની હાર થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, યુઝર્સે કરી ફની કોમેન્ટ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કારમી હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં યુઝર્સે અનેક ફની કોમેન્ટ લખી છે. સોશિયલ મીડિયા પર સ્વાતી માલિવાન અને અરવિંદ કેજરીવાલને લઈને પણ અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.
- Disha Thakar
- Updated on: Feb 8, 2025
- 1:44 pm
Breaking News: આતિશીએ AAP બચાવી ‘લાજ’ ! કાલકાજી વિધાનસભા બેઠક પરથી મેળવી જીત
દિલ્હીમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. દરમિયાન કાલકાજી સીટ પર આમ આદમી પાર્ટીએ જીતનો ઝંડો લહેરાવ્યો છે. આતિશીએ અહીંથી જીત મેળવી છે અને રમેશ બિધુરીને હરાવ્યા છે.
- Devankashi rana
- Updated on: Feb 8, 2025
- 1:29 pm
Breaking News : દિલ્હી AAPમાં મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલની કારમી હાર, ભાજપનું કમળ ખીલ્યું
Arvind Kejriwal lost the election : અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ હરાવ્યા છે. ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર આમ આદમી પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: Feb 8, 2025
- 1:55 pm
Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? શું ફરી જવું પડશે જેલ
Arvind Kejriwal Kundli Analysis: દિલ્હીમાં આપ હારી છે, કેજરીવાલની પણ કારમી હાર થઇ છે. કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 1:28 pm
દિલ્હીમાં ભાજપ સરકાર બનાવે તો કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો કોણ કોણ છે દાવેદાર ?
ભાજપે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે પોતાના કોઈપણ નેતાને ચહેરો જાહેર કરીને ચૂંટણી લડી ન હતી. ભાજપે દિલ્હીની ચૂંટણી પીએમ મોદીના નામ અને કામ પર લડી હતી. ત્યારે મુખ્યમંત્રી પદની રેસમાં ફક્ત એક કે બે નહીં પરંતુ પાંચથી છ ભાજપના નેતાઓ છે. આવી સ્થિતિમાં ભાજપ મુખ્યમંત્રી પદ કોને સોંપે છે તે જોવાનું રહેશે.
- Dilip Chaudhary
- Updated on: Feb 8, 2025
- 11:19 am
Delhi Election Result 2025 : દિલ્હીની મુસ્લિમ બહુમતીવાળી સીટો પર ભાજપ આગળ, ઓખલાના લોકો પણ આશ્ચર્યચકિત
દિલ્હીની મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર ભારે મતદાન થયું હતું. આ મુસ્તફાબાદ, બલ્લીમારન, સીલમપુર, મતિયા મહેલ, ચાંદની ચોક અને ઓખલા સીટ છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર નજીકની સ્પર્ધા છે. દિલ્હીની સીલમપુર, મુસ્તફાબાદ, મતિયા મહેલ, બલ્લીમારન અને ઓખલા સીટ પર બીજેપી સિવાય તમામ પક્ષોના માત્ર મુસ્લિમ ઉમેદવારો જ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
- Devankashi rana
- Updated on: Feb 8, 2025
- 9:57 am