અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના સિવાની નામના ગામમાં થયો હતો. IIT ખડકપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી. દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવી લીધું અને નોકરી છોડીને તૈયારી શરૂ કરી.

તેમણે 1993માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય મહેસૂલ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. દેશમાં માહિતી અધિકારીને લાગુ કરવામાં કેજરીવાલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષ 2006માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.

નોકરી છોડ્યા બાદ કેજરીવાલ સમાજસેવક અણ્ણા હજારેને મળ્યા હતા. આ પછી તેમણે અન્ના હજારે સાથે મળીને લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કર્યું. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન આંદોલન દ્વારા કેજરીવાલને દેશભરમાં ઓળખ મળી. અહીંથી જ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. વર્ષ 2012માં કેજરીવાલે આમ આદમી પાર્ટી નામની રાજકીય પાર્ટી બનાવી હતી.

2013માં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આ સરકાર માત્ર 49 દિવસ ચાલી. 2015માં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી અને કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. 2020માં ફરી ચૂંટણી જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા.

Read More

ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા 5 મોટા સવાલ

સુપ્રીમ કોર્ટે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ EDને 5 પ્રશ્નો પુછ્યા હતા. જેમાં અરજદાર અને ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ સાથે જોડાયેલા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કેજરીવાલ જેલમાં રહેશે કે પછી તેમને રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે ચુકાદો

આજે હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે. 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ AAP નેતાઓ આજે ઉપવાસ આંદોલન પર, દેશ સહિત વિદેશમાં પણ પ્રદર્શન

AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે ભારતના 25 રાજ્યોમાં ઉપવાસનો કાર્યક્રમ છે. વિદેશોમાં પણ ઉપવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમર્થકો ન્યુયોર્ક, બોસ્ટન, ટોરોન્ટો, વોશિંગ્ટન ડીસી, મેલબોર્ન અને લંડન સહિતના ઘણા મોટા આંતરરાષ્ટ્રીય કેન્દ્રોમાં એકઠા થશે અને સમુદાયના ઉપવાસ દ્વારા સીએમ કેજરીવાલને તેમનું સમર્થન આપશે.

અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુજરાતમાં ગૂંજશે, બંનેના પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જુઓ Video

લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને AAP સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગૂંજશે તેવા એંધાણ સર્જાયા છે.

AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું છે કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આવું નહીં કરું તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના 4 નેતાઓ - હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવામાં આવશે.

સ્પેશિયલ ડાયટ-સુગર મશીન અને રામાયણ… CM અરવિંદ કેજરીવાલને જેલમાં શું-શું મળ્યું?

સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે ધાર્મિક પુસ્તકો, ડાયાબિટીસ ચેક કરવાનું સાધન, વિશેષ આહાર અને અન્ય વસ્તુઓની માંગણી કરી હતી. કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે.

Breaking News : 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે કેજરીવાલ, તિહાડ જેલમાં મોકલવામાં આવશે

ઈડીએ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. જેના પર કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે કેજરીવાલને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે. મળતી માહિતી મુજબ કેજરિવાલને આ દરમિયાન તિહાડ જેલ મોકલવામાં આવશે.

કેજરીવાલની ધરપકડ પર હવે UNનું નિવેદન, લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત

દિલ્હીના સીએમની ધરપકડ બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. હવે તેની અસર આખી દુનિયામાં પ્રસરી રહી છે. જર્મની અને અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસના ખાતા સીલ કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જો ભારતે જર્મની અને અમેરિકાને પોતાની ભાષામાં સમાજાવી દીધા છે. પણ યુએનનું નિવેદન પણ એવા સમયે આવ્યું છે, જ્યારે હવે ભારતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ HCમાં દાખલ PIL પર 28 માર્ચે થશે સુનાવણી, CM પદેથી હટાવવાની કરી માંગ

એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે કેજરીવાલ 22 માર્ચથી EDની કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા જોઈએ. હવે કોર્ટ આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરશે.

કેજરીવાલની ધરપકડ અંગે જર્મની બાદ હવે અમેરિકા બોલ્યું, ભારતે યુએસના રાજદૂત બોલાવીને 40 મિનિટ ખખડાવ્યા

ભારતે ગત શનિવારે જર્મન દૂતાવાસના ડેપ્યુટી ચીફને બોલાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. હવે અમેરિકાના નિવેદનને લઈને વિદેશ વિભાગે અમેરિકા એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફને બોલાવીને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

જેલમાંથી ચાલી રહી છે દિલ્હી સરકાર ! કેજરીવાલે EDની કસ્ટડીમાંથી પહેલો આદેશ જાહેર કર્યો

EDની કસ્ટડી દરમિયાન જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી સરકારને લગતો પહેલો આદેશ જારી કર્યો હતો. એક નોંધ દ્વારા, સીએમ કેજરીવાલે પાણી વિભાગ માટે આદેશો જાહેર કર્યો છે

કેજરીવાલે જાતે જ ધરપકડને આમંત્રણ આપ્યું… CM હિમંતા બિસ્વા સરમાએ આવું કેમ કહ્યું?

સીએમ સરમાએ કહ્યું કે જ્યારે કોઈને 8-9 વખત સમન્સ મોકલવામાં આવે છે અને તે સમન્સનું સન્માન કરતા નથી. તેની અવગણના કરે છે. તેનો અર્થ શું છે. આનો અર્થ એ છે કે તમારી જાતને ધરપકડને આમંત્રણ આપવું.

તિહાર જેલમાં આપનું સ્વાગત છે… મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલને જેલમાંથી લખ્યો પત્ર

ઠગ સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલની ધરપકડ પર 22 માર્ચે જેલમાંથી 5 પાનાનો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, તિહાર ક્લબમાં તમારું સ્વાગત છે કેજરીવાલ, હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા માટે અહીં આવ્યા છે. સુકેશે સીએમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તમારી પાર્ટીનો તમામ ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે.

Arvind Kejriwal Arrested: દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને મોટો ફટકો, 6 દિવસના રિમાન્ડ મંજૂર, 28મીએ ફરી થશે હાજર

સીએમ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પણ આજે સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તમને જણાવી દઈએ કે EDની ટીમ ગુરુવારે મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. કેજરીવાલની બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાનની તલાશી બાદ ધરપકડ કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDI ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ, તપાસ એજન્સીઓના દુરુપયોગનો કર્યો આક્ષેપ

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. હવે કેજરીવાલની ધરપકડ પર વિપક્ષી ઈન્ડિ ગઠબંધનમાં સામેલ પક્ષો દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે. ગઈકાલ ગુરુવારે રાત્રે ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">