Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા સિદ્દીકીની સાથે જેને ગોળી વાગી હતી એ વ્યક્તિએ શું કહ્યું ?

બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બાબા જ નહીં પરંતુ અન્ય એક વ્યક્તિ પણ ગોળીબારનો ભોગ બન્યો છે, જેનું નામ રાજ કનોજિયા છે. તેને પણ ગોળી વાગી હતી. 22 વર્ષના રાજને પગમાં ગોળી વાગી હતી. જેના પછી તરત જ ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રાજના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન છે. આવી સ્થિતિમાં તે પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યો છે.

બાબા સિદ્દીકીની સાથે જેને ગોળી વાગી હતી એ વ્યક્તિએ શું કહ્યું ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2024 | 11:22 AM

બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે બાંદ્રામાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. જ્યારે એનસીપી નેતા બાબા સિદ્દીકીને ગોળી વાગી હતી ત્યારે રાજ કનોજિયા નામના 22 વર્ષના છોકરાને પણ ગોળી વાગી હતી, જો કે ગોળી રાજના પગમાં વાગી હતી, ત્યારબાદ રાજને પોલીસની મદદથી બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોએ તેના પર સર્જરી કરી છે.

દરજી કામ કરતા રાજના કહેવા પ્રમાણે, દશેરાના કારણે તેને સાંજે 5 વાગ્યે કામકાજમાંથી રજા આપવામાં આવી હતી. તે માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને તે જ્યુસ પી રહ્યો હતો, ત્યાં જ અચાનક ભાગદોડ મચી ગઈ. રાજને લાગ્યું કે તેના પગમાં કંઈક થયું છે અને તેણે જોયું તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. પહેલા રાજને લાગ્યું કે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ત્યાં કેટલાક લોકો હાજર હતા અને તેઓ રાજને મંદિરની અંદર લઈ ગયા, ત્યારે જાણવા મળ્યું કે તેને ગોળી વાગી હતી. રાજ ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું

બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં એક પછી એક ખુલાસો થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહારાષ્ટ્રના પુણેમાં બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના માટે તેમને બાબા સિદ્દીકીનો ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાના માસ્ટરમાઇન્ડ પુણેના પ્રવીણ લોનકર અને તેનો ભાઈ શુભમ લોનકર છે. હત્યા કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ ખુલાસો થયો હતો.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

ઝીશાન પણ નિશાને હતો

બાબાની સાથે તેનો પુત્ર ઝિશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. તેઓને ઝિશાન અને બાબા સિદ્દીકીને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હુમલાખોરોને બંનેને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો આરોપીઓએ જ પૂછપરછ દરમિયાન કર્યો હતો. જોકે, બાબા સિદ્દીકીને ગોળી વાગી ત્યારે ઝિશાન તેની ઓફિસમાં કોલ એટેન્ડ કરવા માટે રોકાયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">