
બાબા સિદ્દીકી
એનસીપી નેતા બાબા સિદ્દીકી રાજનીતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતું. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1958ના રોજ થયો હતો. 12 ઓક્ટોબર 2024ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ 1999માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ તેઓ પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ તે વર્ષ 2004માં અને ફરી 2009માં જીત્યો હતો.
બાબા સિદ્દીકી એનસીપી પહેલા કોંગ્રેસમાં હતા. જોકે, આ વર્ષે જ તેઓ NCP અજીત પવાર જૂથમાં જોડાયા હતા. તેમની જેમ તેમનો પુત્ર જીશાન સિદ્દીકી પણ રાજકારણમાં છે. એક તરફ, તેઓ સતત ત્રણ ટર્મ સુધી બાંદ્રા પશ્ચિમથી ધારાસભ્ય રહ્યા, તો બીજી તરફ, તેમના તમામ બોલિવૂડ સ્ટાર્સ સાથે સારા સંબંધો હતા. સલમાન, શાહરૂખ, સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ સાથે તેની અંગત મિત્રતા હતી.
બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે રજૂ કરી 4590 પાનાની ચાર્જશીટ, હત્યા માટે ત્રણ કારણો જણાવ્યા
બાબા સિદ્દીક કેસઃ લગભગ 4590 પેજની ચાર્જશીટમાં મુંબઈ પોલીસે હત્યાનું કારણ પણ જણાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, હત્યાના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સલમાન ખાન સાથેની નિકટતા, અનુજ થપ્પનની આત્મહત્યાનો બદલો અને બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવા મુંબઈમાં તેનો ડર વધારવા જેવા કારણો સામેલ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 6, 2025
- 3:51 pm
Year Ender 2024 : એ નામ, જેના કારણે ગુજરાતની જેલોથી માંડીને બિહાર અને મહારાષ્ટ્ર સુધી પોલીસની વધી મુશ્કેલી, જુઓ Photos
આ વર્ષ 2024માં જે ગેંગસ્ટર સૌથી વધુ ચર્ચામાં હતો તે છે લોરેન્સ બિશ્નોઈ. પંજાબના ફાઝિલકાનો રહેવાસી લોરેન્સ હાલમાં જેલમાં છે. ચાલો જાણીએ લોરેન્સનું નામ કયા કેસોમાં સૌથી વધુ ચર્ચામાં આવ્યું...
- Sagar Solanki
- Updated on: Dec 11, 2024
- 7:28 pm
જો બાબા સિદ્દીકી ના મળે તો છોકરાને પતાવી નાખજો…પોલીસ તપાસમાં સામે આવ્યુ કેવી રીતે કરાયું હતુ હત્યાનું આયોજન ?
બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શિવ કુમારે પૂછપરછ દરમિયાન ઘણા રહસ્યો ખોલ્યા છે. તેનું કહેવું છે કે, કપડા બદલ્યા બાદ તે દોઢ કલાક સુધી ઘટનાસ્થળે જ રહ્યો હતો. તેને ઉજ્જૈન અને વૈષ્ણોદેવીથી હપ્તેથી હત્યા અંગે લીધેલી સોપારીના પૈસા મળવાના હતા. આ હત્યા પાછળનો હેતુ બોલિવૂડમાં ખળભળાટ મચાવવો અને પૈસા પડાવવાનો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 12, 2024
- 8:56 am
બાબા સિદ્દીકીના પુત્ર – નવાબ મલિકની પુત્રીને NCP અજીત જૂથે આપી ટિકિટ
NCP અજીત જૂથે નાંદેડની લોહા બેઠક પરથી ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પ્રતાપ ચિખલીકરને ટિકિટ આપી છે. આ સીટ એનસીપી ક્વોટામાં જવાને કારણે બીજેપી નેતા પ્રતાપ એનસીપીમાં જોડાયા અને અજિત પવારે તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા.
- TV9 Gujarati
- Updated on: Oct 25, 2024
- 1:38 pm
‘ભૂલ થઈ ગઈ…’ સલમાનને ધમકી આપનારે માંગી માફી, કહ્યું હતું- બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત કરીશ
મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમે તે યુવકની ઓળખ કરી છે, જેણે વોટ્સએપ પર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત કરવાની ધમકી સલમાન ખાનને આપી હતી. ઝારખંડમાં રહેતા આ યુવકે ફરી એકવાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને મેસેજ મોકલીને માફી માંગી છે. જો કે તેની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસની ટીમ ઝારખંડ પહોંચી ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Oct 21, 2024
- 8:43 pm
કાયદાનો અભ્યાસ, ચૂંટણીમાં હાર, ગર્લફ્રેન્ડની હત્યા…જાણો લોરેન્સ બિશ્નોઈ કેવી રીતે બન્યો ગેંગસ્ટર
લોરેન્સ બિશ્નોઈ હવે અંડરવર્લ્ડની દુનિયામાં એક મોટું ઉભરતું નામ બની ગયું છે. જે કેટલાક વર્ષોથી હાઈપ્રોફાઈલ હત્યાઓમાં સામેલ છે. તાજેતરમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી, તેની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. ત્યારે આ લેખમાં લોરેન્સ બિશ્નોઈ એક વિધાર્થી નેતાથી કેવી રીતે ગેંગસ્ટર બન્યો તેના વિશે જાણીશું.
- Dilip Chaudhary
- Updated on: Oct 16, 2024
- 2:45 pm
Salman Khan security : હવે ચકલું પણ નહીં ફરકી શકે, સલમાનનું ઘર બન્યું ‘કિલ્લો’, બાબા સિદ્દીકીની હત્યા બાદ મળી Y+ સુરક્ષા
Salman Khan security : 12 ઓક્ટોબરના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે બાદ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ જ છે જેણે અગાઉ પણ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ખતરાને જોતા સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Oct 16, 2024
- 8:34 am
બાબા સિદ્દીકીની સાથે જેને ગોળી વાગી હતી એ વ્યક્તિએ શું કહ્યું ?
બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બાબા જ નહીં પરંતુ અન્ય એક વ્યક્તિ પણ ગોળીબારનો ભોગ બન્યો છે, જેનું નામ રાજ કનોજિયા છે. તેને પણ ગોળી વાગી હતી. 22 વર્ષના રાજને પગમાં ગોળી વાગી હતી. જેના પછી તરત જ ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રાજના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન છે. આવી સ્થિતિમાં તે પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 15, 2024
- 11:22 am
સલમાન ખાનને જીવનું જોખમ ! લોરેન્સ બિશ્નોઈના નામે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે નિશાન
સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, અને આ મુદ્દાએ આ વર્ષે એપ્રિલમાં હેડલાઇન્સ બનાવી હતી જ્યારે બિશ્નોઈ ગેંગના બે સાગરિતોએ સલમાનના બાંદ્રાના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો, જેમને પાછળથી ઠાર કરવામાં આવ્યા હતા.
- Devankashi rana
- Updated on: Oct 15, 2024
- 10:02 am
બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું પૂણેમાં ઘડાયું હતું
બાબા સિદ્દીકીની રેકી એક મહિના સુધી કરવામાં આવી હતી અને આ દરમિયાન એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બાબા સિદ્દીકી પર મરીનો સ્પ્રે છાંટવામાં આવે, જેથી તે ભાગી ન જાય. પોલીસનું કહેવું છે કે ફરાર આરોપીની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચુ કારણ જાણી શકાશે.
- TV9 Gujarati
- Updated on: Oct 15, 2024
- 9:04 am
Baba Siddique Murder Case : કોર્ટમાં પહેલીવાર બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ, સરકારી વકીલે કર્યો મોટો દાવો
Baba Siddique Murder Case : મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે રવિવારે પુણેથી અન્ય એક આરોપી પ્રવીણ લોંકરની ધરપકડ કરી છે. આ આરોપી શુભમ લોંકરનો ભાઈ છે. પોલીસે પ્રવીણને કોર્ટમાં રજૂ કર્યો હતો. પ્રવીણના વકીલે ધરપકડ અને રિમાન્ડનો વિરોધ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 15, 2024
- 7:02 am
Baba siddique died : સલમાન ખાને ભારે સુરક્ષા વચ્ચે બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપી, ભાઈજાનનો ઈમોશનલ વીડિયો વાયરલ
એનસીપી અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની શનિવારના રોજ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જેનું બોલિવુડ સાથે સારું કનેક્શન હતુ.
- Nirupa Duva
- Updated on: Oct 14, 2024
- 1:27 pm
પુત્રી ડોક્ટર અને પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય, બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડમાં હતુ મોટું નામ
બાબા સિદ્દીકીનો પરિવાર વધુ મોટો નથી, બાબા સિદ્દીકીના પરિવારમાં તેમના 2 બાળકો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિકરી ડોક્ટર અને દિકરો ધારાસભ્ય છે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તો આજે આપણે બાબા સિદ્દીકીના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Oct 14, 2024
- 12:26 pm
બાબા સિદ્દીકીની હત્યાના આરોપી પર કરવામાં આવ્યો ઓસિફિકેશન ટેસ્ટ, જાણો શું હોય છે એ
એનસીપી અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ધરમરાજ કશ્યપનો ઓસિફિકેશન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સત્ય બહાર આવ્યું હતું. કોર્ટે તેને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 14, 2024
- 9:11 am
Baba Siddique Murder : કોઈ હિસ્ટ્રીશીટર છે તો કોઈ ભંગારનો વેપારી… બાબા સિદ્દીકીની હત્યા કરનારા કોણ છે?
Baba Siddique Murder : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ ધર્મરાજ રાજેશ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને પ્રવીણ લોંકરની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ત્રણ આરોપી શિવ ગૌતમ, શિબુ લોંકર અને જીશાન અખ્તરને શોધી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 14, 2024
- 7:34 am