Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Conference : અમદાવાદમાં ગુનાખોરી અને ડ્રગ્સ સામે કડક પગલાં, સુરક્ષા વધારવાના પ્રયાસો

અમદાવાદ શહેર પોલીસની આજે બુધવારે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ. ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ સાથે કમિશનર જીએસ મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે. 

Crime Conference : અમદાવાદમાં ગુનાખોરી અને ડ્રગ્સ સામે કડક પગલાં, સુરક્ષા વધારવાના પ્રયાસો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 12, 2025 | 11:12 PM

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને ડામવાને લઈને સૂચના આપવામાં આવી છે. લોકોના સહયોગથી વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકએ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી હોવાનું જણાવ્યું હતું. પોલીસના સહયોગથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. ખાનગી સોસાયટીઓ, દુકાનો અને કોમર્શિયલ જગ્યા ઉપર 14,000થી વધારે સીસીટીવી કેમેરા અત્યાર સુધી લાગી ચૂક્યા છે.

અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર

સોસાયટીઓ, ફ્લેટો અને કોમર્શિયલ જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાણ કરવા માટે નું આયોજન કરવામાં આવશે. 2025 નો એક સર્વે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે જેમાં પ્રથમ નંબરે સ્થાન મળ્યું છે જ્યારે બીજા નંબરે ઇંદોર અને ત્રીજા નંબરે મુંબઈ છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

એટલું જ નહીં પોલીસ એકદમ ઇફેક્ટિવ રીતે કામગીરી કરે અને પીસીઆર નો રિસ્પોન્સ ટાઈમ સૌથી ઝડપી થાય તે અંગેની પણ સૂચના આપવામાં આવી છે અરજદારો અને પોલીસ અધિકારીઓ સાંભળે અને તેમની ન્યાયિક કાર્યવાહી કરે તેના માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગુનેગારોમાં ડર ઉભો થાય અને ગુનેગારો પોલીસનો ડર રહે તેવી રીતે કામગીરીની સૂચના આપી હતી.

મેડિકલ ચેકઅપ કરાવવા અંગેનો નિયમ

મહત્વનું છે કે તાજેતરમાં જ કેટલાક પોલીસ અધિકારીઓના હાર્ટ એટેક થી મૃત્યુ થયા છે. જેને લઈને પોલીસ કમિશનરે 40 વર્ષથી ઉપરના જે પોલીસ અધિકારીઓ છે તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા અંગેનો નિયમ હોવાનું કહ્યું હતું..અને જે મુજબ મેડિકલ તપાસ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ અધિકારીઓની ફિઝિકલ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.

50 ટકાથી ઓછા લોકો પરેડમાં ભૂખ્યા પેટે આવ્યા

મોબાઇલમાં અને સોશિયલ મીડિયામાં વધારે કાર્યરત હોય છે. જેથી અધિકારીઓને ફિઝિકલ કસરત કરવા માટે અને પરેડમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે..ખાસ કરીને તાજેતરમાં જ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જે પરેડ યોજવામાં આવી હતી તેમાં મારા ધ્યાને આવ્યું હતું કે 50 ટકાથી ઓછા લોકો પરેડમાં ભૂખ્યા પેટે આવ્યા હતા. જ્યારે પરેડમાં જવાનું હોય ત્યારે ભૂખ્યા પેટે જવું જોઈએ નહીં ચા નાસ્તો જેમાં બિસ્કીટ અને હળવો નાસ્તો કરે તેવી સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીં મોટાભાગના પોલીસ કર્મીઓ પોતાનું વજન ઉતારવાના નામે ભૂખ્યા પેટે આવતા હોય છે જેથી જ્યારે પણ કોઈ પરેડમાં જાય તો ભૂખ્યા પેટે જવુ નહિ તે કડક સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે જી. એસ.મલિકે પોલીસ કમિશનર તરીકે આવ્યા બાદ ચોથી ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">