UPSC Success Story: ખરાબ અંગ્રેજીને પડકાર તરીકે લઈને કરી તૈયારી, Nitin Shakya આ રીતે બન્યા IAS ઓફિસર

નીતિન શાક્ય અભ્યાસમાં એટલા નબળા હતા કે ધોરણ 12માં શાળાના સંચાલકોએ તેમને નાપાસ થવાના ડરથી એડમિટ કાર્ડ આપવાની ના પાડી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:43 PM
વર્ષ 2018માં IAS બનવાનું સ્વપ્ન સાકાર કરનાર નીતિન શાક્યની વાર્તા લાખો ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે. ક્યારેક શાળામાં પરીક્ષા દરમિયાન નાપાસ થવાના ડરથી શાળા મેનેજમેન્ટ દ્વારા તેમને એડમિટ કાર્ડ આપવામાં આવ્યું ન હતું તો ક્યારેક અંગ્રેજી સારું ન હોવાની મજાક પણ કરવામાં આવતી. આવા વિદ્યાર્થીની IAS ઓફિસર બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.

વર્ષ 2018માં IAS બનવાનું સ્વપ્ન સાકાર કરનાર નીતિન શાક્યની વાર્તા લાખો ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે. ક્યારેક શાળામાં પરીક્ષા દરમિયાન નાપાસ થવાના ડરથી શાળા મેનેજમેન્ટ દ્વારા તેમને એડમિટ કાર્ડ આપવામાં આવ્યું ન હતું તો ક્યારેક અંગ્રેજી સારું ન હોવાની મજાક પણ કરવામાં આવતી. આવા વિદ્યાર્થીની IAS ઓફિસર બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.

1 / 6
IAS નીતિન શાક્યએ  (IAS Nitin Shayka) તેમનું શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, જનકપુરી, નવી દિલ્હીમાંથી મેળવ્યું હતું. તેઓ શાળામાં સરેરાશ વિદ્યાર્થી હતા. નીતિન શાક્ય અભ્યાસમાં એટલા નબળા હતો કે 12માં ધોરણમાં શાળાના લોકોએ તેમને એડમિટ કાર્ડ આપવાની પણ ના પાડી દીધી હતી. તેમની શાળાના આચાર્યને લાગતું હતું કે જો તે બોર્ડની પરીક્ષા આપશે તો ચોક્કસ નાપાસ થશે અને શાળાનું નામ બગડશે.

IAS નીતિન શાક્યએ (IAS Nitin Shayka) તેમનું શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, જનકપુરી, નવી દિલ્હીમાંથી મેળવ્યું હતું. તેઓ શાળામાં સરેરાશ વિદ્યાર્થી હતા. નીતિન શાક્ય અભ્યાસમાં એટલા નબળા હતો કે 12માં ધોરણમાં શાળાના લોકોએ તેમને એડમિટ કાર્ડ આપવાની પણ ના પાડી દીધી હતી. તેમની શાળાના આચાર્યને લાગતું હતું કે જો તે બોર્ડની પરીક્ષા આપશે તો ચોક્કસ નાપાસ થશે અને શાળાનું નામ બગડશે.

2 / 6
નીતિનની માતાએ શાળાના લોકોને ઘણી વિનંતીઓ કરી અને તે પછી તેમને એડમિટ કાર્ડ મળી શક્યું. આ ઘટનાએ તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ આવવાને કારણે નીતિનનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી અને સખત મહેનતના કારણે તેમણે મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી.

નીતિનની માતાએ શાળાના લોકોને ઘણી વિનંતીઓ કરી અને તે પછી તેમને એડમિટ કાર્ડ મળી શક્યું. આ ઘટનાએ તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ આવવાને કારણે નીતિનનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી અને સખત મહેનતના કારણે તેમણે મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી.

3 / 6
તેમણે મેડિકલ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવીને ડોક્ટર બનવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. નીતિન અહીંથી ન અટક્યા અને તેમણે સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમના માટે સરળ ન હતો, પરંતુ તેમની હિંમત ઉંચી હતી.

તેમણે મેડિકલ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવીને ડોક્ટર બનવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. નીતિન અહીંથી ન અટક્યા અને તેમણે સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમના માટે સરળ ન હતો, પરંતુ તેમની હિંમત ઉંચી હતી.

4 / 6
જ્યારે નીતિને યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે તે પહેલા જ પ્રયાસમાં ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી ગયા હતા. તે પછી તેમને લાગ્યું કે આ પરીક્ષા ખૂબ જ સરળ છે. આ ગેરસમજને કારણે તેઓ તૈયારીમાં બેદરકારી દાખવતા હતા અને તેના કારણે તેઓ બીજા પ્રયાસમાં મેઈન્સમાં નિષ્ફળ ગયા હતા. આખરે તેમણે પોતાની ભૂલો સુધારી અને ત્રીજા પ્રયાસમાં વર્ષ 2018માં IAS બનવાનું સપનું પૂરું કર્યું.

જ્યારે નીતિને યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે તે પહેલા જ પ્રયાસમાં ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી ગયા હતા. તે પછી તેમને લાગ્યું કે આ પરીક્ષા ખૂબ જ સરળ છે. આ ગેરસમજને કારણે તેઓ તૈયારીમાં બેદરકારી દાખવતા હતા અને તેના કારણે તેઓ બીજા પ્રયાસમાં મેઈન્સમાં નિષ્ફળ ગયા હતા. આખરે તેમણે પોતાની ભૂલો સુધારી અને ત્રીજા પ્રયાસમાં વર્ષ 2018માં IAS બનવાનું સપનું પૂરું કર્યું.

5 / 6
નીતિન કહે છે કે જો તમે કંઈક કરવા માટે નક્કી કરી લો છો તો સખત મહેનતને કારણે તમે ચોક્કસપણે તે પ્રાપ્ત કરી શકો છો. નીતિનના જણાવ્યા અનુસાર UPSC પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને સખત મહેનત, સારી વ્યૂહરચના અને સકારાત્મક અભિગમની જરૂર પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારનો આત્મવિશ્વાસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

નીતિન કહે છે કે જો તમે કંઈક કરવા માટે નક્કી કરી લો છો તો સખત મહેનતને કારણે તમે ચોક્કસપણે તે પ્રાપ્ત કરી શકો છો. નીતિનના જણાવ્યા અનુસાર UPSC પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને સખત મહેનત, સારી વ્યૂહરચના અને સકારાત્મક અભિગમની જરૂર પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારનો આત્મવિશ્વાસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">