AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : દધીચિ બ્રિજ જર્જરિત, શહેરમાં વાહનચાલકો માટે મોટું જોખમ ! જુઓ Video

અમદાવાદના દધીચિ બ્રિજના માત્ર 14 વર્ષમાં જ સળિયા દેખાતા તેની સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે. સુભાષ અને ઇનકમ ટેક્સ બ્રિજની મરામત બાદ, આ સ્થિતિ શહેરના પુલોની નબળી ગુણવત્તા પર પ્રશ્નાર્થ મુકે છે.

Ahmedabad : દધીચિ બ્રિજ જર્જરિત, શહેરમાં વાહનચાલકો માટે મોટું જોખમ ! જુઓ Video
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 02, 2026 | 5:10 PM
Share

અમદાવાદમાં દધીચિ બ્રિજની હાલત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુભાષ અને ઈનકમ ટેક્સ બ્રિજની મરામત બાદ, માત્ર 14 વર્ષ જૂના દધીચિ બ્રિજના સળિયા દેખાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમ, શહેરના મુખ્ય બ્રિજોની સલામતી વિષે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, એલિસબ્રિજ અને સુભાષ બ્રિજ 50 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત છે, છતાં તે હજુ સગવડ સ્થિતિમાં છે. તેના મુકાબલે, નવો દધીચિ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળવો વિચિત્ર બાબત છે.

સ્થાનિકોમાં આ બ્રીજના તૂટેલા ભાગોને લઈને ચિંતાઓ છે. અનેક જગ્યાએ સળિયા અને નુકસાન જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો માટે આ ગતિશીલ સ્થળ જોખમી બની ગયું છે.

આ બ્રિજની હાલત માટે મળતિયા કોન્ટ્રાક્ટરો પર નિષ્ફળ કામગીરીનો આક્ષેપ થયો છે. સ્થાનિક વહીવટકર્તાઓએ તાત્કાલિક તપાસ કરવાની જાહેરાત કરી છે.

નાગરિકો માટે સલાહ આપવામાં આવી રહી છે કે તાજેતરમાં જર્જરિત વિસ્તારોની નજીક વાહન ચલાવતી વખતે વધારાની સાવધાની રાખો અને શક્ય હોય તો વિકલ્પી માર્ગનો ઉપયોગ કરો. આ સ્થિતિને કારણે વાહન ચાલકોનું કહેવું છે કે હવે બ્રિજ કાચા બનાવવામાં આવે છે. કોઈ પણ પુષ્ટિ વિના કોન્ટ્રાકટરોને કામ આપવામાં આવે છે. જેના કારણે કામોની ગુણવતા નબળી સાબિત થાય છે. અને અંતે બ્રિજ તૂટવાની ઘટના બને છે.

મહત્વની વાત તો એ છે કે 4 થી 5 મહિના પેલા જ આ બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટમાં બ્રિજ સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે આ બ્રિજન સળિયા દેખાયા છે.

ગંભીરા બ્રિજ રિપેરિંગ કામગીરી દરમિયાન બેદરકારીના આક્ષેપ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">