કાનુની સવાલ : માતા-પિતામાંથી કોઈ એક પાસે બાળકની કસ્ટડી ગેરકાયદેસર ગણી શકાય નહીં : હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે બાળકની કસ્ટડી પર માતાની અરજી રદ કરી છે. કોર્ટે પિતાને હિંદૂ સગીરના પ્રાકૃતિક સંરક્ષક માન્યા છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી કોઈ અસાધારણ પરીસ્થિતિ કે કોર્ટના આદેશું ઉલ્લંધન ન થાય ત્યાં સુધી પિતાની કસ્ટડી ગેરકાયદેસર નથી.બાળક 2022થી પિતાની સાથે છે.

અલ્લહાબાદ હાઈકોર્ટે સગીર બાળકની કસ્ટડી મામલે એક માતાની અરજી રદ કરી છે. કોર્ટે કહ્યું કે, પિતા હિંદુ સગીરના (Natural Guardian) છે અને જ્યાં સુધી કોઈ કોર્ટના આદેશનું ઉલ્લંધન કરી બાળકને તેની માતાથી જબરદસ્તી અલગ કરી શકાય નહી. જ્યાં સુધી પિતાની કસ્ટડી ગેરકાયદેસર ગણી શકાય નહીં. બાળકની માતાએ કોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી હતી.

બાળકની માતા અરજીકરનારે આરોપ લગાવ્યો હતો કે, તેનો પૂર્વ પતિ જબરદસ્તીથી તેના 2 બાળકોને તેની સાથે લઈ ગયો છે. પતિએ બંદૂકની અણીએ તેના બાળકોને બળજબરીથી છીનવી લીધા છે અને ગેરકાયદેસર રીતે તેમને તેનાથી દૂર રાખી રહ્યો છે.

જસ્ટિસ અનિલ કુમારે તેજસ્વિની ગૌડ અને અન્ય શેખર જગદીશ પ્રસાદ તિવારી કેસમાં હાઇકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. કોર્ટે જણાવ્યું હતું કે, બાળકોની કસ્ટડીના કેસોમાં હેબિયસ કોર્પસ અરજી ફક્ત ત્યારે જ સ્વીકાર્ય છે જો કસ્ટડી ગેરકાયદેસર હોય અથવા કાનૂની અધિકાર વિના હોય.

અંજલી દેવીએ કોર્ટને જણાવ્યું હતું કે ,તેમણે તેના બાળકોની કસ્ટડી મેળવવા માટે ઘણી જગ્યાએ અરજી કરી હતી. જોકે, તેની અરજીઓ છતાં, અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કોર્ટે 10 એપ્રિલના રોજ આદેશમાં ભારતીય દંડ સંહિતાની કલમ 361નું અર્થઘટન કર્યું છે. કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ સગીરને તેના કાનુની વાલીથી દુર રાખી શકાય નહી. આવું કરવું ગુનો છે. કોર્ટે એ પણ જણાવ્યું કે, ગુનો ત્યારે બને છે. જ્યારે બાળકો તેના પ્રાકૃતિક સંરક્ષકથી અલગ કરવામાં આવે. કોર્ટે ગાર્ડિયનશિપ એન્ડ વોર્ડ્સ એક્ટની કલમ 4(2) અનુસાર પિતાને સગીર બાળકનો કુદરતી વાલી માન્યો.

કોર્ટે જણાવ્યું હતું કે પિતાએ બાળકોને તેમની માતાથી બળજબરીથી અલગ કર્યા હોવાનો માત્ર આરોપ એ સાબિત કરતું નથી કે બાળકો ગેરકાયદેસર કસ્ટડીમાં છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે આ કેસમાં બે બાળકો, બંને પાંચ વર્ષથી વધુ ઉંમરના, 2022 થી તેમના પિતા સાથે રહે છે, અને કોઈ અસાધારણ સંજોગો જાહેર કરવામાં આવ્યા નથી જે સૂચવે છે કે તેમની કસ્ટડી ગેરકાયદેસર છે, અને તેથી, આ કોર્ટનો હસ્તક્ષેપ માન્ય નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
