ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ બાલ કેશવ ઠાકરે એક ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી છે. તેઓ તેમના પિતા બાલ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી શિવસેનાના પ્રમુખ પણ છે.
ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960 ના રોજ મુંબઈમાં બાલ ઠાકરે અને મીના ઠાકરે ને ત્યાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને જમશેદજી જીજેભોય સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક થયા. તેમણે 1988માં રશ્મિ પાટણકર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર આદિત્ય ઠાકરે પણ શિવસેનાના નેતા છે, ઉદ્ધવ ઠાકરેને બે ભાઈઓ છે. તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. 2012 માં તેમના પિતા બાલ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બાગડોર સંભાળી અને 2013 માં તેના અધ્યક્ષ બન્યા. 28 નવેમ્બર 2019 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.
મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે
બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણનો નિષ્ફળ ચહેરો છે. તે પોતાના ચહેરાને રાજકારણમાં ચમકાવવા માટે અવાર નવાર પ્રયાસ કરે છે. તાજેતરમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ ઉપર દોડી આવ્યો. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાયેલ મરાઠી ભાષાના વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને પરાણે ઢસડીને સફળતા હાંસલ કરવા માંગે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 22, 2025
- 2:50 pm
Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 3:38 pm
RSS નેતાના એક નિવેદનથી મરાઠી અસ્મિતાની ચિંગારી ફરી સળગી, અસલમાં ભાષા નહીં વોટબેંક છે ખરુ લક્ષ્ય
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યુ કે મુંબઈની એક ભાષા નથી અને એ જરૂરી નથી કે મુંબઈ આવનારા દરેક વ્યક્તિએ મરાઠી શીખવી પડે. આ નિવેદન પર વિપક્ષી મહાવિકાસ અઘાડી દળના નેતાઓ વિફર્યા અને શરૂ થયો મરાઠી ભાષા વિવાદ
- Mina Pandya
- Updated on: Jul 6, 2025
- 1:00 am
Breaking News : બાળા સાહેબ ના કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું ! અમારી પાસે શેરી-ગલીની શક્તિ છે- ઠાકરે
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટો ઘટનાક્રમ બન્યો છે. મનસેના વડા રાજ ઠાકરે અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે આજે 20 વર્ષ પછી એક જ મંચ પર દેખાયા. જોકે, બંને પક્ષો સામે હજુ પણ ઘણા પડકારો છે અને આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ બંને પક્ષોની એકતાની લિટમસ કસોટી સાબિત થશે.
- Dhinal Chavda
- Updated on: Jul 5, 2025
- 2:20 pm