AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ બાલ કેશવ ઠાકરે એક ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી છે. તેઓ તેમના પિતા બાલ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી શિવસેનાના પ્રમુખ પણ છે.

ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960 ના રોજ મુંબઈમાં બાલ ઠાકરે અને મીના ઠાકરે ને ત્યાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને જમશેદજી જીજેભોય સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક થયા. તેમણે 1988માં રશ્મિ પાટણકર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર આદિત્ય ઠાકરે પણ શિવસેનાના નેતા છે, ઉદ્ધવ ઠાકરેને બે ભાઈઓ છે. તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. 2012 માં તેમના પિતા બાલ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બાગડોર સંભાળી અને 2013 માં તેના અધ્યક્ષ બન્યા. 28 નવેમ્બર 2019 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.

Read More

Breaking News: ઉદ્ધવ-ફડણવીસ એક જ ફ્લાઈટમાં સાથે નીકળ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા બદલાવના સંકેત

મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર' બાદ મોટો ઉલટફેર થયો છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો શિંદે જૂથમાં જોડાતા મોટો ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ આ જ રાજકીય ગરમાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક જ ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવનો ઉદ્ધાર નહીં પડતી ! 6 સાંસદ પક્ષ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા

ઉદ્ધવ જૂથના છ સાંસદોને આવકારતા શિંદેએ કહ્યું કે,, "શિવસેના એક પરિવાર છે. કટ્ટર શિવસૈનિક સાંસદો વાસ્તવિક શિવસેનાના પરિવારમાં જોડાયા છે. શિવસેના પરિવાર જે બાળાસાહેબના આદર્શોને સમર્થન આપે છે. હું તેમનું પક્ષમાં સ્વાગત કરું છું." "આપણી વિચારધારાની લડાઈ છે,"

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી

ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકર એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. કાર્યકરોની બેઠકમાં તેમણે લોકહિતના કામો માટે સત્તા સાથે રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કુતરા ભસતા રહે, વાઘ શિકાર કરે- શિવસેનાના સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરે પર એકનાથ શિંદેના પ્રહાર

શિંદેએ દાવો કર્યો હતો કે, "મારા શિવસૈનિકો બાળાસાહેબ ઠાકરેના સાચા વારસદાર છે. ઉત્તરાધિકાર લોહીના સંબંધોથી નહીં, પણ વિચારધારાથી નક્કી થાય છે. શિવસેના જમીનનો ટુકડો નથી. તે લાખો લોકોની વિચારધારા છે."

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, હું પદ છોડવા તૈયાર છું, પણ… પક્ષના વિભાજન વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર કર્યા પ્રહારો

શિવસેના સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સત્તા માટે રાજકારણ નથી કરતા અને જ્યારે પણ પ્રશ્નો ઉભા થયા, પદ છોડવા તૈયાર હતા.

Breaking News : શિવસેનાના 60માં સ્થાપના દિવસે મહારાષ્ટ્રની રાજનીતિનો મોટો દિવસ, બંને જૂથ કરશે આજે તાકાતનું પ્રદર્શન

આજે 19 જૂને મુંબઈમાં બે અલગ અલગ જૂથો દ્વારા શિવસેનાનો 60મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગોરેગાંવમાં એક કાર્યક્રમ યોજશે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સાયનમાં એક કાર્યક્રમ યોજશે.

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો! 6 બાગી સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, પાર્ટીમાં ફૂટ લગભગ નિશ્ચિત

શિવસેના (UBT)માં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. સંસદીય દળની બેઠકમાં માત્ર 3 સાંસદો હાજર રહ્યા હતા, જ્યારે 6 સાંસદોએ ગેરહાજરી નોંધાવી અલગ સંસદીય જૂથ બનાવ્યાનો દાવો થયો છે. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં વધુ એક મોટા વિભાજનની અટકળો તેજ બની છે.

Maharashtra Breaking News : સુરત-ગુવાહાટી નહીં, આ જગ્યાએ છુપાયા છે ઉદ્ધવ ઠાકરેના સાંસદો !

ગઈકાલથી (17 જૂન) ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે (UBT)ના સાંસદો શિંદેના જૂથમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સંદર્ભમાં એક મોટી અને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે અને ઠાકરેના સાંસદનું સ્થાન સામે આવ્યું છે.

Maharashtra Breaking News : દરેક સાંસદને ₹15 કરોડ એડવાન્સ ! સંજય રાઉતના દાવાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. 'ઓપરેશન ટાઇગર' ના ભાગ રૂપે 6 UBT સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે આ સાંસદોને ₹15 કરોડની ઓફર મળી છે. શિંદે અને ઘણા UBT સાંસદો દિલ્હીમાં છે. જેના કારણે રાજકીય ગતિવિધિઓમાં તીવ્ર વધારો થયો છે.

Breaking News: ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી મોટું ભંગાણ? 7 સાંસદોને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના 7 લોકસભા સાંસદ એકનાથ શિંદેના ગૂટમાં જોડાશે તેવી અટકળોએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી ગરમાવો લાવ્યો છે. જોકે UBT નેતૃત્વે તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી

Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.

BMC Election Breaking: BMCના ચૂંટણી પરિણામો બાદ શિંદે સેનાને હોર્સ ટ્રેડિંગનો ડર.. ચૂંટાયેલા કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કરાયા શિફ્ટ..

ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. 25 વર્ષ પછી, ભાજપ પોતાના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે. એકનાથ શિંદે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી તેમની સોદાબાજી શક્તિમાં પણ વધારો થયો છે. કદાચ આ જ કારણ છે કે શિવસેના હોટલ રાજકારણનો આશરો લઈ રહી છે.

વહુ ફેશન ડિઝાઈનર, દીકરો કાર્ટુનિસ્ટ, દીકરો કરે છે ફિલ્મોમાં કામ, આવો છે રાજ ઠાકરેનો પરિવાર

રાજકારણમાં રાજ ઠાકરે પોતાના ભાષણો માટે હંમેશા ચર્ચામાં રહે છે.મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારની ભૂમિકા ખુબ જ મોટી રહી છે. તો ચાલો આજે આપણે રાજ ઠાકરેના પરિવાર વિશે વાત કરીએ.

BMC Election Results 2026 Breaking News : મુંબઈ ઠાકરે મુક્ત થતા, ભાજપની આવી પહેલી પ્રતિક્રિયા, ઠાકરે બંધુના મરાઠી રાજકારણની, દુકાન બંધ થઈ ગઈ ?

આખા દેશનું ધ્યાન ખેંચનારી, સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેનાએ, મુંબઈમાં ધારી સફળતા મેળવી છે. આ દરમિયાન, ભાજપના નેતા પ્રવિણ દરેકરે આપેલી પ્રતિક્રિયા સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">