સંસદ સત્ર
સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.
તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.
આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.
સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.
Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. રાહુલ ગાંધી ભારતના પૂર્વ સૈન્યવડા એમ એમ નરવણેના પુસ્તક પર ચીનની ઘૂસણખોરીને લઈને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે ભાજપે વળતો જવાબ આપ્યો છે. આ હોબાળાને કારણે, પીએમ મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન લોકસભામાં થઈ શક્યું નથી.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2026
- 5:45 pm
સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ
રાહુલ ગાંધીએ લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખ્યું ત્યારે અધ્યક્ષે તેમને બોલવા દેવાનો ઇનકાર કર્યો, જેના કારણે હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે, વિપક્ષી સાંસદો ટેબલ પર ચઢવા લાગ્યા, અને કેટલાકે તો સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે પહેલા ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી અને ત્યાર બાદ બુધવાર સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2026
- 5:14 pm
02 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે
Gujarat Live Updates આજ 02 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 9:29 pm
ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે."
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2026
- 5:24 pm
Budget 2026 : MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
ણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2026 થી લઘુત્તમ ટેકાના ભાવ (MSP), સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2026
- 2:45 pm
Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.
- Manish Gangani
- Updated on: Dec 17, 2025
- 7:01 pm
વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો
વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 5:17 pm
PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદભવનમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક સંસદભવન સ્થિત વડાપ્રધાનના કાર્યાલયમાં યોજાઈ હતી. પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચેની બેઠકના અહેવાલથી રાજકીય ગરમાવો વધી ગયો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 10, 2025
- 3:56 pm
મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ
રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.
- TV9 Gujarati
- Updated on: Dec 9, 2025
- 3:36 pm
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 2,00,000થી વધુ ખાનગી કંપનીઓના દરવાજા વાગ્યાં ખંભાતી તાળા
દેશમાં વર્તમાનમાં અમલી કંપની અધિનિયમ, 2013 અનુસાર, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ રાખે છે અથવા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડમાંથી દૂર થવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરી શકાય છે.
- TV9 Gujarati
- Updated on: Dec 9, 2025
- 2:35 pm
ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો… લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video
લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ એક પ્રાઈવેટ મેંબર બિલ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યુ. આ બિલમાં પ્રસ્તાવ છે કે કર્મચારીઓને ઓફિસના સમય પછી ઓફિશિયલ કોમ્યુનિકેશન સાંભળવા માટે મજબુર ન કરવામાં આવે.
- Mina Pandya
- Updated on: Dec 8, 2025
- 4:01 pm
“આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા” સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા
સંસદમાં હંગામો કરી રહેલા સાંસદોને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની જ પાર્ટીના સાંસદોને ટકોર કરી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જનતાએ આપણને અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, હંગામો કરવા અને બૂમો પાડવા માટે નહીં.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 2:42 pm
ઓફિસ સમય પછી તમારે કોલ્સ અને ઇમેઇલનો જવાબ આપવાની જરૂર રહેશે નહીં, સંસદમાં રજૂ કરાયેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે?
સાંસદ સુપ્રિયા સુલેએ રજૂ કર્યો 'ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર બિલ 2025', જે કામના કલાકો પછી ઇમેઇલ અને કોલ્સનો જવાબ ન આપવાનો અધિકાર આપશે. અન્ય મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થયા છે. આ બિલ શું છે અને કેવી રીતે કાર્ય કરશે તે સરળ ભાષામાં જાણો.
- Manish Gangani
- Updated on: Dec 6, 2025
- 10:28 am
ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ
વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Dec 2, 2025
- 2:32 pm
રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો
આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 1, 2025
- 2:35 pm