
સંસદ સત્ર
સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.
તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.
આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.
સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.
Breaking News : લોકસભામાં કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ, શું છે આરોપ?
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે, લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી માહિતી આપવાનો અને સંસદ ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. કોંગ્રેસે રિજિજુ સામે વિશેષાધિકાર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2025
- 3:45 pm
Breaking News : સરકારે સાંસદોને આપી મોટી ભેટ, પગાર, પેન્શન અને DA માં કરાયો આટલો વધારો
સાંસદોનો માસિક પગાર પહેલા રૂ. 1,00,000 હતો જે વધારીને રૂ. 1,24,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. તે જ સમયે, દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન પણ 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે.
- Kinjal Mishra
- Updated on: Mar 24, 2025
- 5:25 pm
વૈશ્વિક ગરમી અને ક્લાઈમેટ એક્શનને લઈને ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ પરિમલ નથવાણી
વિશ્વમાં વધતા ઉષ્ણતામાનની સમસ્યા આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંથી એક બની ગઇ છે. જેમાં મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં ઉત્સર્જનો જવાબદાર છે. પરંતુ ભારત, જે વિશ્વની 17 %થી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે, વૈશ્વિક ગરમી વિરુદ્ધ લડાઈમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 3:55 pm
શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે
દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 7:12 pm
સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video
વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કર્યો હતો.
- Devankashi rana
- Updated on: Feb 11, 2025
- 2:26 pm
ભારતીયોને હથકડી સાથે પરત મોકલવા મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકાએ કહ્યુ મોદી ટ્રમ્પ સારા મિત્રો તો આવુ કેમ?
અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા, તે ચિંતાનો વિષય છે. જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા છે. પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે આ ટ્રોમા તેઓ ક્યારેય નહી ભૂલી શકે. આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે, આ કોઈ પહેલીવાર નથી
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2025
- 8:49 pm
12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા ઘટાડીને અમે મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નહીં લાગે. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે જે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2025
- 7:30 pm
દેશમાં બેરોજગારીનો ઉકેલ UPA કે NDA ને હજુ સુધી મળ્યો નથી : રાહુલ ગાંધી
રાષ્ટ્રપતિએ બજેટસત્ર પૂર્વે સંસદને કરેલા સંબોધન પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી યુપીએ કે એનડીએને મળ્યો નથી. પીએમ મોદીનો 'મેક ઇન ઇન્ડિયા'નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાં કંઈ થયું નહીં. તેમના પ્રયાસને નિષ્ફળતા સાંપડી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2025
- 3:32 pm
NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?
જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2025
- 5:09 pm
Poor Lady ! રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીની ટિપ્પણીએ સર્જ્યો રાજકીય હોબાળો
સંસદના બજેટસત્રના બીજા તબક્કાના પ્રારંભે રાષ્ટ્રપતિના સંબોધન પછી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, પરંતુ સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂના એક કલાક લાંબા ભાષણ પછી રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સોનિયાને પ્રતિક્રિયા આપતા સાંભળવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 31, 2025
- 5:39 pm
Economic Survey : ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ, 2026 માં GDP 6.8 ટકાના દરે વધશે
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો. આર્થિક સર્વેની સમીક્ષા અનુસાર, ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.4 ટકા રહેવાની સંભાવના છે. ભારતના અર્થતંત્રને લગતા આર્થિક સર્વે નામુખ્ય મુદ્દાઓ પર કરીએ એક નજર.
- TV9 Gujarati
- Updated on: Jan 31, 2025
- 3:39 pm
Economic Survey 2025 : આર્થિક સર્વેક્ષણ શું છે ? દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ તેમા કેવી રીતે જણાવાય છે?
કેન્દ્ર સરકાર, આગામી 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. પરંતુ બજેટ રજૂ કર્યા પહેલા દેશમાં આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે. જે દેશની વર્તમાન વર્ષની અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવે છે. આખરે આ આર્થિક સર્વેક્ષણ શું છે?
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2025
- 4:07 pm
JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત
વકફ સુધારા બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના વિરોધ બાદ, કેન્દ્ર સરકારે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ JPC ની રચના કરી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 27, 2025
- 6:22 pm
Budget 2025 : દેશના 64 વર્ષ જૂના આવકવેરા કાયદામાં થશે ફેરફાર ? સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ એક નવો કાયદો હશે, હાલના કાયદામાં સુધારો નહીં. હાલમાં કાયદા મંત્રાલય દ્વારા કાયદાના મુસદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે અને તેને બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 18, 2025
- 7:40 pm
અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સમયે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસ શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસ 24મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ અને 27મી ડિસેમ્બરે મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 22, 2024
- 1:26 pm