AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, ‘હું આઘાતમાં છું’

દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ આર. સુધા પર ચેઇન સ્નેચિંગનો હુમલો થયો છે. સવારે ચાલતી વખતે અજાણ્યા શખ્સે તેમની સોનાની ચેઇન સ્નેચિંગ કરી છે.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, 'હું આઘાતમાં છું'
| Updated on: Aug 04, 2025 | 7:01 PM
Share

સોમવાર, 5 ઑગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્રના 11મા દિવસે દુઃખદ ઘટના સામે આવી છે. તામિલનાડુના કોંગ્રેસ સાંસદ આર. સુધા સાથે દિલ્હીમાં સોનાની ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. તેઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સાંસદ પણ સુરક્ષિત નથી: આર. સુધાની નોંધપાત્ર ટિપ્પણી

સાંસદ આર. સુધા, જેઓ તામિલનાડુના મયિલાદુથુરાઈમાંથી ચૂંટાઈ આવ્યા છે, તેઓ સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે ચાણક્યપુરી વિસ્તારમાં નીકળ્યા હતા. પોલેન્ડ દૂતાવાસ પાસે એક બાઈક પર સવાર અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે 32 ગ્રામ વજનની સોનાની ચેઇન છીનવી લીધી અને ફરાર થઈ ગયો. આ ઘટનામાં તેમને ઈજા થઈ અને તેઓ આઘાતમાં આવી ગયા.

ગૃહમંત્રાલય, લોકસભા સ્પીકર અને પોલીસને ફરિયાદ

આ ઘટના બાદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર અને દિલ્હી પોલીસને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. પત્રમાં તેમણે જણાવ્યું, “આ ગુનાહિત હુમલાએ મને આઘાતમાં મૂકી દીધા છે. મે મારી ચેઇન ગુમાવી છે અને મારી સુરક્ષાની ગંભીરતા વિશે સવાલ ઊભો થયો છે.”

દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ સવારના સમયમાં ચેઇન સ્નેચિંગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપીની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને તપાસ ઝડપથી ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીનો સરકારે નિંધા સાથે પ્રહારો

દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા ‘X’ (અગાઉનું ટ્વિટર) પર સરકાર પર પ્રહારો કરતાં લખ્યું, “દિલ્હીમાં ચેઇન અને મોબાઈલ લુંટની ઘટનાઓ રોજિંદી બાબત બની ગઈ છે. લોકો FIR પણ નોંધાવા ભયભીત થાય છે કારણ કે તેમનું વિશ્વાસ ચુકી ગયું છે.”

સંસદ સત્રમાં વિક્ષેપ યથાવત

લોકસભામાં બિહાર વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતાં, સત્ર બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું. ચોમાસુ સત્રમાં હજુ સુધી ફક્ત બે દિવસ કામકાજ થઈ શક્યું છે. આજે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદા (સુધારા) બિલ પર ચર્ચા થવાની શક્યતા છે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંગે આગામી પગલાં

ગૃહમંત્રી અમિત શાહ 13 ઑગસ્ટે રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાના છે. લોકસભા દ્વારા આ પ્રસ્તાવને 30 જુલાઈએ મંજૂરી મળી ગઈ છે.

 PM મોદી અને અમિત શાહ અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા, કારણ જાણવા અહીં ક્લિક કરો..

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">