ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભા

વિધાનસભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા લોકોના મતથી ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે. ગુજરાત વિધાનસભા એ ભારતના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારાસભા છે. તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે.

હાલમાં વિધાનસભા 182 ધારાસભ્યો ગુજરાતના 182 મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે. ધારાસભ્ય કે વિધાનસભ્યની મુદત 5 વર્ષની હોય છે.

1960 માં ગુજરાત રાજ્યની રચના પછી સૌ પ્રથમ અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના હાલના ઓપીડી બિલ્ડીંગથી વિધાનસભાની કામગીરી શરૂ થઈ હતી. નવી રાજધાની ગાંધીનગરનું નિર્માણ 1971માં કરવામાં આવ્યું હતું.

Read More

ગુજરાત ચૂંટણી 2024 : આખા ગુજરાતમાં લોકો એક-એક મત આપશે, પરંતુ આ પાંચ વિસ્તારના લોકો બે-બે મત આપશે, જાણો આવુ કેમ ?

લોકશાહીના પર્વમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય તે ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના 5 વિસ્તાર એવા છે કે જ્યાં મતદારોએ 2-2 વાર મતદાન કરવું પડશે.

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ, નવા ચહેરાઓને મળશે તક, જુઓ Video

ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: થોડા મહિના પહેલા કેસરિયો કરનાર ચિરાગ પટેલને ભાજપે ખંભાત બેઠક પર આપી ટિકિટ, જાણો કોણ છે ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીમાં માટે ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં ભાજપે કુલ પાંચ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.

Mehsana: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તામાં નારાજગી

લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેને લઈ ભાજપે વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપી છે. સીજે ચાવડાને મેદાને ઉતારતા જ સ્થાનિક ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : ભાજપે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને આપી ટિકિટ, 1997થી રાજકારણમાં જોડાયેલા

ભાજપ દ્વારા લોકસભા સાથે યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી જીતેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને કેસરિયા કર્યા હતાં.

વિજાપુર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા, જાણો

મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ ભાજપે સીજે ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે. સીજે ચાવડા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધર્યુ હતુ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ ધારણ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે વાઘોડિયા બેઠક પરથી ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા મેદાને, જાણો તેમના વિશે

ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે.

Video : પોરબંદરની પેટાચૂંટણી માટે ભાજપે અર્જુન મોઢવાડિયાને આપી ટિકિટ, મોઢવાડિયાએ કહ્યુ- ઐતિહાસિક લીડથી ભાજપ વિજયી બનશે

ગુજરાતમાં 7 મેએ લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવાની છે. 4 કોંગ્રેસ, 1-1 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હવે ભાજપે આ તમામ લોકોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ એકલા હાથે પેટાચૂંટણી લડશે : શક્તિસિંહ ગોહીલ

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મહાગઠબંધન હેઠળ લડી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે તો બેઠકની ફાળવણી થઈ ગઈ છે. પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે બન્ને પક્ષ વચ્ચે બેઠકની ફોર્મ્યૂલા સામે આવી નથી. તેવા સમયે શક્તિસિંહનું નિવેદન સૂચક મનાઇ રહ્યું છે.

Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, ‘અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું’

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.

Video: ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ, 5 બેઠકો પર 7મી મેના રોજ મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. હાલમાં જ વર્તમાન ધારાસભ્યોના રાજીનામાને કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પંચે વિસાવદર બેઠકનો સમાવેશ કર્યો નથી.

બનાસકાંઠાઃ નર્મદાના નીર 106 તળાવોમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ વધામણાં કર્યા, જુઓ

બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી 106 તળાવો ભરવા માટેની શરુઆત કરવામાં આવી છે. તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકો માટે ખુશીઓ વ્યાપી છે. થરાદ, ડીસા, લાખણી અને દાંતીવાડાના 39 ગામના તળાવોમાં પાણી ભરવામાં આવનાર છે.

‘રામ’ના નામે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ, જુઓ રાજીનામા બાદ શું કહ્યું

મલ્લિકાર્જુન ખડગેને રામ મંદિરનું કારણ આગળ કરી રાજીનામું મોકલી દીધું છે. ત્યારે આગામી સમયમાં અર્જુન મોઢવાડિયા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. લોકસભા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થઈ રહ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડીયાએ રાજીનામાનો પત્ર મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો.

લોકસભા સાથે વિધાનસભાની આ 4 બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી, ક્યારે થશે જાહેર? જાણો

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોને જાહેર કરવા સાથે જ હવે માહોલ ચૂંટણીમય બનવા લાગ્યો છે. રાજ્યમાં જાહેર થયેલ લોકસભા બેઠકના ઉમેદવારોએ હવે વિસ્તારમાં ચૂંટણી પ્રચારને લઈ પોતાની ગતિવિધીઓ પણ શરુ કરી દીધી છે. હવે આ સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ ચાર બેટક માટે જાહેર થઈ શકે છે.

ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિમલ ચુડાસમાએ કરી રજૂઆત, પોરબંદર-છાયા અને નડિયાદને અપાયો મનપાનો દરજ્જો- વીડિયો

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગઈકાલે પોરબંદર-છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ ગીર સોમનાથને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી છે.

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">