AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એકનાથ શિંદે

એકનાથ શિંદે

એકનાથ શિંદે મહારાષ્ટ્રના અગ્રણી નેતા છે. તેઓ પ્રખર શિવસૈનિક તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૃદુભાષી રાજકારણી તરીકે જાણીતા છે. સાદા રિક્ષાચાલકથી લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સુધીની તેમની સફર આશ્ચર્યજનક છે. 18 વર્ષની ઉંમરે તેઓ થાણેથી શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના નેતા આનંદ દિઘેના સંપર્કમાં આવ્યા હતા. શિવસેનાના દરેક આંદોલનમાં ભાગ લીધો. મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેની સરહદને લઈને થયેલા આંદોલન દરમિયાન પોલીસ દ્વારા તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.

1997માં આનંદ દિઘેએ તેમને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં શિંદેની ભવ્ય જીત થઈ હતી. તે પછી તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા પણ બન્યા. તેમણે ગૃહના નેતા તરીકે સેવા આપ્યા બાદ 2004માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેઓ પ્રથમવાર જ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. 2004 થી, તેઓ સતત ચાર વખત કોપરી પચાપક્કડી મતવિસ્તારમાંથી ધારાસભ્ય પદ પર ચૂંટાયા છે.

ત્યારબાદ 2014માં શિવસેના વિરોધ પક્ષમાં બેસવા જઈ રહી હતી. ત્યારબાદ તે 12 દિવસ માટે ગ્રુપ લીડર બન્યો. શિવસેના સત્તામાં આવ્યા પછી તેઓ મંત્રી પણ બન્યા. શિંદે અગાઉ 2015 થી 2019 સુધી જાહેર બાંધકામ મંત્રી તરીકે સેવા આપી હતી. 2019 માં, તેઓ કોપરી પચાપક્કડી વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા. પછીથી તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં શહેરી વિકાસ મંત્રી બન્યા હતા. જોકે, ઠાકરે સરકારમાં હતા ત્યારે શિંદેએ બળવો કર્યો હતો.

એકનાથ શિવસેનાના 40 ધારાસભ્યો અને દસ અપક્ષ ધારાસભ્યોને લઈને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. તે પછી ભાજપ અને શિંદે જૂથે રાજ્યમાં સત્તા સ્થાપી. એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેના અને ધનુષ અને તીર પ્રતીકનો દાવો કર્યો હતો. ચૂંટણી પંચે શિંદે જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ પણ આપ્યું હતું.

 

Read More

Breaking News : તુર્કી સામે ભારત સરકારે કરી મોટી કાર્યવાહી, Celebi એરપોર્ટની સિક્યુરિટી ક્લિયરન્સ કરી રદ

ભારત સરકારે તુર્કી સામે મોટી કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન બ્યુરોએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી છે.

શિંદે જૂથને પંસદ ના આવી કૃણાલ કામરાની સ્ટેન્ડઅપ કોમેડી, શિવસૈનિકોએ તોડફોડ કર્યા બાદ, તંત્રે ઉગામ્યો હથોડો

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આ પછી, શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી છે. FIR દાખલ થયા પછી, તેણે કુણાલ કામરાને સંદેશ મોકલ્યો કે, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.

Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?

મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.

Maharastra : મોવડીમંડળે નવા મંત્રીમંડળને આપ્યું ગ્રીન સિગ્નલ, શનિવારે શપથવિધિ, સૌની નજર શિંદે-અજીતના ખાતા પર

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે તમામની નજર કેબિનેટ વિસ્તરણ પર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અજિત પવાર અને એકનાથ શિંદેને કયું મંત્રાલય ફાળવવામાં આવે છે તેના પર સૌની નજર છે?

દેવેન્દ્ર ફડણવિસ ત્રીજીવાર બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિંદે અને અજીત પવારને મળ્યુ નાયબ મુખ્યમંત્રી પદ

દેવેન્દ્ર ફડણવિસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ત્રીજીવાપ શપથ ગ્રહણ કર્યા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Breaking news : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ત્રીજી વખત સીએમ બનશે, આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ આજે મળી ગયો છે. ભાજપે રાજ્યની કમાન દેવેન્દ્ર ફડણવીસને સોંપી છે. તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે. તેઓ 2014માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પણ હતા.

આજે જાહેર થઇ જશે મહારાષ્ટ્રના CMનું નામ, 5 ધારાસભ્યો પર 1 મંત્રી, જાણો નવી કેબિનેટની ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં આજે ભાજપ ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. પહેલાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ હતી. નવી સરકારમાં ભાજપ, શિવસેના અને અજિત પવારના પક્ષના મંત્રીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ત્રણેય પક્ષોના નેતાઓ બુધવારે રાજ્યપાલને બહુમતનો આંકડો રજૂ કરશે.

મહારાષ્ટ્રમાં સરકારની રચના પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, ડૉક્ટરોની ટીમ પહોંચી સતારા

એકનાથ શિંદે શુક્રવારે અચાનક તેમના ગામ પહોંચ્યા. શિંદેના ગામમાં જવાને કારણે મહારાષ્ટ્રમાં NDAની પ્રસ્તાવિત બેઠક રદ કરવામાં આવી હતી. શિંદે આજે ડેપ્યુટી સીએમને લઈને મોટી જાહેરાત કરવાના હતા.

આજે એકનાથ શિંદે લઈ શકે છે મોટો નિર્ણય, શું ભાજપની ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં સતત વિલંબ થઈ રહ્યો છે. સીએમ એકનાથ શિંદે તેમના વતન ગામની મુલાકાત લેવાના કારણે શુક્રવારે પ્રસ્તાવિત મહાયુતિની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, શિંદે શનિવાર સાંજ સુધીમાં મોટો નિર્ણય લેશે. શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે હવે આ બેઠક રવિવારે મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે.

29 નવેમ્બરના મહત્વના સમાચાર : સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દેશભરમાં આવ્યુ પ્રથમ ક્રમે, ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી DGP સંમેલનમાં કરાઈ જાહેરાત 

Gujarat Live Updates : આજે 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

શિંદેએ પોતાને CM રેસમાંથી ગણાવ્યા બહાર, ફડણવીસ પર સસ્પેન્સ, જાણો કયા સમીકરણથી મુખ્યમંત્રી બનશે?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ બુધવારે મોડી રાતે મુલાકાત કરી હતી. જેેણે ફરીથી CMના નામ પર સસ્પેન્સ વધારી દીધું છે, કારણ કે પીએમ મોદી અને શાહ તેમના નિર્ણયોથી હંમેશા સૌને આશ્ચર્યમાં મુકી દે છે. મહારાષ્ટ્રમાં બીજેપી નવા સીએમના નામને લઈને ખૂબ જ હિલચાલ કરી રહી છે. ચૂંટણીમાં શાનદાર પરિણામો બાદ ભાજપ દરેક રાજકીય સમીકરણોને વ્યવસ્થિત રાખવા માંગે છે.

28 નવેમ્બરના મહત્વના સમાચાર : 6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ, અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

Gujarat Live Updates : આજે 28 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

એકનાથ શિંદેએ ખુરશી છોડવાના આપ્યા સંકેત, કહ્યું- ભાજપના CM મને મંજૂર

થાણેમાં પત્રકાર પરિષદને સંબોધતા એકનાથ શિંદેએ સીએમને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અવરોધ નથી. મને ભાજપ સરકારથી કોઈ વાંધો નથી. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.

એકનાથ શિંદે માટે ભાજપની નવી ઓફર સ્વીકારવી સરળ નથી, જાણો કઇ 2 ઓફર આપી

મહારાષ્ટ્રમાં ભાજપની શાનદાર જીતથી રાજકીય દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સત્તાની કમાન શિંદેને સોંપનાર ભાજપ હવે તેમને પોતાના મુખ્યમંત્રી બનાવવાની કોશિશ કરી રહી છે અને અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમત થવાને કારણે એકનાથ શિંદે મૂંઝવણમાં ફસાઈ ગયા છે.

મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ છતા CM કોણ તે નક્કી નહીં, રાજ્યપાલે કહ્યુ- એકનાથ શિંદે હાલ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે

ચૂંટણીના પરિણામો આવ્યાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના  એવા આગ્રહને કારણે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી રહે. 

g clip-path="url(#clip0_868_265)">