Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અબુ ધાબી

અબુ ધાબી

અબુ ધાબી શહેર મધ્ય પશ્ચિમ કિનારે પર્સિયન ગલ્ફમાં એક ટાપુ પર સ્થિત છે. 2021 સુધીમાં અબુ ધાબીના શહેરી વિસ્તારની અંદાજિત વસ્તી 1.5 મિલિયન હતી. અબુ ધાબીના અમીરાતમાં 2.9 મિલિયનમાંથી 2016 સુધીમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક શહેરમાં છે. અબુ ધાબી પોતે ત્યાં મુખ્યમથક ધરાવતા વિવિધ સાર્વભૌમ સંપત્તિ ભંડોળના સંયોજનમાં સંચાલન હેઠળની એક ટ્રિલિયન યુએસ ડોલરની સંપત્તિ ધરાવે છે.

અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિનું ઘર છે. જે અલ નાહયાન પરિવારના સભ્ય છે. અબુ ધાબીના ઝડપી વિકાસ અને શહેરીકરણ, વિશાળ તેલ અને ગેસના ભંડાર અને ઉત્પાદન અને પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક, તેને એક વિશાળ, વિકસિત મહાનગરમાં પરિવર્તિત કરી દીધું છે. તે દેશનું રાજકારણ અને ઉદ્યોગનું કેન્દ્ર છે અને એક મુખ્ય સંસ્કૃતિ અને વાણિજ્ય કેન્દ્ર છે. આશરે $503 બિલિયન UAE અર્થતંત્રમાં અબુ ધાબીનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ છે.

Read More

TV9ની WITT સમિટમાં PM મોદીનું સંબોધન, લુલુ ગ્રુપના માલિકોએ અબુધાબીમાં બેસીને સાંભળ્યું, જુઓ ફોટો

TV9 નેટવર્કની 'વોટ ઈન્ડિયા થિંકસ ટુડે'ની ત્રીજી આવૃત્તિ, ગત 28 માર્ચે, દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટને જોવા માટે ઘણા દેશોમાંથી ભારતના લોકો આવ્યા છે. પીએમ મોદીએ, હોટલની અંદર યોજાતા ટીવી કાર્યક્રમોની પરંપરા તોડવા બદલ TV9ને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સમિટનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં અન્ય મીડિયા કંપનીઓ પણ તેને અનુસરતી જોવા મળશે.

UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી

યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.

અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં 20 દેશના દૂતાવાસોના ડિફેન્સ અટેચીએ લીધી મુલાકાત, જુઓ તસવીરો

અબુ ધાબીના શાસકોની ઉદારતાથી, યુનાઈટેડ આરબ એમીરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અબુધાબી એક વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે. જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે.

Year Ender 2024 : વર્ષ 2024માં હિન્દુઓના આ ખાસ મંદિરો ટોપ પર રહ્યા, ઉમટી ભક્તોની ભીડ, જાણો તેના કારણો

Hindu temples highlight 2024 : તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ભારતના આ બે મંદિરો અથવા ધાર્મિક સ્થળો એટલે કે અયોધ્યા શ્રી રામ મંદિર અને આંધ્ર પ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. અયોધ્યાનું મંદિર એટલું ખાસ હતું કે, અહીં રામલલાની નવી મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવી ન હતી પરંતુ મંદિરના નિર્માણ સાથે સમગ્ર અયોધ્યા શહેરની કાયાપલટ પણ થઈ ગઈ હતી.

પાકિસ્તાનના શાદાબ ખાને દિલ્હીને જીત અપાવી, હેટ્રિક સિક્સર ફટકારી મેચનો અંત કર્યો, જુઓ વીડિયો

અબુ ધાબી T10 લીગની 26મી મેચ દિલ્હી બુલ્સ અને ચેન્નાઈ બ્રેવ જગુઆર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનના શાદાબ ખાને દિલ્હી બુલ્સ ટીમને જીત અપાવી હતી. તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન બતાવ્યું અને તેની ટીમને સિઝનની બીજી જીત તરફ દોરી હતી.

અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ, જુઓ Video

ઇસ્લામિક દેશનાં સૌ પ્રથમ હિન્દુ મંદિરમાં પહેલી દિવાળી ઈજવી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દીપોત્સવ યોજાયો. મૂર્તિઓને ખાસ વાઘા અને શણગાર ધરાવવામાં આવ્યો. મંદિરમાં રંગોળી અને દીવડાઓની સજાવટ પણ જોવા મળી. અખાતી દેશોમાંથી પણ ભારતીયો આવ્યા હતા.

IIFA Awards 2024 : બોલિવૂડ અને સાઉથના પ્રખ્યાત સ્ટાર્સે (IIFA) 2024માં ભાગ લીધો, આજે એવોર્ડ્સમાં શું ખાસ છે જાણો

IIFA એવોર્ડ સમારોહ 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. આ એવોર્ડ સમારોહ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાયો છે. આ એવોર્ડમાં બોલિવુડ સહિત અનેક હસ્તીઓ હાજરી આપતી જોવા મળી છે.

BAPS હિંદુ મંદિરનું અબુ ધાબી ખાતે ઇમર્સિવ શો “ધ ફેરી ટેલ”નું ભવ્ય પ્રીમિયર યોજાયું

અબુ ધાબી ખાતે એક પ્રકારના, ઇમર્સિવ શો, “ધ ફેરી ટેલ”નો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો, જેમાં UAEના નેતાઓ, મહાનુભાવો અને લોકો સહિત 250 થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી

અબુ ધાબી BAPS મંદિરની મુલાકાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, મંદિરમાં પૂજા પણ કરી, જુઓ તસવીરો

વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEની યાત્રા મુલાકાત લીધી. જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં પૂજા કરી હતી. જયશંકર તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.

UAE માટે ગોલ્ડન વિઝા મળ્યા બાદ રજનીકાંતે અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરની લીધી મુલાકાત, જુઓ-Photo

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી

અબુધાબીમાં 1 જૂનથી અમલમાં આવશે નવા નિયમ, ખાવા-પીવાનું થઈ જશે મુશ્કેલ

અબુ ધાબી સરકારે, પર્યાવરણને ધ્યાને રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ એક વાર વાપરીને ફેકી દેવામાં આવે છે તેવા કપ, ઢાંકણા, પ્લેટ, પીણાના કન્ટેનર અને ફૂડ કન્ટેનર પર લાગુ થશે.

UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સુચારું વિદેશનીતિના લીધે ભારત દેશ 'વિશ્વમિત્ર'તરીકે આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશો આજે ભારત સાથે સહયોગી સંબંધો દ્વારા આગળ વધવા ઉત્સુક છે.

અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

BAPS : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, કહ્યુ UAEમાં મંદિર નિર્માણમાં બ્રહ્મવિહારી સ્વામી બન્યા નિમીત્ત

મિલિનિયમ મિરેકલ કાર્યક્રમમાં મંદિર નિર્માણ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યુ કે  ઈસ્લામિક દેશમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવવા માટે સામાજિક, ભૌગોલિક તથા અન્ય પ્રકારની ઘણી અડચણ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના નિર્ધાર અને સંતોની ઈચ્છાશક્તિના પરિણામે આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને સહકાર આ કાર્ય પૂર્ણ કરવામાં મહત્વના સાબિત થયા.

અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવાનો મૂળ ભાવાર્થ દેશોને નજીક લાવવાનો, બ્રહ્મવિહારી મહારાજનું નિવેદન, જુઓ-VIDEO

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">