Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે, BCCI કોઈ કસર છોડવા માંગતું નથી

ભારતીય ટીમ (Indian Cricket Team) અંતિમ T20 વર્લ્ડ કપ (World Cup) માં ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી શકી ન હતી. તેથી આ વખતે તે કોઈ કસર છોડવા માંગતા નથી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાની યજમાની કરી શકે છે.

T20 વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે, BCCI કોઈ કસર છોડવા માંગતું નથી
BCCI ટી20 વિશ્વ કપ પહેલા ટીમ ઈન્ડિયાને પુરી તૈયારીઓ કરાવી લેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 8:40 AM

બીસીસીઆઈએ ગુરુવારે માહિતી આપી હતી કે ટીમ ઈન્ડિયા (Team India) આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે વનડે અને T20 શ્રેણી રમશે. તદ્દન મહત્વપૂર્ણ. ગત વખતે જે શરમજનક રીતે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી તે પછી આ વખતે કોઈને કોઈ રીતે ભારતીય ટીમ ટાઈટલ જીતવા માંગે છે. મેનેજમેન્ટ ટુર્નામેન્ટ પહેલા ટીમની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતું નથી. જેને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ પણ આયોજન ઘડી રહ્યુ છે, જે મુજબ ભારતીય ટીમ વધુ સિરીઝ વિશ્વકપ પહેલા રમી શકે છે.

ભારત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમશે

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ પછી બંને ટીમો વચ્ચે સમાન સંખ્યામાં મેચોની T20 સિરીઝ રમાશે. બીજી તરફ, 20 સપ્ટેમ્બરથી, ભારત ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે અને ત્રણ T20 મેચોની શ્રેણી રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ પછી 23 સપ્ટેમ્બરે બીજી T20 નાગપુરમાં અને છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. આ પછી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે. શ્રેણીની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાશે, બીજી મેચ 1 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને છેલ્લી મેચ 3 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. T20 શ્રેણી બાદ વનડે શ્રેણી રમાશે.

ભારત એક સાથે બે શ્રેણી રમશે

જો કે, દક્ષિણ આફ્રિકા સાથેની ODI સીરિઝમાં તે ખેલાડીઓ જોવા નહીં મળે કે જેમને T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં આવશે. આ શ્રેણી શરૂ થાય ત્યાં સુધીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ચૂકી હશે. બીસીસીઆઈના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, “અમારા સેક્રેટરી જય શાહે પહેલા જ કહ્યું હતું કે અમારી પાસે એક જ સમયે બે મજબૂત ટીમો છે. આ કારણોસર, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણી રમાશે જ્યારે એક ટીમ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો

સૂત્રએ એ પણ જણાવ્યું કે વનડે સિરીઝની છેલ્લી મેચ કોલકાતામાં યોજવાની યોજના હતી પરંતુ તેમ થયું નહીં. તેમણે કહ્યું કે, રોટેશન પોલિસી મુજબ છેલ્લી ODI કોલકાતામાં યોજાવાની હતી પરંતુ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દુર્ગા પૂજાના સમયે તહેવાર દરમિયાન પોલીસ સુરક્ષા આપી શકશે નહીં. એટલા માટે દિલ્હીને એક મેચ આપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">