જો તમે પણ લોન નથી ચૂકવી શકતા તો RBIનો આ કાયદો કરશે મદદ
મોટાભાગના લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બેંકો પાસેથી લોન લે છે. જો તમે પણ કોઈ કામ માટે બેંક પાસેથી લોન લીધી હોય તો તમારે RBIનો આ નિયમ જાણી લેવો જોઈએ. RBIનો આ નિયમ તમને ડિફોલ્ટર થવાથી બચાવશે અને લોનના વ્યાજ અથવા EMIને ઘટાડવામાં પણ મદદ કરશે.

લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બેંકો પાસેથી લોન લે છે. જો તમે પણ કોઈ કામ માટે બેંક પાસેથી લોન લીધી હોય તો તમારે RBIનો આ નિયમ જાણી લેવો જોઈએ.

લોન લીધા બાદ ઘણા લોકોને લોન ચૂકવવામાં મુશ્કેલી પડે છે. આવા લોકોને રાહત આપવા માટે આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા બનાવાઈ છે. જે લોન ડિફોલ્ટર્સ માટે આ મોટી રાહત છે, કારણ કે તેનાથી લોનની ચુકવણી માટે વધુ સમય મળે છે.

જો તમે 10 લાખ રૂપિયાની લોન લીધી છે, પરંતુ કોઈ કારણસર તમે તેની સંપૂર્ણ ચુકવણી કરી શકતા નથી. તો તમે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર લોન રીસ્ટ્રક્ચર કરાવી શકો છો.

આ માટે તમારે 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે અને બાકીના 5 લાખ રૂપિયા લાંબા સમય સુધી ધીમે ધીમે ચૂકવી શકો છો. તેનાથી તમારા પર EMIનું દબાણ પણ ઘટશે.

લોન લેનારાઓ માટે લોનનું રીસ્ટ્રક્ચર એ વધુ સારો વિકલ્પ છે. આ તમારા પરથી લોન ડિફોલ્ટરના ટેગને દૂર કરવાનું કામ કરે છે.

જો કોઈ વ્યક્તિ લોન ડિફોલ્ટર બને છે, તો તેની ક્રેડિટ હિસ્ટ્રી બગડે છે. આને કારણે તમારો CIBIL સ્કોર પણ બગડે છે, જે ભવિષ્યમાં લોન લેવાની તમારી તકોને અવરોધિ શકે છે.
